અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા બાદ ચોંકાવનારી પરિસ્થિતિ અમદાવાદના ખોખરા વિસ્તારમાં બનેલી ભયાનક ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીની ચાકૂના ઘા મારી હત્યા કરી દીધી. પ્રાથમિક તપાસ મુજબ સ્કૂલમાં થયેલા ધક્કામુક્કી જેવા નાના ઝઘડાને કારણે આ ઘટના બની હતી. મૃતક વિદ્યાર્થીની અંતિમ યાત્રા ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કાઢવામાં આવી....
Author: Inside Media Network (Aarohi Patel)
ભાવનગરમાં મેઘરાજાનો પ્રહાર: મહુવામાં પૂરની સ્થિતિ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ કહેર વરસાવ્યો છે, ખાસ કરીને ભાવનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મહુવા તાલુકામાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડતા સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. મહુવાના મોટા જાદરા અને ગુંદરણી ગામ વચ્ચેનો કોઝવે પાણીમાં ગરકાવ થતા બંને ગામનો સંપર્ક તૂટી ગયો હતો. ગ્રાસવો નદીમાં ભારે પૂરના કારણે...
દિલ્હી સીએમ રેખા ગુપ્તા પર હુમલો: આરોપી રાજેશ ખીમજી હિન્દુ ધર્મનો હોવાનું ખુલ્યું
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર 20 ઑગસ્ટ 2025ના રોજ સિવિલ લાઇન્સ સ્થિત સત્તાવાર નિવાસસ્થાને જાહેર સુનાવણી દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ રાજકીય ગલિયારામાં ભારે ખળભળાટ મચાવ્યો છે અને સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઊભા કર્યા છે. માહિતી અનુસાર, રેખા ગુપ્તા લોકોની અરજીઓ સાંભળી રહ્યા હતા ત્યારે રાજકોટના રહેવાસી 41 વર્ષીય રાજેશ ખીમજીએ અરજી...
સૌરાષ્ટ્રમાં માવઠાનો તાંડવ: ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં ધોધમાર વરસાદ, અનેક ડેમ ઓવરફ્લો
સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી માવઠાનો તાંડવ ચાલુ છે. ગીર સોમનાથના તાલાલા, ગીર ગઢડા, સુત્રાપાડા અને કોડીનારમાં ભારે વરસાદ વરસ્યો હતો, જેમાં તાલાલામાં 3 ઈંચ અને ગીર ગઢડામાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. ધોધમાર વરસાદને કારણે તાલાલાના આંબળાસ ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા અને ખેતરો...
અમરેલી દરિયામાં મોટી દુર્ઘટના: 3 બોટ ડૂબી, 17 માછીમારો બચાવાયા, 11 હજુ લાપતા
ગુજરાતના અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયામાં ભારે પવન અને વરસાદને કારણે તોફાન સર્જાતા ત્રણ માછીમારી બોટ ડૂબી જવાની મોટી દુર્ઘટના બની છે. આ બોટોમાં કુલ 28 માછીમારો સવાર હતા, જેમાંથી 17ને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે બાકીના 11 માછીમારો હજુ પણ લાપતા છે. આ ઘટના જાફરાબાદથી લગભગ 18 નોટિકલ માઈલ દૂર બની હતી. કોસ્ટગાર્ડને જાણ...
અફઘાનિસ્તાનમાં બસ અકસ્માત બાદ લાગી આગ, 17 બાળકો સહિત 71 લોકોના મોત
અફઘાનિસ્તાનના પશ્ચિમ હેરાત પ્રાંતમાં મંગળવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં 17 બાળકો સહિત 71 લોકોના મોત થયા. પ્રાંતીય સરકારના પ્રવક્તા અહમદુલ્લાહ મુત્તાકીએ જણાવ્યું હતું કે દેશનિકાલ કરાયેલા પ્રવાસીઓને કાબુલ લઈ જઈ રહેલી બસ, ટ્રક અને મોટરસાઇકલ સાથે અથડાઈ, જેના કારણે બસમાં આગ લાગી ગઈ. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં બસમાં લાગી...
મુંબઈમાં મોનોરેલ ફસાઈ: વીજ પુરવઠો ખોરવાતા મુસાફરો કલાકો સુધી ફસાયા, ગરમીમાં શ્વાસ લેવામાં મુશ્કેલી
મુંબઈમાં મૈસુર કોલોની સ્ટેશન નજીક વીજ પુરવઠામાં ખામી આવતા એક મોનોરેલ ટ્રેન રસ્તામાં જ અટકી ગઈ હતી, જેના કારણે મુસાફરોને ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઘટનાની માહિતી મુજબ, ટ્રેન અંદાજે એક કલાક સુધી અટકેલી રહી, અને આ દરમિયાન વીજળી તથા એર કન્ડિશનિંગ સિસ્ટમ બંધ થવાથી ટ્રેનની અંદરનું તાપમાન વધી ગયું હતું. ગરમી અને ગૂંગળામણના...
યુરોપ શાંતિ સમજૂતીમાં અવરોધ બની રહ્યું છે: રશિયાના વિદેશ મંત્રીએ ટ્રમ્પની પ્રશંસા કરી
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લોદિમીર ઝેલેન્સ્કી વચ્ચે બેઠક યોજાયા બાદ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે યુરોપિયન દેશોને કટાક્ષ કર્યો છે. ઝેલેન્સ્કી યુરોપિયન દેશોના નેતાઓ સાથે મુલાકાત કર્યા બાદ અમેરિકા પહોંચી અને ટ્રમ્પ સાથે ચર્ચા કરી હતી. ત્યારબાદ ટ્રમ્પે ત્રિપક્ષીય બેઠક યોજવાનું આશ્વાસન આપ્યું હતું. અલાસ્કામાં ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે...
NEET PG 2025નું પરિણામ જાહેર, 29 ઓગસ્ટથી મળશે વ્યક્તિગત સ્કોરકાર્ડ
નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ (NBEMS)એ મેડિકલ વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ અપડેટ જાહેર કર્યું છે. 19 ઓગસ્ટ, સોમવારે, નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-પોસ્ટગ્રેજ્યુએટ (NEET PG 2025)નું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું. ઉમેદવારો હવે બોર્ડની સત્તાવાર વેબસાઇટ natboard.edu.in પર જઈને પોતાનું પરિણામ જોઈ અને ડાઉનલોડ કરી શકે છે. બોર્ડે જણાવ્યું છે કે 29 ઓગસ્ટથી...
મહિલા વર્લ્ડકપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત, હરમનપ્રીત કૌર કેપ્ટન અને સ્મૃતિ મંધાના ઉપકપ્ટાન
મહિલા વનડે વર્લ્ડકપ 2025 માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મંગળવારે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરી છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપ હેઠળ અને સ્મૃતિ મંધાના ઉપકપ્ટાન તરીકે ટીમ મેદાનમાં ઉતરશે. ટીમનો લક્ષ્ય પહેલીવાર મહિલા વર્લ્ડકપ જીતવાનો છે. ખાસ વાત એ છે કે રેણુકા સિંહ ઠાકુરની ટીમમાં વાપસી થઈ છે, જ્યારે શેફાલી વર્માને સ્થાન મળ્યું નથી. આ...









