ભારતીય રેલવે મુસાફરો માટે એક મોટો ફેરફાર લાવવાની તૈયારીમાં છે. હવે ટ્રેન મુસાફરી દરમ્યાન વિમાન જેવી લગેજ પોલિસી અમલમાં આવશે. જો મુસાફરો નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સામાન લઈ જશે તો તેમને દંડ અથવા વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. અત્યાર સુધી આ નિયમો માત્ર કાગળ પર હતા, પરંતુ હવે રેલવે મંત્રાલય તેને કડકાઈથી લાગુ કરવાની યોજના બનાવી...
Tag: India News
ચીનના વિદેશ મંત્રી વાંગ યી અને એનએસએ અજીત ડોભાલની મુલાકાત: સરહદી શાંતિ અને વ્યૂહાત્મક સહકાર પર ચર્ચા
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે આજે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી. આ મુલાકાત દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનાવવા અને સરહદ પર શાંતિ જાળવવા માટે કેન્દ્રિત રહી. ડોભાલે જણાવ્યું કે બંને દેશોની સરહદ પર શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહ્યું છે, જે એક સકારાત્મક સંકેત છે. ગત વર્ષ ઓક્ટોબરમાં કઝાનમાં નવી...
પ્રધાનમંત્રી વિકસીત ભારત રોજગાર યોજના: પ્રાઈવેટ નોકરીધારો માટે મોટા ફાયદા, જાણો વિગતવાર
કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપ્યા બાદ આજે (19 ઓગસ્ટ) ‘પ્રધાનમંત્રી વિકસીત ભારત રોજગાર યોજના’નું સત્તાવાર પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટના રોજ આ યોજનાની જાહેરાત કરી હતી. શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી મેળવનારાઓ માટે આ યોજના અનેક ફાયદા લઈને આવી છે. યોજના હેઠળ પહેલી ઓગસ્ટથી નોકરી...
કેન્દ્ર સરકારે ઓનલાઈન ગેમિંગ બિલને લીલી ઝંડી આપી, ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં આવશે પારદર્શિતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંગળવારે યોજાયેલી બેઠકમાં કેન્દ્ર સરકારે ઓનલાઈન ગેમિંગ બિલને મંજૂરી આપી છે. આ બિલના માધ્યમથી ઓનલાઈન ગેમિંગને કાયદાકીય નિયંત્રણ હેઠળ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સરકાર અનુસાર, આ પગલાંથી ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં પારદર્શિતા વધશે અને લિસ્ટેડ તેમજ અનલિસ્ટેડ કંપનીઓ પર કડક નિયંત્રણ થશે. બિલ બુધવારે લોકસભામાં રજૂ કરવામાં આવશે. નવા બિલમાં કેટલાક મહત્વના...
વડોદરા કોર્પોરેશનને વિશેષ ગ્રાન્ટ માટે યુટીલીટી મેપિંગ રિપોર્ટ સપ્ટેમ્બર સુધી રજૂ કરવો પડશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ હેઠળ વિશેષ ગ્રાન્ટ મેળવવા રાજ્ય સરકારે તાકીદ કરી છે. અર્બન ડેવલોપમેન્ટ અને અર્બન હાઉસિંગ વિભાગ દ્વારા જણાવ્યા મુજબ, ગ્રાન્ટ મેળવવા માટે જરૂરી સુધારાઓ અને કાર્યવાહી કરવી પડશે. નાણાં મંત્રાલયે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ રાજ્યોને ત્રણ જૂથમાં વહેંચવામાં આવ્યા છે અને વડોદરા કોર્પોરેશનને તેમાં શહેરી આયોજન તથા શાસન સુધારાઓ અમલમાં મુકવાના...
સુરતમાં 32.53 કરોડની હીરા ચોરી: પાંચ તસ્કરો બે રિક્ષામાં ફરાર, ફિંગરપ્રિન્ટથી ખુલશે ભેદ
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી.કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી 32.53 કરોડ રૂપિયાની ચોરીની ઘટનાએ શહેરમાં હાહાકાર મચાવ્યો છે. આ ચોરીમાં 32.48 કરોડના રફ અને પોલિશ્ડ હીરા સાથે 5 લાખ રોકડા રૂપિયા સમાવવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, રવિવારે મધરાત્રિએ પાંચ તસ્કરો બે રિક્ષામાં ગેસ કટર સાથે આવ્યા હતા. એક રિક્ષામાં ત્રણ અને બીજીમાં બે શખ્સો...
એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર કેપ્ટન, ગિલ વાઈસ કેપ્ટન, બુમરાહની એન્ટ્રી પણ થઈ
યુનાઈટેડ અરબ અમીરાત (UAE)માં આવતા મહિને શરૂ થનારા એશિયા કપ 2025 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થઈ ગઈ છે. મંગળવારે (19 ઓગસ્ટ) મુંબઈમાં યોજાયેલી રાષ્ટ્રીય પસંદગી સમિતિની બેઠક બાદ ટીમના ખેલાડીઓના નામ જાહેર કરાયા. આ વખતની ટીમમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. સૂર્યકુમાર યાદવને ટીમનો કેપ્ટન બનાવાયો છે, જ્યારે શુભમન ગિલને વાઈસ કેપ્ટન તરીકે પસંદ...
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએને મોટો ફાયદો, વાયએસઆર કોંગ્રેસે આપ્યું સમર્થન
આંધ્ર પ્રદેશના રાજકારણમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં મોટો ફેરફાર થયો છે. જગન મોહન રેડ્ડીની આગેવાનીવાળી વાયએસઆર કોંગ્રેસ પાર્ટીએ એનડીએના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીના સાંસદ મદ્દિલા ગુરુમૂર્તિએ જણાવ્યું કે તેઓએ આ નિર્ણય પર સહમતી આપી છે. મહત્વની વાત એ છે કે વાયએસઆર કોંગ્રેસ પાસે લોકસભામાં 4 અને રાજ્યસભામાં 7 સાંસદો છે, જે...
ભાદરવી પૂનમ મહામેળો 2025: અંબાજી પદયાત્રી સંઘો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ, જાણો સંપૂર્ણ વિગતો
ભાદરવી પૂનમ મહામેળા 2025 માટે પદયાત્રી સંઘોને હવે ઘરે બેઠા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની સુવિધા ઉપલબ્ધ થઈ છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પદયાત્રી સંઘોની સુવિધા માટે અદ્યતન ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જે બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વ હેઠળ વિકસાવવામાં આવ્યું છે. આ પોર્ટલ પર પદયાત્રી સંઘો વિનામૂલ્યે પોતાનું રજીસ્ટ્રેશન કરી શકશે. ચાલુ...
સુરતમાં 25 કરોડના હીરાની મોટી ચોરી, તસ્કરો CCTV-DVR પણ લઇ ગયા
સુરતના હીરા ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે એક મોટી ચોરીની ઘટના સામે આવી છે. શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી. કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી તસ્કરો 25 કરોડના કિંમતી હીરા અને રોકડ ચોરી કરી ફરાર થઇ ગયા. આ ઘટનાએ સમગ્ર હીરા ઉદ્યોગમાં સનસનાટી મચાવી દીધી છે. પ્રાથમિક માહિતી મુજબ, તસ્કરોએ ત્રણ દિવસની જાહેર રજાનો લાભ લઇને આ...









