મધ્યપ્રદેશના સિહોર જિલ્લામાં એક મોટી દુર્ઘટના બની છે. દૌલતપુરના જંગલમાં આવેલા ભેરૂખો ઝરણામાં પિકનિક મનાવવા ગયેલા VIT યુનિવર્સિટીના પાંચ વિદ્યાર્થીઓ ન્હાવા દરમિયાન ડૂબી ગયા. આ દુર્ઘટનામાં બે વિદ્યાર્થીઓના મોત થયા છે, જ્યારે ત્રણ વિદ્યાર્થીઓ હજુ પણ લાપતા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ અને રેસ્ક્યૂ ટીમ સ્થળ પર પહોંચી ગઈ અને લાપતા વિદ્યાર્થીઓની શોધખોળ શરૂ...
બારાબંકીના ઔસાનેશ્વર મહાદેવ મંદિરમાં વીજકરંટથી નાસભાગ: 2 શ્રદ્ધાળુઓના મોત, 40 ઈજાગ્રસ્ત
ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં આવેલ પ્રખ્યાત ઔસાનેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભયાનક દુર્ઘટના સર્જાઈ. હૈદરગઢ વિસ્તારમાં આવેલા આ મંદિરમાં મહાદેવના જલાભિષેક દરમિયાન અચાનક વીજકરંટ ફેલાતાં ભીડમાં હાહાકાર મચી ગયો અને નાસભાગની પરિસ્થિતિ સર્જાઈ. આ ઘટનામાં બે શ્રદ્ધાળુઓના મોત થયા, જ્યારે લગભગ 40 લોકો ઘાયલ થયા છે. કઈ રીતે બની આ દુર્ઘટના? પ્રાપ્ત માહિતી...
મધ્ય પ્રદેશમાં એક જ પરિવારના 4 લોકોનો સામૂહિક આપઘાત: સુસાઈડ નોટ અને પત્નીના નિવેદનથી ખુલ્યાં ચોંકાવનારા રહસ્યો
મધ્ય પ્રદેશના સાગર જિલ્લાના તિહાર ગામમાં એક હ્રદયવિદારક ઘટના બની છે, જ્યાં એક જ પરિવારના ચાર સભ્યોએ સામૂહિક આપઘાત કરી લીધો. મૃતકોની ઓળખ મનોહર લોધી, તેમની વૃદ્ધ માતા ફૂલરાણી લોધી, પુત્રી શિવાની અને પુત્ર અનિકેત તરીકે થઈ છે. અહેવાલો મુજબ, શુક્રવારે (25 જુલાઈ) સવારે ચારેયના મૃતદેહ ઘરમાંથી મળ્યા. ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી, જેમાં...
જાપાનનો વેપારી બન્યો શિવભક્ત: કરોડોનો બિઝનેસ છોડી કાવડિયાઓને વહેંચ્યું ભોજન
આજના સમયમાં જ્યાં લોકો પૈસાની પાછળ દોડે છે, ત્યાં જાપાનના વેપારી હોશી તાકાયુકીએ કરોડોનો બિઝનેસ છોડીને ભગવાન શિવની ભક્તિનો માર્ગ અપનાવ્યો છે. 41 વર્ષીય હોશી તાકાયુકી, જે પહેલાં ટોક્યોમાં 15 બ્યૂટી પ્રોડક્ટ્સ સ્ટોર્સના માલિક હતા, હવે “બાલા કુંભ ગુરુમુનિ” તરીકે ઓળખાય છે. હોશી તાકાયુકીની આધ્યાત્મિક યાત્રા 20 વર્ષ પહેલા તમિલનાડુમાં નાડી જ્યોતિષના અનુભવથી શરૂ થઈ...
નકલી દૂતાવાસ કૌભાંડ: 10 વર્ષમાં 162 વિદેશ યાત્રા અને ₹300 કરોડનો ફ્રોડ
ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં નકલી દૂતાવાસના કેસમાં ભેજાબાજ હર્ષવર્ધન જૈનની ધરપકડ બાદ સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. નોઈડા એસટીએફના અધિકારીઓએ જણાવ્યું કે, કવિનગર સ્થિત તેમના મકાનમાંથી મળેલા દસ્તાવેજોમાં ખુલ્યું છે કે હર્ષવર્ધને એહસાન અલી સૈયદ સાથે મળી વિદેશમાં 25 કંપનીઓ રજિસ્ટર કરી હતી અને અનેક બેંક એકાઉન્ટ પણ ધરાવે છે. તપાસમાં જાણવા મળ્યું છે કે...
રાજસ્થાનની શાળામાં ભયાનક દુર્ઘટના ને લઈને ખુલાસો, વિદ્યાર્થીઓ ચીસો પાડી ચેતવતા રહ્યા, છતાં શિક્ષકો ધમકાવતા રહ્યા
રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના પીપલોદી ગામમાં શુક્રવારે એક હ્રદયદ્રાવક દુર્ઘટના બની. સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાની 78 વર્ષ જૂની ઇમારતની છત તૂટી પડતાં સાત માસૂમ વિદ્યાર્થીઓનાં મોત થયા અને અનેક વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે. વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોએ દાવો કર્યો છે કે, ઈમારતની જર્જરિત સ્થિતિ અંગે તેઓએ પહેલાથી...
વિશ્વના લોકપ્રિય નેતાઓમાં મોદી ફરી ટોચ પર, ટ્રમ્પ અને મેલોની પણ રહ્યા પાછળ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર વિશ્વમાં સૌથી લોકપ્રિય લોકશાહી નેતા તરીકે પોતાની જગ્યા મજબૂત બનાવી છે. મોર્નિંગ કન્સલ્ટ નામની બિઝનેસ ઇન્ટેલિજન્સ સંસ્થાએ જુલાઈ 2025 માટે જાહેર કરેલા તાજેતરના સર્વે મુજબ, પીએમ મોદીને 75% approval rating મળ્યું છે, જે તમામ 20થી વધુ દેશોના નેતાઓ કરતા સૌથી વધુ છે. આ સર્વે 4 જુલાઈથી 10 જુલાઈ 2025 વચ્ચે...
ઑસ્ટ્રેલિયામાં BAPS સ્વામિનારાયણ મંદિર પર ખાલિસ્તાની તત્વોનો હુમલો, દીવાલો પર લખાયા ઉશ્કેરણીજનક સૂત્રો
ઑસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરના મિલ પાર્ક વિસ્તારમાં આવેલી BAPS સ્વામિનારાયણ મંદિરે ગુરુવારે સવારે ખાલિસ્તાની તત્વોએ હુમલો કર્યો હતો. આ તત્વોએ મંદિરની દીવાલો પર ઉશ્કેરણીજનક સૂત્રો લખ્યા અને તોડફોડ કરી. મેસેજમાં ખાલિસ્તાન સમર્થનમાં જરનૈલ સિંહ ભિંદરાનવાલેને “શહીદ” તરીકે દર્શાવતો graffiti લખાયો હતો અને ભારત તથા મોદી સરકાર વિરુદ્ધ સૂત્રો પણ લખાયા હતા. આ ઘટનાને લઇને હિન્દુ કાઉન્સિલ...
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન છ મહિના માટે લંબાયું, સંસદમાં મંજૂરી મળતાં નિર્ણય અમલી
મણિપુર રાજ્યમાં ચાલુ રાષ્ટ્રપતિ શાસનને વધુ છ મહિના માટે લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યસભામાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રજૂ કરાયેલા વૈધાનિક ઠરાવને સંસદે મંજૂરી આપી છે. આ લંબાણ 13 ઓગસ્ટ, 2025થી લાગુ પડશે. પહેલાં 13 ફેબ્રુઆરી, 2025ના રોજ મણિપુરમાં મુખ્યમંત્રી એન બિરેન સિંહના રાજીનામા બાદ રાજ્ય વિધાનસભા ભંગ કરીને બંધારણની કલમ 356 હેઠળ રાષ્ટ્રપતિ...
2024માં 2 લાખથી વધુ ભારતીયોએ નાગરિકતા છોડી, સરકારએ રાજ્યસભામાં આપ્યા આંકડા
કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યસભામાં જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર વર્ષ 2024માં કુલ 2,06,378 ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી છે. વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહे એક સવાલના જવાબમાં આ માહિતી આપી હતી. વર્ષવાર નાગરિકતા છોડનાર ભારતીયોની સંખ્યા: વર્ષ નાગરિકતા છોડનાર લોકો 2019 1,44,017 2020 85,256 2021 1,63,370 2022 2,25,620 2023 2,16,219 2024 2,06,378 આ ડેટાથી સ્પષ્ટ છે...









