નવી દિલ્હી: દિલ્હીની એમ્સને પહેલીવાર ભૂ્રણ દાન મળ્યું છે, જે મેડિકલ ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે. 32 વર્ષીય વંદના જૈનને પાંચમા મહિનામાં ગર્ભપાત થયો હતો, ત્યારબાદ તેમણે અને તેમના પરિવારજનોે ભૂ્રણ દાન કરવાનો નિર્ણય લીધો હતો.
પરિવારના આ નિર્ણય બાદ દેહદાન માટે કાર્યરત સમિતિએ એઇમ્સના અધિકારીઓ તથા એનાટોમી વિભાગ સાથે સંપર્ક કર્યો અને જરૂરી દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરી. સવારે આઠ વાગ્યે સંપર્ક કર્યા બાદ આખો દિવસ ચાલેલી પ્રક્રિયા પૂર્ણ કરીને સાંજે સાત વાગ્યે એઇમ્સે પોતાનું પ્રથમ ભૂ્રણ દાન સ્વીકાર્યું હતું.

એઇમ્સના એનાટોમી વિભાગના ડો. એસ.બી. રાય અને તેમની ટીમે આ પ્રક્રિયામાં માર્ગદર્શન આપ્યું હતું. વિભાગના પ્રોફેસર ડો. સુબ્રત બાસુએ જણાવ્યું કે માનવ શરીર કેવી રીતે વિકસે છે તે સમજવા માટે ભૂ્રણ સંશોધન અત્યંત જરૂરી છે. વિવિધ અંગો કયા તબક્કે અને કેવી રીતે વિકસે છે તે જાણવા આ પ્રકારનું સંશોધન મેડિકલ વિદ્યાર્થીઓ તેમજ વૈજ્ઞાનિકોને ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાની તક આપે છે.
પરિવારે ભૂ્રણ દાન દ્વારા સમાજને મદદરૂપ થવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો. નિષ્ણાતો માનતા છે કે ભવિષ્યમાં આ પ્રકારના દાનથી મેડિકલ સંશોધન અને શિક્ષણ ક્ષેત્રમાં મોટી પ્રગતિ થશે.

Leave a Reply