Category: BREAKING NEWS

Home » BREAKING NEWS » Page 28
ખાલિસ્તાની આતંકી ગુરપતવંત પન્નુની કપિલ શર્માને ખુલ્લી ધમકી : “તારા પૈસા પાછા લઈ જા, કેનેડા તારું પ્લે ગ્રાઉન્ડ નથી”
Post

ખાલિસ્તાની આતંકી ગુરપતવંત પન્નુની કપિલ શર્માને ખુલ્લી ધમકી : “તારા પૈસા પાછા લઈ જા, કેનેડા તારું પ્લે ગ્રાઉન્ડ નથી”

ભારતીય હાસ્ય કલાકાર કપિલ શર્માને ખાલિસ્તાની આતંકવાદી સંગઠન સિક્સ ફોર જસ્ટિસ (SFJ)ના સહસ્થાપક ગુરપતવંત સિંહ પન્નુ દ્વારા ખુલ્લી ધમકી આપવામાં આવી છે. પન્નુએ કથિત રીતે કહેલું કે કપિલ શર્મા કેનેડા મારફતે હિંદુત્વનો પ્રચાર કરી રહ્યા છે અને તેમનો બિઝનેસ “હિંદુત્વ એજન્ડાનો ભાગ” છે. હાલમાં કપિલ શર્માએ સરી, બ્રિટિશ કોલંબિયામાં ખોલેલું તેમનું કેફે, ‘કપ્સ કાફે’, ગોળીબારની...

“તમે ફ્યુઅલ કેમ બંધ કર્યું?”- અમદાવાદ પ્લેન ક્રેશ પહેલા પાયલટ્સ વચ્ચે થયેલી વાતચીત ના અંશ
Post

“તમે ફ્યુઅલ કેમ બંધ કર્યું?”- અમદાવાદ પ્લેન ક્રેશ પહેલા પાયલટ્સ વચ્ચે થયેલી વાતચીત ના અંશ

અમદાવાદના એર ઇન્ડિયા ફ્લાઇટ AI171ના ભયાનક અકસ્માત અંગે ભારતીય વિમાન અકસ્માત તપાસ બ્યુરો (AAIB) દ્વારા પ્રારંભિક અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં કોકપીટમાં થયેલી વાતચીત અને ટેકનિકલ ખામીઓના ચોંકાવનારા ખુલાસા થયા છે. ટેકઓફ પછી બંને એન્જિન બંધ 12 જૂને અમદાવાદથી લંડન જતી બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાને ટેકઓફ કર્યા બાદ માત્ર થોડી સેકન્ડમાં જ બંને...

અમદાવાદ પ્લેન દુર્ઘટના: “વિમાનના બંને એન્જિનને ફ્યુઅલ મળતું બંધ થયું હતું” – AAIBનો ખુલાસો
Post

અમદાવાદ પ્લેન દુર્ઘટના: “વિમાનના બંને એન્જિનને ફ્યુઅલ મળતું બંધ થયું હતું” – AAIBનો ખુલાસો

વિમાનના બંને એન્જિનને ઈંધણ આપતી ફ્યુઅલ કટઓફ સ્વિચ 'RUN'થી 'CUTOFF' સ્થિતિમાં એક જ સેકન્ડમાં ગઈ, જેના કારણે એન્જિનને ઈંધણ મળવાનું બંધ થયું.

બ્રાઝિલ બાદ હવે કેનેડા પર ફૂટ્યો ટ્રમ્પનો ગુસ્સો, લગાવ્યો 35% ટેરિફ
Post

બ્રાઝિલ બાદ હવે કેનેડા પર ફૂટ્યો ટ્રમ્પનો ગુસ્સો, લગાવ્યો 35% ટેરિફ

અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વૈશ્વિક સ્તરે ટ્રેડ વોર (વેપાર યુદ્ધ)ની શરૂઆત કરી છે. છેલ્લા એક સપ્તાહથી ટ્રમ્પે વિવિધ દેશો પર એક પછી એક ટેરિફ (આયાત શુલ્ક) લગાવવાની જાહેરાત કરી છે, જેને કારણે ઘણા દેશોને આર્થિક ઝટકો લાગ્યો છે. કેનેડા પર 35% ટેરિફ અને ખુલ્લી ધમકી ટ્રમ્પે ગુરુવારે સ્પષ્ટ કર્યું કે આગામી 1 ઓગસ્ટથી...

એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત અને મંત્રી શિરસાટને IT વિભાગની નોટિસ, સંપત્તિમાં વધારા અંગે માંગ્યો હિસાબ
Post

એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત અને મંત્રી શિરસાટને IT વિભાગની નોટિસ, સંપત્તિમાં વધારા અંગે માંગ્યો હિસાબ

મહારાષ્ટ્ર રાજકારણમાં ચકચાર મચાવતો વિકાસ સામે આવ્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્ર અને સાંસદ શ્રીકાંત શિંદે તથા શિવસેના શિંદે જૂથના નેતા અને મંત્રી સંજય શિરસાટને ઇન્કમટેક્સ વિભાગે નોટિસ પાઠવી છે. બંનેને તેમની સંપત્તિમાં થયેલા આકસ્મિક વધારા અંગે સ્પષ્ટતા માંગવામાં આવી છે. ‘વર્ષ 2019થી 2024 વચ્ચે સંપત્તિમાં વધારો થયો’ મંત્રીએ નોટિસ અંગે મીડિયા સાથે...

કેનેડામાં કપિલ શર્માના નવા કાફેમાં ગોળીબાર; ખાલિસ્તાની આતંકી ગૃપે લીધી જવાબદારી
Post

કેનેડામાં કપિલ શર્માના નવા કાફેમાં ગોળીબાર; ખાલિસ્તાની આતંકી ગૃપે લીધી જવાબદારી

પ્રસિદ્ધ ભારતીય કોમેડિયન કપિલ શર્માના કેનેડા સ્થિત કાફેમાં ગોળીબાર થયો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. નોંધનીય છે કે આ કાફે માત્ર ત્રણ દિવસ પહેલા જ ખુલ્લું મુકવામાં આવ્યું હતું. કાફેની બારીઓ પર રાત્રે ફાયરિંગ આ ઘટના સાથે સંબંધિત એક વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે...

દિલ્હી અને આસપાસના શહેરોમાં ભૂકંપના આંચકા, લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા
Post

દિલ્હી અને આસપાસના શહેરોમાં ભૂકંપના આંચકા, લોકો ઘરોમાંથી બહાર દોડી આવ્યા

ગુરવારે સવારે  9:04 વાગ્યે દિલ્હી અને તેના આસપાસના વિસ્તારોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ધરતી હલતાની અનુભૂતિ થતાં લોકોમાં દહેશતનો માહોલ સર્જાઈ ગયો હતો અને ઘરો તથા ઑફિસોમાંથી દોડીને બહાર આવી ગયા હતા. ભૂકંપના આંચકા સાતથી દસ સેકન્ડ સુધી સતત લાગ્યા હતા. જોકે, હજી સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી. ભયભીત...

ગંભીરા બ્રિજ દુર્ઘટના: અત્યાર સુધી 15ના કરૂણ મોત, તપાસ માટે છ સભ્યોની કમિટી રચાઈ, સર્ચ ઓપરેશન યથાવત
Post

ગંભીરા બ્રિજ દુર્ઘટના: અત્યાર સુધી 15ના કરૂણ મોત, તપાસ માટે છ સભ્યોની કમિટી રચાઈ, સર્ચ ઓપરેશન યથાવત

વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા નદી પરનો બ્રિજ બુધવાર, 9 જુલાઈના રોજ તૂટી પડ્યો, જેના પગલે અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા. દુર્ઘટનામાં અત્યાર સુધી કુલ 15 મૃતદેહો મળ્યા છે, જ્યારે સર્ચ ઓપરેશન હજુ પણ યથાવત્ છે. દુર્ઘટનાને લઈને રાજ્ય સરકારે પગલાં લીધા છે અને માર્ગ અને મકાન વિભાગના 6 અધિકારીઓની ઉચ્ચ સ્તરીય તપાસ કમિટી રચાઈ...

ચીનના ‘સુપર ડેમ’થી ભારતને વિનાશક ખતરો, અરૂણાચલના મુખ્યમંત્રીએ કહ્યું,’આ વોટર બોમ્બ છે’
Post

ચીનના ‘સુપર ડેમ’થી ભારતને વિનાશક ખતરો, અરૂણાચલના મુખ્યમંત્રીએ કહ્યું,’આ વોટર બોમ્બ છે’

બ્રહ્મપુત્રા નદી પર ચીન બાંધે છે વિશ્વનો સૌથી મોટો ડેમ, અરૂણાચલ, આસામ અને બાંગ્લાદેશ પર જોખમ ચીન દ્વારા તિબેટમાં બ્રહ્મપુત્રા નદી (યારલુંગ ત્સાંગપો) પર વિશ્વનો સૌથી વિશાળ અને શક્તિશાળી સુપર ડેમ બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ ડેમના નિર્માણ અંગે અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડૂએ ચિંતાજનક નિવેદન આપતાં ચેતવણી આપી છે કે, “આ કોઈ...

વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો, અનેક વાહનો નદીમાં ખાબક્યાં, 8ના મોત
Post

વડોદરાના પાદરાનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો, અનેક વાહનો નદીમાં ખાબક્યાં, 8ના મોત

વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલા ગંભીરા બ્રિજ આજે અચાનક તૂટી પડતાં અનેક વાહનો નદીમાં ખાબકી ગયા. દુર્ઘટનાને પગલે સમગ્ર તંત્ર હરકતમાં આવી ગયું છે અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ સુધીમાં 8 લોકોના મૃત્યુની સત્તાવાર પુષ્ટિ થઈ છે, જ્યારે 5 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. શરૂમાં ત્રણ મૃતદેહ મળ્યા હતા, બાદમાં વધુ પાંચ મૃતદેહો...