ભૂતપૂર્વ કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી અને ભાજપના નેતા મીનાક્ષી લેખી કૈલાશ માનસરોવર યાત્રા દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર, મીનાક્ષી લેખી તિબેટના દાર્ચિન વિસ્તારમાં યાત્રા દરમિયાન ઘોડા પરથી પડી ગયા હતા, જેના પરિણામે તેમની કમરમાં ગંભીર ઈજા થઈ છે. તાત્કાલિક સારવાર માટે તેમને ભારત પરત લાવવામાં આવી રહ્યા છે. આ ઘટના પછી તિબેટથી...
ગુજરાતમાં કામની રાજનીતિનો ઉછાળો: વિરમગામમાં 100થી વધુ કાર્યકરો AAPમાં જોડાયા
અમદાવાદના વિરમગામમાં આમ આદમી પાર્ટી (AAP) માટે એક મહત્વપૂર્ણ ક્ષણ સર્જાઈ છે જ્યાં 100થી વધુ સામાજિક કાર્યકરોએ પાર્ટી સાથે જોડાણ કર્યું છે. AAPના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીના હસ્તે આ કાર્યકરોને ખેસ પહેરાવીને પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું. આગેવાન પીન્ટુભાઈ સહિત અનેક સામાજિક અગ્રણીઓએ AAPની નીતિઓ અને કાર્યશૈલીથી પ્રભાવિત થઈને જોડાણ કરવાનું નક્કી કર્યું છે. ઈસુદાન...
રાજ ઠાકરેના નિવેદન સામે ગુજરાતીઓમાં ઉગ્ર રોષ, પાટીદાર સમાજ મેદાને
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેના વિવાદાસ્પદ નિવેદને ગુજરાતના રાજકીય અને સામાજિક વર્તુળોમાં તોફાન મચાવી દીધું છે. એક જાહેર કાર્યક્રમમાં રાજ ઠાકરેએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. તેમના નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં ભારે રોષ જોવા મળ્યો છે, ખાસ કરીને પાટીદાર સમાજ અને ગુજરાતી સંગઠનો...
‘5 ફાઈટર વિમાનોનું સત્ય શું છે?’ રાહુલ ગાંધીનો મોદીને સવાલ, ટ્રમ્પના દાવા પર માગ્યો જવાબ
તાજેતરમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ દરમિયાન પાંચ ફાઈટર વિમાનો તોડી પાડવામાં આવ્યા હતા. જોકે ટ્રમ્પે સ્પષ્ટ કર્યું નથી કે આ વિમાનો કયા દેશના હતા. ઓપરેશન સિંદૂર પછી સીઝફાયર ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવભર્યા સમયગાળામાં, ભારતે 22 એપ્રિલે ઓપરેશન સિંદૂર હેઠળ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો જવાબ...
રાજ ઠાકરેએ સરદાર પટેલ અને ગુજરાતીઓ પર કરેલા વિવાદિત નિવેદનોથી રોષ
ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે મરાઠીને બચાવવાના નામે એક થયા છે. જોકે હિન્દી વિરોધના નામે બંને નેતાઓ અવારનવાર ગુજરાત વિરોધી નિવેદનો આપી રહ્યા છે. અગાઉ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક મંચ પર હતા ત્યારે પણ ગુજરાત, ગુજરાતના વેપારીઓ તથા ઉદ્યોગો વિરુદ્ધ નિવેદનો આપવામાં આવ્યા હતા. હવે રાજ ઠાકરેએ ફરી ગુજરાત પર નિશાન સાધ્યું છે....
આમ આદમી પાર્ટીને મોટો ઝટકો: ખારરના ધારાસભ્ય અનમોલ ગગન માનનું રાજીનામું, રાજકારણથી લેશે વિરામ
આમ આદમી પાર્ટી માટે પંજાબમાંથી એક મોટો રાજકીય ઘટના સામે આવી છે. પંજાબના ખારરના ધારાસભ્ય અને પૂર્વ પર્યટન મંત્રી અનમોલ ગગન માને વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું છે અને સાથે જ રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય જાહેર કર્યો છે. અનમોલ ગગન માને તેમના સત્તાવાર ટ્વીટમાં લખ્યું: “મારું હૃદય ભારે છે, પણ મેં રાજકારણ છોડવાનો નિર્ણય લીધો છે....
મહિલા સુરક્ષા મામલે મમતા સરકાર પર પ્રધાનમંત્રી મોદીના પ્રહાર
પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ પહેલા પણ બંગાળમાં રાજકીય ઉથલપાથલ તીવ્ર બની છે. વિપક્ષી પાર્ટી ભાજપ સતત મમતા સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે. પીએમ મોદી બંગાળના પ્રવાસે છે. દુર્ગાપુરમાં જાહેર સભાને સંબોધતા તેમણે મમતા સરકાર પર પ્રહારો કર્યા છે. પ્રધાનમંત્રી મોદીએ સ્થળાંતર, બેરોજગારી, મહિલાઓની સુરક્ષા સહિતના અનેક મુદ્દાઓ...
દારૂ કૌભાંડ કેસમાં EDની મોટી કાર્યવાહી; પૂર્વ સીએમ ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્યની ધરપકડ
છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્યની EDએ ધરપકડ કરી છે. દારૂ કૌભાંડ કેસમાં EDએ આ કાર્યવાહી કરી છે. આજે સવારે જ્યારે EDની ટીમે દરોડો પાડ્યો ત્યારે ભૂપેશ બઘેલે પણ ભાજપ પર નિશાન સાધ્યું હતું. બઘેલે ભાજપને ‘સાહેબ’ કહીને સંબોધન કર્યું હતું. તમને જણાવી દઈએ કે EDએ મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં આ કાર્યવાહી કરી છે....
SC પ્રમાણપત્ર મુદ્દે ફડણવીસનું એલાન: હિન્દુ, બૌદ્ધ અને શીખ સિવાયના ધર્મના લોકોને નહીં મળે અનામતનો લાભ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના વિધાન પરિષદમાં મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું કે હવે અનુસૂચિત જાતિ (SC)નો પ્રમાણપત્ર માત્ર હિન્દુ, બૌદ્ધ અને શીખ ધર્મના અનુયાયીઓ માટે જ માન્ય રહેશે. જો અન્ય કોઈ ધર્મના વ્યક્તિએ આ સર્ટિફિકેટ મેળવીને સરકારી સુવિધાઓનો લાભ લીધો હશે તો તે રદ કરવામાં આવશે અને કાયદેસર પગલાં ભરવામાં આવશે. SC સર્ટિફિકેટનો દુરુપયોગ કરનારા...
લીકર કૌભાંડમાં ભૂપેશ બઘેલ પર EDની કાર્યવાહી, પૂર્વ સીએમએ કહ્યું – ‘સાહેબે ED મોકલી દીધી’
છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભૂપેશ બઘેલના ભિલાઈ સ્થિત નિવાસસ્થાને શુક્રવારે (18 જુલાઈ) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દરોડા પાડ્યા છે. આ પગલાં રાજયના બહુચર્ચિત લિકર કૌભાંડ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ દરોડાની જાણકારી પોતે ભૂપેશ બઘેલે X (હવે Twitter) પર આપી હતી. તેમણે લખ્યું, “ED આવી ગઈ છે. આજે વિધાનસભા સત્રનો...









