ઉત્તરાખંડમાં અવિરત વરસાદે હાહાકાર મચાવ્યો છે. ચમોલી, રુદ્રપ્રયાગ અને ટિહરી જિલ્લાઓમાં મોડી રાતથી ભારે વરસાદને કારણે પરિસ્થિતિ ચિંતાજનક બની છે. રુદ્રપ્રયાગ જિલ્લાના બાસુકેદાર વિસ્તારમાં વાદળ ફાટતાં ભારે તબાહી સર્જાઈ છે. અહેવાલ મુજબ, આ જળપ્રલયમાં અનેક વાહનો વહી ગયા છે અને છ લોકો ગુમ થયા હોવાનું જાણવા મળે છે. ચમોલી જિલ્લામાં થયેલા ભૂસ્ખલનથી અનેક ઘરો ધસી...
પંજાબમાં ઐતિહાસિક પૂર: હજારો લોકો બેઘર, જાનમાલનું મોટું નુકસાન
પંજાબમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને કારણે પૂરનું ભયંકર દ્રશ્ય સર્જાયું છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરની સરહદ સાથે જોડાયેલા જિલ્લાઓમાં હાલ સ્થિતિ અત્યંત ગંભીર છે, જ્યાં અનેક ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હજારો લોકો પોતાના ઘર છોડીને અસ્થાયી કેમ્પોમાં રહેવા મજબૂર બન્યા છે. ઘણા લોકોએ પોતાના મકાન અને સંપત્તિ ગુમાવી છે, તો કેટલાકને પશુઓને...
બિહારમાં 3 લાખ સંદિગ્ધ મતદારોને ચૂંટણી પંચની નોટિસ, નાગરિકતા સાબિત ન કરે તો મતદાર યાદીમાંથી નામ કપાશે
બિહારમાં મતદાર યાદીની સમીક્ષા અંતિમ ચરણમાં પહોંચી છે અને ચૂંટણી પંચે 30 સપ્ટેમ્બરે અંતિમ યાદી જાહેર કરવાની તૈયારી કરી છે. આ દરમિયાન, ત્રણ લાખથી વધુ સંદિગ્ધ મતદારોના નામ યાદીમાંથી દૂર થવાના સંકેતો છે. પંચના જણાવ્યા અનુસાર, આ મતદારો દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજોમાં ગંભીર ખામીઓ મળી આવી છે, જેના આધારે નોટિસ મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી...
ભારતમાં શાળાઓમાં પ્રવેશ લેતા બાળકોની સંખ્યા ઘટી, શિક્ષણ મંત્રાલયનો અહેવાલ જન્મદર ઘટાડાને જવાબદાર ગણાવે છે
દેશમાં સતત બીજા વર્ષે શાળાઓમાં પ્રવેશ મેળવનારા બાળકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડા મુજબ, વર્ષ 2024-25માં કુલ નોંધણી 24.69 કરોડ રહી, જે ગયા વર્ષની સરખામણીમાં આશરે 11 લાખ ઓછી છે. અગાઉ 2023-24માં આ આંકડો 24.80 કરોડ હતો, જ્યારે 2022-23માં 25.18 કરોડ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. એટલે કે, બે વર્ષમાં કુલ...
વડાપ્રધાન મોદીને અપશબ્દ બોલવાના મામલે પટનામાં ભાજપ-કોંગ્રેસ કાર્યકરોમાં હિંસક ઘર્ષણ
પટના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અને તેમની માતાને અપશબ્દ બોલવાના મામલે આજે પટનામાં ભાજપ અને કૉંગ્રેસ કાર્યકરો વચ્ચે ધમાકેદાર મારામારી થઈ. ભાજપના કાર્યકરો દરભંગામાં થયેલી રેલી દરમિયાન પીએમ મોદીને અને તેમની માતાને અભદ્ર ટીપ્પણી કરવાનાં વિરોધમાં કૉંગ્રેસ કાર્યાલયની બહાર દેખાવા કર્યા હતા, જે બાદમાં આક્રમક બની ગયા. માધ્યમોમાં આવી રહેલા વીડિયોમાં બંને પક્ષના કાર્યકરો એકબીજાં પર...
બોલિવૂડમાં ગણપતિ બાપ્પાની વિદાય: ગોવિંદાથી લઈને અનન્યા સુધી સેલેબ્સે કેવી રીતે કર્યું વિસર્જન
ગણેશ ચતુર્થીના સમાપન સાથે બોલિવૂડ અને ટીવી સેલેબ્રિટીઝે પોતાના ઘરે લાવવામાં આવેલા બાપ્પાનું વિસર્જન શરૂ કર્યું છે. કોઈએ બાપ્પાને 11 દિવસ સુધી ઘરે રાખ્યા તો કેટલાકે 5 અથવા ઓછા દિવસમાં જ વિદાય આપી. ગુરુવારે ગોવિંદા, અનન્યા પાંડે, સલમાન ખાન અને અર્પિતા ખાન સહિત અનેક સેલિબ્રિટીઝે બાપ્પાનું વિસર્જન કર્યું. ગોવિંદાએ પોતાના પરિવાર સાથે બાપ્પાનું વિસર્જન કરીને...
2027ની વસતી ગણતરી પહેલા બદલાશે ભારતનો સત્તાવાર શહેરી નકશો: કેન્દ્રનું નવું પરિપત્ર ચર્ચામાં
ભારતમાં આગામી વસતી ગણતરી 2027 પહેલા દેશનો સત્તાવાર શહેરી નકશો બદલાશે તેવી શક્યતા ઉભી થઈ છે. કેન્દ્ર સરકારે નવું પરિપત્ર જાહેર કરીને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને શહેરી સમૂહોને અપડેટ કરવા માટે પ્રોફોર્માનો સેટ મોકલ્યો છે. આ પ્રક્રિયા હેઠળ 2011ની વસતી ગણતરી પછી થયેલા વિસ્તાર, વિલીનીકરણ અને પુનઃગઠનની વિગતો માંગવામાં આવી છે. રજિસ્ટ્રાર જનરલ અને વસતી...
ઉત્તરાખંડના ચમોલીમાં ફરી આભ ફાટ્યું: બે લોકો ગુમ, ઘરોમાં કાટમાળ ભરાયો
ઉત્તરાખંડમાં ચોમાસાની ઋતુ સતત કુદરતી આફતો લઈને આવી રહી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વારંવાર આભ ફાટવાની ઘટનાઓ સર્જાતા ભારે વિનાશ ફેલાયો છે અને સ્થાનિકોમાં ભયનો માહોલ છે. ગઇકાલે રાતે ચમોલી જિલ્લાના દેવાલ વિસ્તારના મોપાટામાં ફરી એકવાર આભ ફાટ્યો હતો, જેના કારણે મોટી હાનિ થઈ છે. માહિતી મુજબ આ દુર્ઘટનામાં બે લોકો ગુમ છે, જેમા તારા...
ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારતની મોટી ચાલ: સપ્ટેમ્બરમાં રશિયાથી વધુ ક્રૂડ ઓઇલ ખરીદશે: રિપોર્ટ
અમેરિકાના કડક સંદેશાઓ છતાં ભારત તેના ઊર્જા હિતોને પ્રાથમિકતા આપી રહ્યું છે. તાજેતરના અહેવાલ અનુસાર, ભારતીય રિફાઇનરીઓએ સપ્ટેમ્બર મહિનામાં રશિયાથી ક્રૂડ ઓઇલની ખરીદીમાં નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય લીધો છે. જોકે ભારત સરકાર અથવા રિફાઇનરીઓ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, રોયટર્સને મળેલી માહિતી મુજબ ભારતીય કંપનીઓ ઓગસ્ટની તુલનામાં 10થી 20 ટકા વધુ ક્રૂડ...
જાપાન અને ચીનના પ્રવાસે વડાપ્રધાન મોદી: વ્યૂહાત્મક ભાગીદારી અને SCO સમિટ પર ધ્યાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ચીન જવા પૂર્વે જાપાન પહોંચ્યા છે. ટોક્યોના હાનેડા એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન 28 ઓગસ્ટે જાપાન અને ચીનની મહત્વપૂર્ણ મુલાકાત માટે રવાના થયા હતા. જાપાન મુલાકાત અંગે મોદીએ જણાવ્યું કે આ પ્રવાસ ભારતના હિતોને મજબૂત બનાવશે અને પ્રાદેશિક તેમજ...









