દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં આવેલા સદ્ભાવના પાર્કમાં બુધવારે બપોરે એક ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ, જેમાં ત્રણ શ્રમિકોના મોત થયા અને ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. દિલ્હી ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ, બિલ્ડિંગ ધરાશાયી થવાની માહિતી મળતા જ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું. કાટમાળની નીચે ફસાયેલા ત્રણ ઈજાગ્રસ્તોને બહાર કાઢીને નજીકની...
Tag: India News
દિલ્હીના CM રેખા ગુપ્તા પર હુમલો: આરોપી સામે હત્યાના પ્રયાસ સહિત 3 કલમો હેઠળ FIR
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર લોકદરબાર દરમિયાન થયેલા હુમલા મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઉત્તરી જિલ્લા પોલીસે આરોપી રાજેશ ખીમજીભાઈ સાકરિયા સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 109(1), 132 અને 221 સહિત કુલ ત્રણ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. આ હુમલાખોર ગુજરાતના રાજકોટનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટનાની તાત્કાલિક બાદ આરોપીને કાબૂમાં...
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીની ચાકૂના ઘા મારવાથી હત્યા, સુરક્ષા પર ઉઠ્યા સવાલ
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં બનેલી ચોંકાવનારી ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. ધોરણ 8માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ પોતાના મિત્રો સાથે મળીને ધોરણ 10ના વિદ્યાર્થી પર ચાકૂથી હુમલો કર્યો, જેમાં તે વિદ્યાર્થીનું મોત થયું. પ્રાથમિક માહિતી મુજબ, થોડા દિવસ પહેલાં ઝઘડાની અદાવત રાખીને આરોપી વિદ્યાર્થીઓએ સ્કૂલમાંથી છૂટ્યા બાદ હુમલો કર્યો હતો. હુમલા...
અંબાલાલ પટેલની આગાહી: આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ
ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, આગામી 48 કલાક રાજ્ય માટે ભારે સાબિત થઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું જોર વધશે, જેના કારણે કેટલીક જગ્યાએ વિનાશક પરિસ્થિતિ સર્જાઈ શકે છે. દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવનની સંભાવના...
ભાવનગરમાં મેઘરાજાનો પ્રહાર: મહુવામાં પૂરની સ્થિતિ
સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ કહેર વરસાવ્યો છે, ખાસ કરીને ભાવનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મહુવા તાલુકામાં પાંચ ઇંચ જેટલો વરસાદ પડતા સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. મહુવાના મોટા જાદરા અને ગુંદરણી ગામ વચ્ચેનો કોઝવે પાણીમાં ગરકાવ થતા બંને ગામનો સંપર્ક તૂટી ગયો હતો. ગ્રાસવો નદીમાં ભારે પૂરના કારણે...
દિલ્હી સીએમ રેખા ગુપ્તા પર હુમલો: આરોપી રાજેશ ખીમજી હિન્દુ ધર્મનો હોવાનું ખુલ્યું
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર 20 ઑગસ્ટ 2025ના રોજ સિવિલ લાઇન્સ સ્થિત સત્તાવાર નિવાસસ્થાને જાહેર સુનાવણી દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ રાજકીય ગલિયારામાં ભારે ખળભળાટ મચાવ્યો છે અને સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઊભા કર્યા છે. માહિતી અનુસાર, રેખા ગુપ્તા લોકોની અરજીઓ સાંભળી રહ્યા હતા ત્યારે રાજકોટના રહેવાસી 41 વર્ષીય રાજેશ ખીમજીએ અરજી...
સૌરાષ્ટ્રમાં માવઠાનો તાંડવ: ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં ધોધમાર વરસાદ, અનેક ડેમ ઓવરફ્લો
સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી માવઠાનો તાંડવ ચાલુ છે. ગીર સોમનાથના તાલાલા, ગીર ગઢડા, સુત્રાપાડા અને કોડીનારમાં ભારે વરસાદ વરસ્યો હતો, જેમાં તાલાલામાં 3 ઈંચ અને ગીર ગઢડામાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. ધોધમાર વરસાદને કારણે તાલાલાના આંબળાસ ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા અને ખેતરો...
અમરેલી દરિયામાં મોટી દુર્ઘટના: 3 બોટ ડૂબી, 17 માછીમારો બચાવાયા, 11 હજુ લાપતા
ગુજરાતના અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયામાં ભારે પવન અને વરસાદને કારણે તોફાન સર્જાતા ત્રણ માછીમારી બોટ ડૂબી જવાની મોટી દુર્ઘટના બની છે. આ બોટોમાં કુલ 28 માછીમારો સવાર હતા, જેમાંથી 17ને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે બાકીના 11 માછીમારો હજુ પણ લાપતા છે. આ ઘટના જાફરાબાદથી લગભગ 18 નોટિકલ માઈલ દૂર બની હતી. કોસ્ટગાર્ડને જાણ...
મહિલા વર્લ્ડકપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત, હરમનપ્રીત કૌર કેપ્ટન અને સ્મૃતિ મંધાના ઉપકપ્ટાન
મહિલા વનડે વર્લ્ડકપ 2025 માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મંગળવારે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરી છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપ હેઠળ અને સ્મૃતિ મંધાના ઉપકપ્ટાન તરીકે ટીમ મેદાનમાં ઉતરશે. ટીમનો લક્ષ્ય પહેલીવાર મહિલા વર્લ્ડકપ જીતવાનો છે. ખાસ વાત એ છે કે રેણુકા સિંહ ઠાકુરની ટીમમાં વાપસી થઈ છે, જ્યારે શેફાલી વર્માને સ્થાન મળ્યું નથી. આ...
ઉષા નાડકર્ણીની ભાવુક વાત: ‘છેલ્લા શ્વાસ સુધી સેટ પર કામ કરવું છે’
લોકપ્રિય સીરિયલ ‘પવિત્ર રિશ્તા’ થી જાણીતી અનુભવી અભિનેત્રી ઉષા નાડકર્ણી, જેમને લોકો ‘ઉષા તાઈ’ તરીકે ઓળખે છે, તેમના જીવન વિશે એક ખુલાસો કર્યો છે. આજે તેઓ પાસે ઘર, ધન બધું હોવા છતાં પણ એકલી રહે છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે તેઓ પરિવારથી દૂર કેમ રહે છે. ઉષા નાડકર્ણી મૂળ કર્ણાટકના વતની છે. બાળપણથી જ...








