Category: POLITICS

Home » POLITICS » Page 9
‘પક્ષ-વિપક્ષ બંને સરખાં’: ‘વોટ ચોરી’ના આરોપ પર ચૂંટણી પંચનું મોટું નિવેદન
Post

‘પક્ષ-વિપક્ષ બંને સરખાં’: ‘વોટ ચોરી’ના આરોપ પર ચૂંટણી પંચનું મોટું નિવેદન

ચૂંટણી પંચે રવિવારે (17 ઓગસ્ટ) પ્રેસ કોન્ફરન્સ યોજીને ‘વોટ ચોરી’ના આરોપો પર મોટું નિવેદન આપ્યું. આ દરમિયાન બિહારમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની પ્રક્રિયા અને રાજકીય પક્ષો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબો આપવામાં આવ્યા. ચૂંટણી પંચે સ્પષ્ટ કહ્યું કે તેના માટે પક્ષ અને વિપક્ષ બંને સમાન છે. મુખ્‍ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું કે, “કોઈપણ...

સંજય રાઉતનો મોટો દાવો: ઉદ્ધવ અને રાજ ઠાકરે સાથે મળીને લડશે મ્યુનિસિપલ ચૂંટણી
Post

સંજય રાઉતનો મોટો દાવો: ઉદ્ધવ અને રાજ ઠાકરે સાથે મળીને લડશે મ્યુનિસિપલ ચૂંટણી

મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો વળાંક આવવાની સંભાવના છે. શિવસેના (યુબીટી) ના સાંસદ સંજય રાઉતે નાસિકમાં જાહેરાત કરી કે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે મળીને મહારાષ્ટ્રની મ્યુનિસિપલ ચૂંટણી લડશે. રાઉતે કહ્યું કે બંને ભાઈઓ મુંબઈ, થાણે, કલ્યાણ-ડોંબિવલી અને નાસિકમાં સાથે લડીને મરાઠી એકતા માટે કામ કરશે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપની સરકારમાં “તાલિબાની વલણ” જોવા મળે છે....

મહારાષ્ટ્ર ચૂંટણીમાં મતચોરીના ગંભીર આક્ષેપ: રાહુલ ગાંધીએ ભાજપ અને ચૂંટણી પંચ પર લગાવ્યા આરોપ
Post

મહારાષ્ટ્ર ચૂંટણીમાં મતચોરીના ગંભીર આક્ષેપ: રાહુલ ગાંધીએ ભાજપ અને ચૂંટણી પંચ પર લગાવ્યા આરોપ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર વિધાનસભા અને કર્ણાટકના કેટલાક મતવિસ્તારોમાં વોટર લિસ્ટમાં ગંભીર ગેરરીતિના આક્ષેપ કરીને ચૂંટણી પંચની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. દિલ્હીમાં યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું કે, બંધારણનો આધાર ‘મત’ છે અને જો મતદારોને યોગ્ય રીતે વોટ આપવાનો અધિકાર નહીં મળે તો લોકશાહીમાં મોટી ખામી ઊભી થાય છે. રાહુલ ગાંધીએ પ્રેઝન્ટેશનની...

‘નરેન્દ્ર મોદી – હિંમત કરો, ટ્રમ્પને જવાબ આપો…’ ટેરિફ મુદ્દે કોંગ્રેસનો મોદી સરકાર પર આક્રોશ
Post

‘નરેન્દ્ર મોદી – હિંમત કરો, ટ્રમ્પને જવાબ આપો…’ ટેરિફ મુદ્દે કોંગ્રેસનો મોદી સરકાર પર આક્રોશ

અમેરિકા અને ભારત વચ્ચે વેપાર સંબંધોમાં ફરી તણાવ સર્જાયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરથી આયાત થતાં ઉત્પાદનો પર વધારાના 25% ટેરિફ લાદવાનો આદેશ સાઇન કર્યો છે, જેના કારણે કુલ ટેરિફ દર 50% સુધી પહોંચી ગયો છે. આ નિર્ણયથી ભારતના નિકાસકારો પર આર્થિક દબાણ વધશે, જ્યારે રાજકીય મોરચે વિપક્ષે મોદી સરકારને ઘેરી લીધી છે....

Post

ઝારખંડના પૂર્વ સીએમ શિબુ સોરેનનું નિધન

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચા (ઝામુમો)ના સ્થાપક નેતા શિબુ સોરેનનું 81 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા અને દિલ્હીની શ્રી ગંગા રામ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનાથી વધુ સમયથી સારવાર હેઠળ હતા. હોસ્પિટલ તરફથી જણાવાયું કે સોરેનનું નિધન સોમવાર સવારે 8:56 વાગ્યે થયું. કિડનીની ગંભીર...

સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ભારતીય સેનાને લગતા નિવેદન બદલ ફટકાર લગાવી, કાર્યવાહી પર તાત્કાલિક રોક
Post

સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ભારતીય સેનાને લગતા નિવેદન બદલ ફટકાર લગાવી, કાર્યવાહી પર તાત્કાલિક રોક

સુપ્રીમ કોર્ટે આજે લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીને ભારતીય સેનાને લગતા તેમના નિવેદન બદલ કડક શબ્દોમાં ફટકાર લગાવી છે. કોર્ટે જણાવ્યું કે, “જો તમે સાચા ભારતીય હોત, તો આવા પ્રકારના નિવેદનો આપ્યા ન હોત.” સાથે જ લખનઉ કોર્ટમાં ચાલી રહેલી માનહાનિના કેસમાં રાહુલ ગાંધી સામેની કાર્યવાહી પર તાત્કાલિક રોક મૂકી છે. જસ્ટિસ દિપાંકર દત્તા અને...

બે મતદાર ઓળખપત્ર ના કારણે તેજસ્વી યાદવ મુશ્કેલીમાં, ચૂંટણી પંચે શરૂ કરી તપાસ
Post

બે મતદાર ઓળખપત્ર ના કારણે તેજસ્વી યાદવ મુશ્કેલીમાં, ચૂંટણી પંચે શરૂ કરી તપાસ

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ પર બે અલગ મતદાર ઓળખપત્ર (વોટર આઈડી) હોવાના આરોપો સામે આવ્યા છે. આ મુદ્દે ચૂંટણી પંચે તપાસ શરૂ કરી છે, જેના કારણે તેજસ્વીની મુશ્કેલી વધી ગઈ છે. વિવાદ કેવી રીતે થયો? વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે તેજસ્વી યાદવે દાવો કર્યો...

મણિશંકર અય્યરના નિવેદનથી વિવાદ, પહલગામ હુમલામાં પાકિસ્તાનની સંડોવણી પર સવાલ
Post

મણિશંકર અય્યરના નિવેદનથી વિવાદ, પહલગામ હુમલામાં પાકિસ્તાનની સંડોવણી પર સવાલ

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાને લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર અય્યરે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો કે આ હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવાનો કોઈ પુરાવો નથી. અય્યરે જણાવ્યું કે ભારતે 33 દેશોમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મોકલ્યું હતું, પરંતુ કોઈએ પણ પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું નથી. અય્યરે ઓપરેશન સિંદૂર અંગે સરકારને સપોર્ટ કરનારા કોંગ્રેસ નેતા...

પ્રજ્વલ રેવન્નાને દુષ્કર્મ કેસમાં આજીવન કેદ અને 10 લાખ રૂપિયાનો દંડ
Post

પ્રજ્વલ રેવન્નાને દુષ્કર્મ કેસમાં આજીવન કેદ અને 10 લાખ રૂપિયાનો દંડ

દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવાયેલા કર્ણાટકના જનતા દળ (સેક્યુલર)ના ભૂતપૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને બેંગલુરુની ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે રચાયેલી સ્પેશિયલ કોર્ટએ 2 ઓગસ્ટ, 2025ના રોજ આજીવન કેદની સજા અને 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સજાની સાથે પીડિતાને 7 લાખ રૂપિયાનું વળતર આપવાનું પણ કોર્ટે જણાવ્યું. ચુકાદો સાંભળીને રેવન્ના કોર્ટમાં ભાવુક બની રડી પડ્યા હતા. આ કેસમાં...

‘મને કંટ્રોલ કરવાનો પ્રયાસ ન કરો’: સંસદમાં પ્રિયંકા ચતુર્વેદી પર ભડક્યા જયા બચ્ચન
Post

‘મને કંટ્રોલ કરવાનો પ્રયાસ ન કરો’: સંસદમાં પ્રિયંકા ચતુર્વેદી પર ભડક્યા જયા બચ્ચન

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન સમાજવાદી પાર્ટીની સાંસદ જયા બચ્ચને સરકાર પર તીખા પ્રહાર કર્યા અને સત્તાધારી પક્ષ પર ગંભીર આક્ષેપો કર્યા. આ દરમિયાન તેમણે શિવસેના (યુબીટી) સાંસદ પ્રિયંકા ચતુર્વેદી પર પણ ગુસ્સો ઠાલવ્યો અને કહ્યું, “પ્રિયંકા, મને કંટ્રોલ કરવાનો પ્રયાસ ન કરો.” ‘સિંદૂર ઉજડી ગયું, તો નામ કેમ રાખ્યું ઓપરેશન...