રાજ્યમાં ફરી એકવાર શાળાઓને ધમકી મળવાનો ખતરો સર્જાયો છે. ગુજરાત સહિત દેશની કુલ 159 સ્કૂલોને એકસાથે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભરેલો ઇમેલ મળતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. આ ઇમેલ Outjacked50.@gmail.com એકાઉન્ટ પરથી મોકલાયો હતો અને તે 12:59 કલાકે પ્રાપ્ત થયો હતો. સુરતના વેસુ વિસ્તારમાં આવેલી જાણીતી ગોઇન્કા સ્કૂલને પણ બોમ્બ વિસ્ફોટ કરવાની સ્પષ્ટ...
જગદીપ ધનખડનું રાજીનામું રાષ્ટ્રપતિ દ્વારા મંજૂર, વડાપ્રધાન મોદીએ પણ વ્યક્ત કરી પ્રતિક્રિયા
ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સોમવારે સાંજે અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપીને રાજકીય સરગર્મી ઊભી કરી છે. તેમણે સ્વાસ્થ્યને કારણે રાજીનામું આપ્યાનું કારણ આપ્યું છે. આજે 22 જુલાઈના રોજ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે અને ગૃહ મંત્રાલયને આગળની કાર્યવાહી માટે મોકલી આપવામાં આવ્યું છે. આગામી સમયમાં આ સંબંધિત નોટિફિકેશન જાહેર થવાની શક્યતા...
સુપ્રીમ કોર્ટનો ઇડી પર આકરો પ્રહાર: “રાજકારણના પ્યાદા ન બનો, નેતાઓને લડવા દો”
સુપ્રીમ કોર્ટે Enforcement Directorate (ED) પર આકરો પ્રહાર કરતા કહ્યું છે કે એજન્સીએ પોતાનું તટસ્થ વલણ રાખવું જોઈએ અને રાજકારણના પ્યાદા ન બને. વકીલોને સમન્સ મોકલવા બાબતે શરૂ થયેલી સુઓમોટો સુનાવણી દરમિયાન CJI બી. આર. ગવઇ અને ન્યાયાધીશ કે. વિનોદ ચંદ્રને તીખી ટિપ્પણીઓ કરી. અરવિંદ દાતાર અને પ્રતાપ વેણુગોપાલ જેવા વરિષ્ઠ વકીલોને ED દ્વારા સમન્સ...
આધાર કાર્ડ, મતદાર ID કે રાશન કાર્ડથી મતદાર પાત્રતા સાબિત નહીં થાય: ચૂંટણી પંચનું સુપ્રીમ કોર્ટમાં નિવેદન
બિહારમાં ચાલી રહેલા મતદાર યાદી પુનઃસમીક્ષા અભિયાનને લઈને સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચે મહત્વપૂર્ણ દલીલ રજૂ કરી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે આધાર કાર્ડ, વોટર આઈડી અને રાશન કાર્ડ જેવા દસ્તાવેજો મતદાર પાત્રતા ચકાસવા માટે વિશ્વસનીય નથી. આ નિવેદન બિહારમાં વિપક્ષ દ્વારા લગાવવામાં આવેલા આરોપો સામે રજૂ કરાયું છે કે, મતદાર યાદીમાંથી સંદિગ્ધ રીતે નામ...
ટેકનિકલ ખામીના કારણે દિલ્હી-કોલકાત્તા એર ઈન્ડિયા ફ્લાઈટ રદ
એર ઈન્ડિયાની દિલ્હીથી કોલકાત્તા જઈ રહેલી એક ફ્લાઈટ ટેક-ઓફના તત્કાલ પૂર્વે રદ કરી દેવી પડી હતી, કારણ કે વિમાનમાં ટેકનિકલ ખામી જણાઈ હતી. માહિતી અનુસાર, પાયલટે રનવે પર વિમાન ૧૫૫ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી રહ્યું હતું ત્યારે અનિચ્છનીય ખામી જણાતાં તાત્કાલિક બ્રેક લગાવ્યા હતા. અચાનક થંભે ગયેલું વિમાન મુસાફરો માટે ભયજનક અનુભૂતિ બની ગયું...
આરોગ્યનું કારણ કે રાજકીય દબાણ? જગદીપ ધનખડના અચાનક રાજીનામા પર રાજકીય ચર્ચા ગરમ
ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડએ અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ રાજીનામું ચોમાસું સત્ર શરૂ થતાં જ બીજા દિવસે આવ્યું છે, જ્યારે પ્રથમ દિવસે તેઓ સંપૂર્ણ રીતે સક્રિય જોવા મળ્યા હતા. રાજીનામાની પાછળ આરોગ્યનું કારણ આપ્યું છે, પણ આ દાવા પર વિપક્ષ અને રાજકીય પંડિતોએ શંકા વ્યક્ત કરી છે. કોંગ્રેસે...
સંવિધાનના અનુચ્છેદ 67(A) મુજબ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આપ્યું તાત્કાલિક રાજીનામું, સ્વાસ્થ્યને બનાવ્યું કારણ
ભારતના ઉપરાષ્ટ્રપતિ તથા રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે આજે તાત્કાલિક અસરથી પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. મળતી માહિતી અનુસાર, છેલ્લા ઘણા સમયથી તેમનું સ્વાસ્થ્ય સારું ન હોવાથી તેમણે આ નિર્ણય કર્યો છે. રાજીનામું આપતી વખતે તેમણે બંધારણની કલમ 67 (A) નો ઉલ્લેખ કર્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લખેલા પત્રમાં ધનખડે જણાવ્યું હતું કે: “આરોગ્ય સંભાળને...
2006 મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં તમામ 12 આરોપીઓને બોમ્બે હાઈકોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરાયા
મુંબઈને હચમચાવી નાખનાર 2006ના લોકલ ટ્રેન બોમ્બ વિસ્ફોટ કેસમાં બોમ્બે હાઈકોર્ટ દ્વારા એક ઐતિહાસિક ચુકાદો આપતાં તમામ 12 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. 21 જુલાઈ, 2025ના રોજ જસ્ટિસ અનિલ કિલોર અને જસ્ટિસ શ્યામ ચાંડકની બેન્ચે પોતાનો નિર્ણય જાહેર કરતાં કહ્યું કે, આ કેસમાં જે પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા, તે સ્ફટિકસ્પષ્ટ અને વિશ્વસનીય નહોતા....
ભારે વરસાદમાં ટળી મોટી દુર્ઘટના, મુંબઇ એરપોર્ટ પર લેન્ડિંગ બાદ લપસ્યું એર ઇન્ડિયાનું વિમાન
મુંબઈમાં વરસતા વરસાદ વચ્ચે એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. 21 જુલાઈના રોજ કોચીથી મુંબઈ આવી રહેલું એર ઇન્ડિયાનું વિમાન (ફ્લાઇટ નંબર AI2744) મુંબઇ એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન રનવે પર લપસ્યું હતું. ભારે વરસાદ અને ભીના રનવેના કારણે વિમાનનું સંચાલન મુશ્કેલ બન્યું હતું. જોકે, સદનસીબે વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સંપૂર્ણપણે સુરક્ષિત છે...
કેરળના પૂર્વ મુખ્યમંત્રી વી.એસ. અચ્યુતાનંદનનું 101 વર્ષની ઉંમરે નિધન
કેરળના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રખર સામ્યવાદી નેતા વી.એસ. અચ્યુતાનંદનનું તિરુવનંતપુરમની ખાનગી હોસ્પિટલમાં 101 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી બિમાર હતા અને ગયા મહિને હૃદયરોગનો હુમલો થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર હતી અને આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના અવસાનથી કેરળના રાજકારણમાં એક યુગનો અંત થયો...









