ટ્રમ્પના ટેરિફ વધારા સામે PM મોદીની સ્પષ્ટ ચેતવણી: “ખેડૂતોના હિત માટે ઊંચી કિંમત ચૂકવવા તૈયાર”

ટ્રમ્પના ટેરિફ વધારા સામે PM મોદીની સ્પષ્ટ ચેતવણી: “ખેડૂતોના હિત માટે ઊંચી કિંમત ચૂકવવા તૈયાર”

અમેરિકા દ્વારા ભારત પર ટેરિફમાં વધારાનો વધુ 25% વધારો કર્યા પછી હવે ભારત પર કુલ 50% રેસિપ્રોકલ ટેરિફ લાગુ પડી ગઈ છે. આ વ્યવસાયિક દબાણ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કહ્યું છે કે, “ખેડૂતોના હિતો અમારા માટે સર્વોચ્ચ છે અને તેના માટે કોઈપણ પ્રકારના દબાણ આગળ ભારત નમતું નહીં.”

PM મોદીએ દિલ્હીમાં યોજાયેલી એમ.એસ. સ્વામીનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કરતા જણાવ્યું કે, “અમે ખેડૂતોના હિતો માટે ઊંચી કિંમત ચૂકવવા પણ તૈયાર છીએ. ખેડૂતો, માછીમારો અને પશુપાલકોના હિતો માટે ભારત ક્યારેય સમાધાન નહીં કરે.”

તેમણે ઉમેર્યું કે સરકાર ખેતી ખર્ચ ઘટાડવા અને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી રહી છે. પીએમ સન્માન નિધિ યોજના, પીએમ ફસલ બીમા યોજના, પીએમ કૃષિ સિંચાઈ યોજના જેવી પહેલોથી ખેડૂતોને આત્મબળ, સુરક્ષા અને જરૂરિયાતમંદ ટેકો મળી રહ્યો છે.

દેશમાં મગફળી, સરસવ અને સોયાબીન જેવા પાકોનું ઉત્પાદન રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. ખેડૂતઓ માટે ફૂડ પ્રોસેસિંગ અને સંગ્રહ સુવિધા જેવી વિસ્તૃત સેવાઓ પીએમ કિસાન સંપદા યોજના દ્વારા વિસ્તારી રહી છે.

ટ્રમ્પએ ભારતને ‘ટેરિફ કિંગ’ કહીને રશિયા સાથે વ્યાપાર ચાલુ રાખવા બદલ આ પગલું લીધું છે. પરંતુ આ દબાણ સામે પીએમ મોદીએ સ્પષ્ટ ઈશારો આપ્યા છે કે કૃષિ અને ડેરી ક્ષેત્રના હિતો માટે ભારત કોઈપણ નિર્ણય છતાવગો નહીં કરે.

Leave a Reply

Your email address will not be published.