દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર બુધવારે સવારે જનતા દરબાર દરમિયાન થયેલા હુમલાને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. ભાજપના ધારાસભ્ય હરીશ ખુરાનાએ હુમલાખોરના આમ આદમી પાર્ટી સાથે સંબંધ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ખુરાનાએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે, જેમાં આરોપી ગોપાલ ઇટાલિયા સાથે ઊભેલો દેખાય છે. તેઓએ લખ્યું કે “જે શંકા હતી...
ભડકાઉ ભાષણ કેસમાં અબ્બાસ અંસારીને રાહત, હાઈકોર્ટએ બે વર્ષની સજા રદ કરી
ઉત્તર પ્રદેશની અલ્હાબાદ હાઈકોર્ટે ભડકાઉ ભાષણના કેસમાં ધારાસભ્ય અબ્બાસ અંસારીને મોટી રાહત આપીને બે વર્ષની સજા રદ કરી દીધી છે. અબ્બાસ અંસારી મઉ વિધાનસભા બેઠક પરથી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (SBSP)ના ધારાસભ્ય અને માફિયા મુખ્તાર અંસારીનો પુત્ર છે. હાઈકોર્ટના આ નિર્ણયથી હવે અબ્બાસ ધારાસભ્યનું પદ નહીં ગુમાવે અને મઉ બેઠક પર પેટાચૂંટણી પણ નહીં યોજાય....
શશી થરુરનો કોંગ્રેસથી જુદો મત: 30 દિવસ જેલમાં રહેનારા સીએમ-પીએમને હટાવવાનું બિલ સમર્થન
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશી થરુરે ફરી એકવાર પોતાની પાર્ટીથી જુદો મત વ્યક્ત કર્યો છે. કેન્દ્ર સરકારે સંસદમાં રજૂ કરવાના પ્રસ્તાવિત બિલને થરુરે સમર્થન આપ્યું છે, જેમાં એવી જોગવાઈ છે કે જો વડાપ્રધાન, મુખ્યમંત્રી અથવા મંત્રી કોઈ ગંભીર ગુનાહિત કેસમાં ધરપકડ થયા પછી સતત 30 દિવસથી વધુ ન્યાયિક કસ્ટડીમાં રહે, તો તેમને પદ પરથી...
દિલ્હી સીએમ રેખા ગુપ્તા પર હુમલો: આરોપી રાજેશ ખીમજી હિન્દુ ધર્મનો હોવાનું ખુલ્યું
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર 20 ઑગસ્ટ 2025ના રોજ સિવિલ લાઇન્સ સ્થિત સત્તાવાર નિવાસસ્થાને જાહેર સુનાવણી દરમિયાન હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાએ રાજકીય ગલિયારામાં ભારે ખળભળાટ મચાવ્યો છે અને સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઊભા કર્યા છે. માહિતી અનુસાર, રેખા ગુપ્તા લોકોની અરજીઓ સાંભળી રહ્યા હતા ત્યારે રાજકોટના રહેવાસી 41 વર્ષીય રાજેશ ખીમજીએ અરજી...
પીએમ મોદીના નહેરૂ પર પ્રહાર: ‘દેશ પછી પાણીના ભાગલા પાડ્યા’
નવી દિલ્હીમાં યોજાયેલી એનડીએ સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ પર આક્ષેપ કર્યા હતા. બેઠક દરમિયાન ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનનો ઔપચારિક પરિચય આપવામાં આવ્યો અને મોદીએ તેમને સન્માનિત કર્યા. સંસદ લાઈબ્રેરી બિલ્ડિંગમાં યોજાયેલી આ બેઠકમાં મોદીએ આક્રમક નિવેદન આપતાં કહ્યું કે, “પંડિત જવાહરલાલ નેહરૂએ પહેલા દેશના ભાગલા પાડ્યા...
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષમાં મતભેદ: TMCએ બિન-રાજકીય ઉમેદવારની કરી માંગ
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને NDA અને વિપક્ષી I.N.D.I.A. ગઠબંધન વચ્ચે રાજકીય હલચલ વધી રહી છે. NDAએ મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, જ્યારે વિપક્ષ હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય પર પહોંચ્યો નથી. સૂત્રો મુજબ, તૃણમૂલ કોંગ્રેસ (TMC) માને છે કે ગઠબંધનનો ઉમેદવાર તમિલનાડુમાંથી ન હોવો જોઈએ. સાથે જ TMCએ આ ચૂંટણીમાં બિન-રાજકીય...
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચને આપી ચેતવણી: “સત્તા આવ્યા પછી કડક કાર્યવાહી થશે”
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે (18 ઓગસ્ટ) બિહારના ગયાજીમાં યોજાયેલી જાહેર સભા દરમિયાન ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે ચૂંટણી પંચ પર વોટ ચોરી અને મતદાર યાદીમાં છેડછાડ કરવાનો આરોપ મૂક્યો. આ દરમિયાન રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સહિત ત્રણેય કમિશનરોને ચેતવણી આપતા કહ્યું કે, “ત્રણેય ચૂંટણી કમિશનર કાન ખોલીને...
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં એનડીએને મોટો ફાયદો, વાયએસઆર કોંગ્રેસે આપ્યું સમર્થન
આંધ્ર પ્રદેશના રાજકારણમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં મોટો ફેરફાર થયો છે. જગન મોહન રેડ્ડીની આગેવાનીવાળી વાયએસઆર કોંગ્રેસ પાર્ટીએ એનડીએના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીના સાંસદ મદ્દિલા ગુરુમૂર્તિએ જણાવ્યું કે તેઓએ આ નિર્ણય પર સહમતી આપી છે. મહત્વની વાત એ છે કે વાયએસઆર કોંગ્રેસ પાસે લોકસભામાં 4 અને રાજ્યસભામાં 7 સાંસદો છે, જે...
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ભાજપનો ‘CPR’ માસ્ટરસ્ટ્રોક, DMK અને વિપક્ષ માટે વધી મુશ્કેલી
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ભાજપની આગેવાની હેઠળના NDA એ મહારાષ્ટ્રના રાજ્યપાલ ચંદ્રપુરમ પોન્નુસ્વામી રાધાકૃષ્ણન (CP રાધાકૃષ્ણન)ને ઉમેદવાર જાહેર કર્યા છે. રાધાકૃષ્ણન તમિલનાડુના પ્રભાવશાળી OBC સમુદાયમાંથી આવે છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની પૃષ્ઠભૂમિ ધરાવે છે. તેઓ ભાજપના વરિષ્ઠ નેતા રહી ચૂક્યા છે. ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ સંસદીય બોર્ડની બેઠક અને સાથી પક્ષો સાથે ચર્ચા કર્યા...
રાહુલ ગાંધીનો ચૂંટણી પંચ પર આક્ષેપ: ‘હું અને તેજસ્વી તમારાથી ડરતા નથી’
ચૂંટણી પંચના મુખ્ય કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારની પ્રેસ કોન્ફરન્સ બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે, “હું લોકોને મળ્યો છું જેમના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. બંધારણે આપેલા મતાધિકારને છીનવી લેવામાં આવી રહ્યો છે. મને તો ચૂંટણી પંચ સોગંદનામું આપવા કહે છે, પણ અનુરાગ ઠાકુર...









