વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને ચૂંટણી પંચ વચ્ચે ફરી એકવાર તૂ તૂ – મે મેં જોવા મળી છે. તાજેતરમાં દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ કર્ણાટકની એક મહિલાને લઇને ડબલ વોટિંગનો આરોપ મૂક્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે, કર્ણાટકની શકુન રાની નામની મહિલાએ બે વખત મતદાન કર્યું છે અને આ વાતને સમર્થન આપતા...
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે INDIA ગઠબંધનએ તૈયારી શરૂ કરી, સંયુક્ત ઉમેદવાર માટે પક્ષોમાં સંવાદ શરૂ
દેશના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આવનારી 9 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાનાર છે, અને તેના માટે શાસક પક્ષ તથા વિપક્ષ બંને પક્ષોએ પોતાના ઉમેદવાર પસંદ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ INDIA ગઠબંધનના તમામ સાથી પક્ષો સાથે ચર્ચા શરૂ કરી છે, જેથી એક સંયુક્ત ઉમેદવારના નામ પર સર્વસંમતિ બની શકે. મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું...
પીએમ મોદીએ પુતિન સાથે કરી ટેલિફોનિક ચર્ચા
અમેરિકા દ્વારા ભારતીય ઉત્પાદનો પર ટેરિફ વધારવામાં આવ્યા બાદ ભારતે BRICS દેશો સાથે વ્યૂહાત્મક સંબંધો મજબૂત કરવાનો માર્ગ અપનાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે શુક્રવારે ટેલિફોનિક વાતચીત કરી હતી. પુતિને યુક્રેન યુદ્ધની હાલની પરિસ્થિતિ અંગે જાણકારી આપી હતી અને પીએમ મોદીએ શાંતિપૂર્ણ ઉકેલની ભારતની સતત ભુમિકા પુનરાવૃત્ત કરી હતી. બંને નેતાઓએ...
અમેરિકા સાથેના રક્ષણ કરાર અને ડિલ અટકાવ્યા હોવાના દાવાને રક્ષા મંત્રાલયે બતાવ્યા ‘ખોટા અને ઘડાયેલા’
ભારતના રક્ષણ મંત્રાલયે એવા તમામ દાવાઓનો ખંડન કર્યો છે જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતે અમેરિકાની સાથે ચાલી રહેલા અથવા આયોજનાધીન રક્ષણ કરાર અને ડિલ અટકાવ્યા છે. મંત્રાલયે સ્પષ્ટ રીતે આ દાવાઓને “ખોટા અને ઘડાયેલા” ગણાવી દેતા કહ્યું છે કે આવાં કોઈ નિર્ણય લેવાયા નથી. તાજેતરમાં કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું હતું કે અમેરિકાના વધતા...
ટ્રમ્પના ટેરિફ વિવાદને પગલે ભારતે અમેરિકાથી હથિયાર અને વિમાનોની ખરીદી અટકાવી
ભારત અને અમેરિકાના વેપાર સંબંધો વચ્ચે ઊભેલા તણાવની અસર હવે રક્ષણ ક્ષેત્રે પણ જોવા મળી રહી છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ઉત્પાદનો પર લાગુ કરેલા વધારાના ટેરિફના પગલે ભારતે અમેરિકાથી નવા હથિયારો અને વિમાનોની ખરીદીની યોજના હાલ માટે અટકાવી દીધી છે. રોઇટર્સના અહેવાલ મુજબ, ભારત સરકારનો આ નિર્ણય ટ્રમ્પના ટેરિફના નિર્ણયથી પેદા થયેલી અસંતોષની...
કેન્દ્ર સરકારે પાછું ખેંચ્યું ઈન્કમ ટેક્સ બિલ 2025, 11 ઓગસ્ટે સુધારેલ નવો ડ્રાફ્ટ આવશે
ચાલું નાણાકીય વર્ષના બજેટમાં ખાસ ચર્ચામાં રહેલું ઈન્કમ ટેક્સ બિલ 2025ને આજે લોકસભામાં સત્તાવાર રીતે પાછું ખેંચવામાં આવ્યું છે. આ બિલનું ઉદ્દેશ 1961ના જૂના આવકવેરા કાયદાને બદલીને વધુ સરળ અને આધુનિક નીતિઓ લાવવાનું હતું. પરંતુ, કેટલાક મુદ્દાઓ પર વધુ સુધારાની જરૂર જણાતા સરકાર આ બિલને પાછું ખેંચી રહી છે. હવે 11 ઓગસ્ટે બૈજયંત પાંડાની અધ્યક્ષતા...
અમદાવાદમાં રખડતા શ્વાનોનો ત્રાસ ચરમસીમાએ, ચાર મહિને 20,000 ડોગ બાઈટના કેસ સામે આવ્યા
અમદાવાદમાં ચોમાસાની ઋતુ શરૂ થતાં શહેરમાં રખડતા શ્વાનોનો ત્રાસ ગૌવંશ જેટલો જ ગંભીર બની ગયો છે. નવા નાણાંકીય વર્ષના પહેલાં ચાર મહિના દરમ્યાન શહેરની વિવિધ વોર્ડ ઓફિસોમાં રખડતા શ્વાનોને લઈને કુલ 3,861 ફરિયાદો નોંધાઈ છે, જેમાંથી એક જ મહિના, એટલે કે જુલાઈમાં 1,395 ફરિયાદો સામે આવી છે. ખાસ કરીને રાત્રિના સમયે ટોળે વળેલા શ્વાનો વાહન...
મોસ્કોમાં પુતિન સાથે NSA ડોભાલની ઉંચસ્તરીય બેઠક, ઉર્જા અને સંરક્ષણ સહકાર પર મહત્વપૂર્ણ ચર્ચા
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે 7 ઓગસ્ટ, 2025ના રોજ મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મહત્ત્વપૂર્ણ બેઠક કરી. આ મુલાકાત ભારત અને રશિયા વચ્ચે ઉર્જા અને સંરક્ષણ ક્ષેત્રે વ્યૂહાત્મક સહયોગ વધારવાનો ઉદ્દેશ રાખી યોજાઈ હતી. ડોભાલ બુધવારે મોસ્કો પહોંચ્યા હતા અને પહેલેથી જ આ સંકેત આપ્યો હતો કે રાષ્ટ્રપતિ પુતિન વર્ષના અંતમાં ભારતની...
ગુજરાતમાં પ્રથમ વખત આલ્બિનો પીળા કાચબાનું રેસ્ક્યૂ, ભારતમાં માત્ર સાતમો કેસ
વડોદરાના તરસાલી-ધનિયાવી રોડ પરથી સૌપ્રથમ વખત એક દુર્લભ પ્રકારનો પીળા રંગનો કાચબો (આલ્બિનો) જોવા મળ્યો છે. આ કાચબો સામાન્ય કાચબાઓ કરતા અલગ અને અનોખો છે કારણ કે તેમાં રંગદ્રવ્યો (મેલેનિન)નું અભાવ હોવાથી તેનો રંગ પીળો છે. ગુજરાત પ્રાણી ક્રુરતા નિવારણ સંસ્થા દ્વારા કાચબાનું રેસ્ક્યૂ કરીને વનવિભાગને સુપરત કરવામાં આવ્યો છે. સંસ્થાના એક્ટિવિસ્ટ રમેશ યાઈશે જણાવ્યુ...
ટ્રમ્પના ટેરિફ વધારા સામે PM મોદીની સ્પષ્ટ ચેતવણી: “ખેડૂતોના હિત માટે ઊંચી કિંમત ચૂકવવા તૈયાર”
અમેરિકા દ્વારા ભારત પર ટેરિફમાં વધારાનો વધુ 25% વધારો કર્યા પછી હવે ભારત પર કુલ 50% રેસિપ્રોકલ ટેરિફ લાગુ પડી ગઈ છે. આ વ્યવસાયિક દબાણ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે, “ખેડૂતોના હિતો અમારા માટે સર્વોચ્ચ છે અને તેના માટે કોઈપણ પ્રકારના દબાણ આગળ ભારત નમતું નહીં.” PM મોદીએ દિલ્હીમાં યોજાયેલી એમ.એસ. સ્વામીનાથન...









