Category: BREAKING NEWS

Home » BREAKING NEWS » Page 16
શેરબજારમાં ધૂમ તેજી: સેન્સેક્સમાં 1000 અને નિફ્ટીમાં 300 પોઈન્ટનો ઉછાળો
Post

શેરબજારમાં ધૂમ તેજી: સેન્સેક્સમાં 1000 અને નિફ્ટીમાં 300 પોઈન્ટનો ઉછાળો

શેરબજારમાં આજે ઓપનિંગ સેશનથી જ જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સમાં 1000 પોઈન્ટથી વધુ અને નિફ્ટીમાં 300થી વધુ પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે, જેના કારણે રોકાણકારોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સની હાલત: ગયા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 80,597.66 પોઈન્ટ પર ક્લોઝ થયો હતો. આજે રજાઓના ગાળા બાદ તેજી સાથે બજાર ખૂલ્યું અને સેન્સેક્સમાં 1022...

રાહુલ ગાંધીનો ચૂંટણી પંચ પર આક્ષેપ: ‘હું અને તેજસ્વી તમારાથી ડરતા નથી’
Post

રાહુલ ગાંધીનો ચૂંટણી પંચ પર આક્ષેપ: ‘હું અને તેજસ્વી તમારાથી ડરતા નથી’

ચૂંટણી પંચના મુખ્ય કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારની પ્રેસ કોન્ફરન્સ બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે, “હું લોકોને મળ્યો છું જેમના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. બંધારણે આપેલા મતાધિકારને છીનવી લેવામાં આવી રહ્યો છે. મને તો ચૂંટણી પંચ સોગંદનામું આપવા કહે છે, પણ અનુરાગ ઠાકુર...

મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર
Post

મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર

નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)એ ભારતના આગામી ઉપરાષ્ટ્રપતિ પદ માટે પોતાના ઉમેદવાર તરીકે સી.પી. રાધાકૃષ્ણનના નામની જાહેરાત કરી છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, પક્ષના સંસદીય બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલમાં રાધાકૃષ્ણન મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે સેવા આપી રહ્યા છે. સી.પી. રાધાકૃષ્ણન પહેલા તમિલનાડુના કોઇમ્બતુરથી બે...

સુરેન્દ્રનગર-લખતર હાઇવે પર બે કાર વચ્ચે ભયાનક ટક્કર, આગ લાગતાં 7 લોકોનાં કરૂણ મોત
Post

સુરેન્દ્રનગર-લખતર હાઇવે પર બે કાર વચ્ચે ભયાનક ટક્કર, આગ લાગતાં 7 લોકોનાં કરૂણ મોત

સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર હાઈવે પર ભયાનક માર્ગ અકસ્માત થયો હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. રવિવાર, 17 ઑગસ્ટના રોજ ઝમર ગામ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર ટક્કર થઇ હતી. ટક્કર એટલી ભારે હતી કે તેમાં પૈકી એક કારમાં આગ લાગી ગઈ. આ ભીષણ દુર્ઘટનામાં એક જ પરિવારના ઓછામાં ઓછા 7 લોકોના ઘટના સ્થળે જ મોત...

78 વર્ષ બાદ PMOનું સરનામું બદલાવા જઈ રહ્યું છે, હવે સાઉથ બ્લોકમાં નહીં રહે પ્રધાનમંત્રી કાર્યાલય
Post

78 વર્ષ બાદ PMOનું સરનામું બદલાવા જઈ રહ્યું છે, હવે સાઉથ બ્લોકમાં નહીં રહે પ્રધાનમંત્રી કાર્યાલય

78 વર્ષ પછી વડાપ્રધાન કાર્યાલય (PMO) પોતાનું સરનામું બદલવા જઈ રહ્યું છે. અત્યાર સુધી PMO નવી દિલ્હીની ઐતિહાસિક સાઉથ બ્લોકમાં કાર્યરત હતું, પરંતુ આગામી મહિનામાં તેનું સ્થાન બદલાઈને એગ્ઝિક્યુટિવ એનક્લેવમાં સ્થાનાંતરિત થશે. આ નવું સ્થાન પીએમના નિવાસસ્થાન નજીક હશે અને તેમાં આધુનિક કોન્ફરન્સિંગ સુવિધાઓ ઉપરાંત કેબિનેટ સચિવાલય અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય પણ સમાવેશ પામશે....

Post

પીએમ મોદીની દિલ્હી-NCRને 11,000 કરોડની ભેટ, દ્વારકા એક્સપ્રેસવે અને UER-2નું લોકાર્પણ

દિલ્હી-NCRના લોકોને ટ્રાફિક જામ અને લાંબી મુસાફરીથી રાહત આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16 ઑગસ્ટના રોજ 11,000 કરોડ રૂપિયા જેટલાં ખર્ચથી બનેલા બે મહત્ત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદીએ દ્વારકા એક્સપ્રેસવે (દિલ્હી સેક્શન) અને અર્બન એક્સટેન્શન રોડ-2 (UER-2) રાષ્ટ્રીય જનતા સમર્પિત કર્યા. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, દિલ્હીની મુખ્યમંત્રી રેખા...

“માત્ર આંસુ પુરાવા નહીં બને: હાઈકોર્ટનો દહેજ કેસમાં મહત્વનો નિર્ણય
Post

“માત્ર આંસુ પુરાવા નહીં બને: હાઈકોર્ટનો દહેજ કેસમાં મહત્વનો નિર્ણય

દિલ્હી હાઈકોર્ટે દહેજ ઉત્પીડનના એક ગંભીર કેસમાં સ્પષ્ટ અને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે નોંધ્યું કે, માત્ર પીડિતાના રડવાના આધાર પર કોઈ વ્યક્તિને ગુનેગાર ઠરાવી શકાય નહીં. આ ચુકાદાથી મૃત્યુ પામેલી પરિણીત મહિલાના પિતા દ્વારા દાખલ કરાયેલ અરજી ફગાવવામાં આવી છે અને તેના પતિ તથા સાસરિયાઓને આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની...

Post

5 દિવસથી ફરાર લોકસાહિત્યકાર દેવાયત ખવડની ધરપકડ, ધ્રુવરાજસિંહ પર હિંસક હુમલાનો આરોપ

ચર્ચિત લોકસાહિત્યકાર દેવાયત ખવડ છેલ્લાં પાંચ દિવસથી ફરાર હતા, પરંતુ હવે તેઓ પોલીસના સકંજામાં આવી ગયા છે. જુધઈ ગામ નજીક તેમના ફાર્મહાઉસથી દેવાયત ખવડ સહિત કુલ 6 આરોપીઓને ઝડપવામાં આવ્યા છે. સાથે જ તેમની સ્કોર્પિયો કાર પણ પોલીસે જપ્ત કરી છે. મળતી માહિતી મુજબ, દુધઈ ગામ નજીકના સીસીટીવી ફૂટેજમાં દેવાયત ખવડ દેખાઈ આવ્યા હતા, જે...

કઠુઆમાં આભ ફાટ્યું: 4ના મોત, 6થી વધુ ઈજાગ્રસ્ત, જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ચિંતા
Post

કઠુઆમાં આભ ફાટ્યું: 4ના મોત, 6થી વધુ ઈજાગ્રસ્ત, જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં ચિંતા

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં થયેલી કુદરતી આપત્તિ બાદ હવે કઠુઆ જિલ્લામાં પણ આભ ફાટવાની ઘટના બની છે, જેના કારણે વિસ્તારોમાં હાહાકાર મચી ગયો છે. મળતી માહિતી મુજબ, કઠુઆ જિલ્લાના રાજબાગ વિસ્તારમાં આવેલા જોડ ઘાટી ગામમાં શનિવાર અને રવિવારે મધરાતે વાદળ ફાટતાં ચાર લોકોના મોત થયા છે અને છથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં જ...

ગુરુગ્રામમાં યુટ્યુબર એલ્વિશ યાદવના ઘરે 24 રાઉન્ડ ગોળીબાર, ત્રણ અજાણ્યા શખસ ફરાર
Post

ગુરુગ્રામમાં યુટ્યુબર એલ્વિશ યાદવના ઘરે 24 રાઉન્ડ ગોળીબાર, ત્રણ અજાણ્યા શખસ ફરાર

ગુરુગ્રામમાં જાણીતા યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિજેતા એલ્વિશ યાદવના ઘરે રવિવારે વહેલી સવારે ગોળીબાર થયો હતો. મળતી માહિતી મુજબ, સવારે 5:30 થી 6 વાગ્યા વચ્ચે ત્રણ અજાણ્યા શખસો બાઈક પર આવ્યા અને એલ્વિશના ઘરે 24 રાઉન્ડ ગોળીબાર કર્યા પછી ફરાર થઈ ગયા. ઘટનાની જાણ થતાં જ ગુરુગ્રામ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા...