સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી ડી.કે. એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી 32.53 કરોડ રૂપિયાની ચોરીની ઘટનાએ શહેરમાં હાહાકાર મચાવ્યો છે. આ ચોરીમાં 32.48 કરોડના રફ અને પોલિશ્ડ હીરા સાથે 5 લાખ રોકડા રૂપિયા સમાવવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, રવિવારે મધરાત્રિએ પાંચ તસ્કરો બે રિક્ષામાં ગેસ કટર સાથે આવ્યા હતા. એક રિક્ષામાં ત્રણ અને બીજીમાં બે શખ્સો...
Author: Inside Media Network (Aarohi Patel)
એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર કેપ્ટન, ગિલ વાઈસ કેપ્ટન, બુમરાહની એન્ટ્રી પણ થઈ
યુનાઈટેડ અરબ અમીરાત (UAE)માં આવતા મહિને શરૂ થનારા એશિયા કપ 2025 માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થઈ ગઈ છે. મંગળવારે (19 ઓગસ્ટ) મુંબઈમાં યોજાયેલી રાષ્ટ્રીય પસંદગી સમિતિની બેઠક બાદ ટીમના ખેલાડીઓના નામ જાહેર કરાયા. આ વખતની ટીમમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. સૂર્યકુમાર યાદવને ટીમનો કેપ્ટન બનાવાયો છે, જ્યારે શુભમન ગિલને વાઈસ કેપ્ટન તરીકે પસંદ...
અમેરિકાની વચ્ચે તણાવ છતાં ચીનનો ભારતને મોટો પ્રસ્તાવ, ખાતર-ખનિજ અને ટનલ મશીનો પૂરી પાડવાની ખાતરી
અમેરિકાથી તણાવ વચ્ચે ચીનએ ભારતને મોટો પ્રસ્તાવ આપ્યો છે. ચાઈનીઝ વિદેશ મંત્રી વાંગ યીએ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી અને ભારતની ત્રણ મોટી ચિંતાઓ દૂર કરવાની ખાતરી આપી. સૂત્રો અનુસાર, ચીને ભારતને ખાતર (ફર્ટિલાઇઝર), મહત્વના ખનિજ અને ટનલ ખોદવાની મશીનોની જરૂરીયાત પૂરી કરવાની ખાતરી આપી છે. આ ખાતરી એવા સમયે આવી છે...
પીએમ મોદીના નહેરૂ પર પ્રહાર: ‘દેશ પછી પાણીના ભાગલા પાડ્યા’
નવી દિલ્હીમાં યોજાયેલી એનડીએ સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ પર આક્ષેપ કર્યા હતા. બેઠક દરમિયાન ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનનો ઔપચારિક પરિચય આપવામાં આવ્યો અને મોદીએ તેમને સન્માનિત કર્યા. સંસદ લાઈબ્રેરી બિલ્ડિંગમાં યોજાયેલી આ બેઠકમાં મોદીએ આક્રમક નિવેદન આપતાં કહ્યું કે, “પંડિત જવાહરલાલ નેહરૂએ પહેલા દેશના ભાગલા પાડ્યા...
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષમાં મતભેદ: TMCએ બિન-રાજકીય ઉમેદવારની કરી માંગ
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને NDA અને વિપક્ષી I.N.D.I.A. ગઠબંધન વચ્ચે રાજકીય હલચલ વધી રહી છે. NDAએ મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, જ્યારે વિપક્ષ હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય પર પહોંચ્યો નથી. સૂત્રો મુજબ, તૃણમૂલ કોંગ્રેસ (TMC) માને છે કે ગઠબંધનનો ઉમેદવાર તમિલનાડુમાંથી ન હોવો જોઈએ. સાથે જ TMCએ આ ચૂંટણીમાં બિન-રાજકીય...
રાષ્ટ્રપતિની મર્યાદા નક્કી કરવાનો અધિકાર સુપ્રીમ કોર્ટને નથી: કેન્દ્ર સરકારનું નિવેદન
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રપતિએ બિલોને મંજૂરી આપવા માટેની સમય મર્યાદા નક્કી કરવાનો અધિકાર ન્યાયપાલિકાનો નથી. કેન્દ્રનું માનવું છે કે ન્યાયપાલિકા અને સંસદ બન્નેની સત્તા અલગ છે અને રાષ્ટ્રપતિને બંધારણ દ્વારા આપવામાં આવેલ સ્વતંત્રતા પર કોઈ હસ્તક્ષેપ કરી શકાતો નથી. તમિલનાડુના રાજ્યપાલ દ્વારા વિધાનસભામાં પાસ થયેલા બિલોને લંબાવી...
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચને આપી ચેતવણી: “સત્તા આવ્યા પછી કડક કાર્યવાહી થશે”
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે (18 ઓગસ્ટ) બિહારના ગયાજીમાં યોજાયેલી જાહેર સભા દરમિયાન ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે ચૂંટણી પંચ પર વોટ ચોરી અને મતદાર યાદીમાં છેડછાડ કરવાનો આરોપ મૂક્યો. આ દરમિયાન રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સહિત ત્રણેય કમિશનરોને ચેતવણી આપતા કહ્યું કે, “ત્રણેય ચૂંટણી કમિશનર કાન ખોલીને...
ઝેલેન્સ્કીનો ડ્રેસ કોડ ચર્ચામાં: ટ્રમ્પ સાથે મુલાકાત પહેલાં સૂટ પહેરશે કે નહીં?
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સ્કી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત માટે અમેરિકા પહોંચી ગયા છે. જોકે બેઠક પહેલાં તેમના ડ્રેસને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. એક્સિયોસના રિપોર્ટ મુજબ, વ્હાઇટ હાઉસે પૂછ્યું છે કે ઓવલ ઓફિસમાં યોજાનાર આ બેઠકમાં ઝેલેન્સ્કી સૂટ પહેરશે કે નહીં. બેઠકમાં યુરોપના ટોચના નેતાઓ પણ હાજર રહેશે. અગાઉ માર્ચમાં વ્હાઇટ હાઉસમાં...
પુતિન વિના યુક્રેન યુદ્ધનો ઉકેલ શક્ય નથી : ટ્રમ્પના વિદેશ મંત્રીનું નિવેદન
ન્યૂયોર્ક : અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ સ્પષ્ટ કર્યું છે કે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ઘણા સમયથી વૈશ્વિક સ્તરના અગત્યના નેતા છે અને યુક્રેન યુદ્ધનો ઉકેલ લાવવા માટે અમેરિકા પાસે તેમના સાથે વાતચીત કરવી એ જ એકમાત્ર વિકલ્પ છે. એબીસી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં રૂબિયોએ જણાવ્યું કે પુતિન પાસે વિશાળ પરમાણુ શસ્ત્ર ભંડાર (અંદાજે 5,580) છે...
મુંબઈ એરપોર્ટ પર ટર્મિનલ 2 અને મેટ્રો લાઈન 3ને જોડતો નવો ફુટ ઓવરબ્રિજ શરૂ
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની કનેક્ટિવિટી સુધારવા માટે એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. એરપોર્ટના ટર્મિનલ 2ને મેટ્રો લાઈન 3 સાથે સીધો જોડતો નવો ફુટ ઓવરબ્રિજ કાર્યરત થઈ ગયો છે. અગાઉ મુસાફરોને એરપોર્ટથી મેટ્રો સ્ટેશન સુધી લાંબું અંતર કાપવું પડતું હતું, પરંતુ હવે નવા બ્રિજના કારણે માત્ર 118 મીટર ચાલવાથી મેટ્રો સ્ટેશન પહોંચી શકાય...









