બ્રહ્મપુત્રા નદી પર ચીન બાંધે છે વિશ્વનો સૌથી મોટો ડેમ, અરૂણાચલ, આસામ અને બાંગ્લાદેશ પર જોખમ ચીન દ્વારા તિબેટમાં બ્રહ્મપુત્રા નદી (યારલુંગ ત્સાંગપો) પર વિશ્વનો સૌથી વિશાળ અને શક્તિશાળી સુપર ડેમ બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ ડેમના નિર્માણ અંગે અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડૂએ ચિંતાજનક નિવેદન આપતાં ચેતવણી આપી છે કે, “આ કોઈ...
Author: Inside Media Network
‘નિવૃત્તિ બાદ મારું જીવન વેદો, ઉપનિષદો અને પ્રાકૃતિક ખેતી માટે સમર્પિત કરીશ’: અમિત શાહ
આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ નિમિત્તે મહિલાઓ સાથે સંવાદ દરમ્યાન કેન્દ્રીય ગૃહમંત્રીનો સંકલ્પ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષના પ્રસંગે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના સહકારી ક્ષેત્રે કાર્યરત મહિલાઓ અને અન્ય સહકારી કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે તેમણે સહકાર ક્ષેત્રમાં મહિલાઓના યોગદાનની પ્રશંસા કરતાં કહ્યું કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ સહકારી ક્ષેત્ર મહિલાઓને...
‘મારો છોકરો ડૂબી ગયો…’, પુત્રની માનતા પૂરી કરવા જતાં ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં પરિવાર ગુમાવ્યો
સોનલબેન પઢિયારએ પતિ અને બે સંતાનો ગુમાવ્યા, નદીમાં માતાનો આક્રંદ જોઈ લોકોના દિલ વીંધાઈ ગયા વડોદરા જિલ્લામાં પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા નદી બ્રિજ 9 જુલાઈ સવારે તૂટી પડતાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં સાતથી વધુ વાહનો નદીમાં ખાબક્યા હતા અને અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયાનું સામે આવ્યું છે, જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત...
દુ:ખ વ્યક્ત કરવામાં પણ વટાવી બેશરમીની હદ, બેશરમ નેતાઓએ ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે મેસેજ પણ કોપી-પેસ્ટ કર્યા
વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલી ગંભીરા નદી ઉપરના બ્રિજનો એક ભાગ તૂટી પડતાં 12 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાની માહિતી છે. આ દુર્ઘટનાએ રાજ્યની માળખાકીય સુવિધાઓ અંગે તંત્રની ગંભીર બેદરકારી અને જવાબદારીના અભાવને ફરીથી સ્પષ્ટ કર્યો છે. દુર્ઘટનાને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ભાજપના ઘણા નેતાઓએ સોશિયલ મીડિયા પર શોક...
વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો, અનેક વાહનો નદીમાં ખાબક્યાં, 8ના મોત
વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલા ગંભીરા બ્રિજ આજે અચાનક તૂટી પડતાં અનેક વાહનો નદીમાં ખાબકી ગયા. દુર્ઘટનાને પગલે સમગ્ર તંત્ર હરકતમાં આવી ગયું છે અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ સુધીમાં 8 લોકોના મૃત્યુની સત્તાવાર પુષ્ટિ થઈ છે, જ્યારે 5 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. શરૂમાં ત્રણ મૃતદેહ મળ્યા હતા, બાદમાં વધુ પાંચ મૃતદેહો...
સી-પ્લેન બાદ હવે રિવરફ્રન્ટ ક્રૂઝ સેવા પણ મરણપથારીએ, સાડા ત્રણ કરોડનું નુકસાન; સરકારી બેદરકારી સામે ઉઠ્યા સવાલ
ગુજરાત સરકાર એક બાજુ ક્રૂઝ ભારત મિશન હેઠળ રાજ્યના દરિયાકાંઠે ક્રૂઝ ટુરિઝમને પ્રોત્સાહન આપવા પગલાં લઈ રહી છે, ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ પર શરૂ કરાયેલું ક્રૂઝ પ્રોજેક્ટ પણ હવે સી-પ્લેન જેવી દશા વેઠી રહ્યું છે. છેલ્લા અઢી મહિનાથી ક્રૂઝ સેવા બંધ છે અને હવે આ પ્રોજેક્ટ મરણપથારીએ છે. સાબરમતી નદીમાં ચલાવાયેલું ક્રૂઝ લાંબા સમયથી બંધ છે....
“ચીન-પાકિસ્તાન-બાંગ્લાદેશનું ગઠબંધન ભારત માટે મોટો ખતરો બની શકે”: CDS જનરલ ચૌહાણ
ભારતના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે મંગળવારે એક થિંક-ટેન્ક કાર્યક્રમમાં દેશની રાષ્ટ્રીય સુરક્ષા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી. તેમણે ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ઉભરતા સંભવિત વ્યૂહનૈતિક સહયોગને ભારત માટે મોટા જોખમ તરીકે આંક્યો. CDS ચૌહાણે કહ્યું કે આજે દેશને આંતરિક અને બાહ્ય બંને મોરચે દબાણનો સામનો કરવો પડી રહ્યો છે. વૈશ્વિક...
FATF રિપોર્ટમાં ખુલાસો : પુલવામા આતંકી હુમલાની વિસ્ફોટક સામગ્રી ઇ-કોમર્સ પ્લેટફોર્મ પરથી ખરીદાઈ હતી
FATF (Financial Action Task Force) દ્વારા બહાર પાડવામાં આવેલા તાજા રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટ મુજબ, આતંકવાદીઓ હવે બોમ્બ બનાવવાની સામગ્રી ઓનલાઇન ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ પરથી ખરીદે છે. FATFએ ચેતવણી આપી છે કે આતંકવાદી સંગઠનો માત્ર સામગ્રી જ નહીં, પરંતુ ફંડ એકઠા કરવા માટે પણ ડિજિટલ માધ્યમોનો દુરુપયોગ કરી રહ્યા છે. પુલવામા હુમલાની સામગ્રી પણ...
23 વર્ષથી ફરાર મોનિકા કપૂરની અમેરિકામાં ધરપકડ, ભારત લાવવામાં આવશે, CBIની મોટી સફળતા
આર્થિક ગુનામાં 23 વર્ષથી ફરાર રહેલી મોનિકા કપૂરને આખરે CBI દ્વારા અમેરિકામાંથી પકડવામાં આવી છે. CBI ટીમ મોનિકા કપૂરને આજે રાત્રે ભારત લાવશે. આ કાર્યવાહી ભારતીય તપાસ એજન્સીઓ માટે એક મોટી સફળતા માનવામાં આવી રહી છે. મોનિકા કપૂર 2002ના આયાત-નિકાસ છેતરપિંડી કેસમાં મુખ્ય આરોપી હતી. CBI દ્વારા 9 જુલાઈ, 2025ના રોજ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી....
બર્મિંઘમમાં જીતનારી પહેલી એશિયન ટીમ બની ઈન્ડિયા; બીજી ટેસ્ટમાં 336 રનથી ઐતિહાસિક જીત
એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025ની બીજી ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 336 રનના મોટા તફાવતથી હરાવીને ઐતિહાસિક જીત નોંધાવી છે. બર્મિંઘમના એજબેસ્ટન મેદાન પર રમાયેલી આ મેચમાં ઇંગ્લેન્ડ સામે 608 રનનો લક્ષ્યાંક હતો, જેનો સામનો કરતી વખતે ઇંગ્લેન્ડ ટીમ પાંચમા દિવસના બીજા સત્રમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બર્મિંઘમમાં 58 વર્ષ બાદ મળ્યો પહેલો વિજય ભારતીય ટીમે પહેલી વાર...








