વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ ચેતવણી આપી છે કે ચિકનગુનિયા વાયરસનો ખતરો હવે 119 દેશોમાં ફેલાઈ ગયો છે, જેના કારણે 5.6 અબજ લોકો જોખમ હેઠળ છે. લગભગ 20 વર્ષ પહેલાં તબાહી મચાવનાર આ વાયરસ ફરીથી માથું ઉચકી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ચિકનગુનિયા વાયરસ લા રિયુનિયન, મેયોટ અને મોરેશિયસથી ફેલાઈ મેડાગાસ્કર, સોમાલિયા અને કેન્યા સુધી...
Category: BREAKING NEWS
ધોરણ 9 થી 12 ના પાઠ્યપુસ્તકોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા આધારિત પ્રકરણોનો સમાવેશ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આ શૈક્ષણિક વર્ષથી ધોરણ 9 થી 12 ના પ્રથમ ભાષાના પાઠ્યપુસ્તકોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા પરથી આધારિત મૂલ્યપ્રધાન પ્રકરણોનો સમાવેશ કર્યો છે. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને ઉર્દૂ ભાષાના પ્રથમ ભાષાના પુસ્તકોમાં બે-બે નવા પ્રકરણો ઉમેરાયા છે. આ પહેલનો હેતુ વિદ્યાર્થીઓમાં નૈતિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન કરી ભારતીય પરંપરાગત જ્ઞાન...
ઝારખંડના પૂર્વ સીએમ શિબુ સોરેનનું નિધન
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચા (ઝામુમો)ના સ્થાપક નેતા શિબુ સોરેનનું 81 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા અને દિલ્હીની શ્રી ગંગા રામ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનાથી વધુ સમયથી સારવાર હેઠળ હતા. હોસ્પિટલ તરફથી જણાવાયું કે સોરેનનું નિધન સોમવાર સવારે 8:56 વાગ્યે થયું. કિડનીની ગંભીર...
સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ભારતીય સેનાને લગતા નિવેદન બદલ ફટકાર લગાવી, કાર્યવાહી પર તાત્કાલિક રોક
સુપ્રીમ કોર્ટે આજે લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીને ભારતીય સેનાને લગતા તેમના નિવેદન બદલ કડક શબ્દોમાં ફટકાર લગાવી છે. કોર્ટે જણાવ્યું કે, “જો તમે સાચા ભારતીય હોત, તો આવા પ્રકારના નિવેદનો આપ્યા ન હોત.” સાથે જ લખનઉ કોર્ટમાં ચાલી રહેલી માનહાનિના કેસમાં રાહુલ ગાંધી સામેની કાર્યવાહી પર તાત્કાલિક રોક મૂકી છે. જસ્ટિસ દિપાંકર દત્તા અને...
શ્રીનગર એરપોર્ટ પર હિંસક ઘટના: સૈન્ય અધિકારીએ સ્પાઈસ જેટના 4 સ્ટાફ મેમ્બર્સ પર કર્યો હુમલો, નો-ફ્લાઈ લિસ્ટમાં સામેલ કરવાની કાર્યવાહી શરૂ
શ્રીનગરથી દિલ્હી જતી સ્પાઈસ જેટ ફ્લાઇટ SG-386 ના બોર્ડિંગ ગેટ પર 26 જુલાઈ 2025ના રોજ થયેલી હિંસક ઘટનામાં એક મુસાફરે ચાર સ્ટાફ મેમ્બર્સ પર નિર્દયતાપૂર્વક હુમલો કર્યો હતો. એરલાઇનના જણાવ્યા અનુસાર, હુમલાખોર એક વરિષ્ઠ સૈન્ય અધિકારી હતો, જે 16 કિલો વજનના બે કેબિન બેગ સાથે આવ્યો હતો, જે 7 કિલોની મર્યાદા કરતાં વધુ હતું. જ્યારે...
પહલગામ હુમલા બાદ ભારતીય સેના એક્શન મોડમાં, 6 અથડામણમાં 21 આતંકવાદી ઠાર
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેના સતત મોટી કાર્યવાહી કરી રહી છે. ભારતીય સેના, સીઆરપીએફ, બીએસએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન્સમાં છ અલગ-અલગ અથડામણોમાં કુલ 21 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે, જેમાં 12 પાકિસ્તાની અને 9 સ્થાનિક આતંકીઓ સામેલ છે. કુલગામ ઓપરેશનમાં ત્રણ આતંકી ઠાર: શ્રીનગરથી 70 કિમી દૂર...
સંત પ્રેમાનંદ મહારાજને જાનથી મારવાની ધમકી, યુવકની FB પોસ્ટથી મચ્યો હોબાળો
મધ્યપ્રદેશના સતના જિલ્લામાં એક યુવકે વૃંદાવનના જાણીતા સંત પ્રેમાનંદ મહારાજને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. યુવકે ફેસબુક પર એક કોમેન્ટના જવાબમાં સંતનું ગળું કાપવાની વાત કરી, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ. આ ઘટનાથી હોબાળો મચી ગયો છે અને શ્રદ્ધાળુઓ સાથે સામાજિક સંગઠનો આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે....
બે મતદાર ઓળખપત્ર ના કારણે તેજસ્વી યાદવ મુશ્કેલીમાં, ચૂંટણી પંચે શરૂ કરી તપાસ
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ પર બે અલગ મતદાર ઓળખપત્ર (વોટર આઈડી) હોવાના આરોપો સામે આવ્યા છે. આ મુદ્દે ચૂંટણી પંચે તપાસ શરૂ કરી છે, જેના કારણે તેજસ્વીની મુશ્કેલી વધી ગઈ છે. વિવાદ કેવી રીતે થયો? વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે તેજસ્વી યાદવે દાવો કર્યો...
મણિશંકર અય્યરના નિવેદનથી વિવાદ, પહલગામ હુમલામાં પાકિસ્તાનની સંડોવણી પર સવાલ
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાને લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો કે આ હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાનો કોઈ પુરાવો નથી. અય્યરે જણાવ્યું કે ભારતે 33 દેશોમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલ્યું હતું, પરંતુ કોઈએ પણ પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું નથી. અય્યરે ઓપરેશન સિંદૂર અંગે સરકારને સપોર્ટ કરનારા કોંગ્રેસ નેતા...
અમેરિકામાં ટ્રમ્પની નીતિઓથી મંદીના સંકેત સ્પષ્ટ
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારત સાથે ટ્રેડ ડીલ ન થતાં ભારત અને રશિયાને “ડેડ ઇકોનોમી” ગણાવ્યા, પરંતુ તાજા આંકડા બતાવે છે કે અમેરિકન અર્થતંત્ર પોતે જ મંદીની દિશામાં આગળ વધી રહ્યું છે. ગયા વર્ષે 2.80% વૃદ્ધિદર ધરાવતું અમેરિકન અર્થતંત્ર ટ્રમ્પના શાસનના માત્ર છ મહિનામાં 1.3%થી પણ નીચે પહોંચી ગયું છે. આ પરિસ્થિતિથી સ્પષ્ટ થાય...








