Author: Inside Media Network (Aarohi Patel)

આસામમાં 5.8 ની તીવ્રતાનો ભૂકંપ, ઉત્તરપૂર્વી રાજ્યોમાં પણ આંચકા અનુભવાયા
Post

આસામમાં 5.8 ની તીવ્રતાનો ભૂકંપ, ઉત્તરપૂર્વી રાજ્યોમાં પણ આંચકા અનુભવાયા

આસામના ગુવાહાટીમાં આજે, 14 સપ્ટેમ્બર સાંજે 4:41 વાગ્યે, 5.8 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (NCS)ના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ આસામના ઉદલગુડીમાં હતું અને તેની ઊંડાઈ આશરે 5 કિલોમીટર નોંધાઈ. આ ભૂકંપના આંચકા આસામમાં જ નહીં, પરંતુ બંગાળ અને પડોશી દેશ ભૂટાન સુધી અનુભવાયા હતા. તેમજ ઉત્તરપૂર્વી રાજ્યો જેવા કે મેઘાલય, નાગાલેન્ડ, મણિપુરમાં પણ...

જયપુરમાં ઓવરસ્પીડ કાર અકસ્માતમાં 7ના કરૂણ મોત, એક જ પરિવારનો સંપુર્ણ વિનાશ
Post

જયપુરમાં ઓવરસ્પીડ કાર અકસ્માતમાં 7ના કરૂણ મોત, એક જ પરિવારનો સંપુર્ણ વિનાશ

રાજસ્થાનના જયપુર શહેરના શિવદાસપુરા વિસ્તારમાં રિંગરોડ પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. રવિવારે થયેલ આ અકસ્માતમાં એક ઓવરસ્પીડ કાર અંડરપાસમાં ખાબકી ગઈ, જેમાં એક જ પરિવારના 7 લોકોના મોત થયા. દુર્ઘટનામાં બે બાળકો અને બે મહિલાઓ પણ સામેલ છે, જેના કારણે પરિવારમાં અને તેમના ગામમાં શોકનો માહોલ છે. માહિતી અનુસાર, કાલૂરામ પોતાના પરિવાર સાથે...

હૈદરાબાદની ખાનગી શાળામાંથી ડ્રગ ફેક્ટરીનો પર્દાફાશ, ડિરેક્ટર સહિત 3ની ધરપકડ
Post

હૈદરાબાદની ખાનગી શાળામાંથી ડ્રગ ફેક્ટરીનો પર્દાફાશ, ડિરેક્ટર સહિત 3ની ધરપકડ

હૈદરાબાદ: શહેરની એક ખાનગી શાળામાં ચાલી રહેલા મોટા ડ્રગ રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે મેધા સ્કૂલના ડિરેક્ટર માલેલા જયા પ્રકાશ ગૌડ સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓએ શાળાના વર્ગખંડો અને પ્રતિબંધિત વિસ્તારોમાં કેમિકલ રિએક્ટર અને ડ્રાયર્સ લગાવી અલ્પ્રાઝોલમ નામનું પ્રતિબંધિત ડ્રગ બનાવવાનું ગેરકાયદેસર ઉત્પાદન શરૂ કર્યું હતું. તેલંગાણા પોલીસની એલીટ એક્શન ગ્રુપ ફોર...

અસામમાં PM મોદીનો કોંગ્રેસ પર કટાક્ષ: “કોઈ મને ગમે તેટલી ગાળો આપે, હું બધું ઝેર પચાવી જઉ છું.”
Post

અસામમાં PM મોદીનો કોંગ્રેસ પર કટાક્ષ: “કોઈ મને ગમે તેટલી ગાળો આપે, હું બધું ઝેર પચાવી જઉ છું.”

દરાંગ (અસામ): વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે આસામના દરાંગ જિલ્લામાં રૂ. 6300 કરોડના હેલ્થકેર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું. તેમણે દરાંગ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, નર્સિંગ કોલેજ અને જીએનએમ સ્કૂલના બાંધકામની શરૂઆત કરી જેમાં રૂ. 570 કરોડનું રોકાણ થવાનું છે. જનસભાને સંબોધતા વડાપ્રધાને પોતાને ભગવાન શિવનો ભક્ત ગણાવ્યો અને કહ્યું કે, “કોઈ મને ગમે...

લખનઉ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: ઈન્ડિગો ફ્લાઈટ ટેકઑફ વખતે રોકાઈ, 151 યાત્રીઓ સુરક્ષિત
Post

લખનઉ એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: ઈન્ડિગો ફ્લાઈટ ટેકઑફ વખતે રોકાઈ, 151 યાત્રીઓ સુરક્ષિત

લખનઉ: ઉત્તર પ્રદેશના લખનઉ એરપોર્ટ પર રવિવારે સવારે મોટી દુર્ઘટના ટળી હતી. દિલ્હી જતી ઈન્ડિગો ફ્લાઈટ ટેકઑફ દરમિયાન અચાનક રનવે પર અટકી ગઈ હતી. કેપ્ટનની સમયસૂચકતા અને તકેદારીને કારણે વિમાનમાં સવાર 151 યાત્રીઓનો જીવ બચી ગયો હતો. આ ફ્લાઈટમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની પત્ની અને સાંસદ ડિમ્પલ યાદવ પણ સવાર હતા. મીડિયા સૂત્રો અનુસાર,...

શાહરૂખ ખાન 30 વર્ષની ફિલ્મ કારકિર્દીમાં પ્રથમ નેશનલ ફિલ્મ એવોર્ડથી સમ્માનિત થશે
Post

શાહરૂખ ખાન 30 વર્ષની ફિલ્મ કારકિર્દીમાં પ્રથમ નેશનલ ફિલ્મ એવોર્ડથી સમ્માનિત થશે

બોલીવુડના કિંગ શાહરૂખ ખાન 30 વર્ષની ફિલ્મી કારકિર્દીમાં પ્રથમ વખત નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત થવા જઈ રહ્યા છે. ફિલ્મી ઇન્ડસ્ટ્રીમાં અનેક સુપરહિટ ફિલ્મો આપનાર શાહરૂખ ખાન માટે આ એવોર્ડ વિશેષ મહત્ત્વ ધરાવે છે, કારણ કે અત્યાર સુધી તેમણે ઘણા વર્ષો દરમિયાન ફિલ્મી પ્રતિષ્ઠા અને લોકપ્રિયતા મેળવવા છતાં નેશનલ લેવલનો આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવ્યો નથી.  ...

પહલગામ પીડિતોનો આક્રોશ: “પાકિસ્તાન સાથે મેચ નહીં, પહેલા અમારા ઘા ભરો”
Post

પહલગામ પીડિતોનો આક્રોશ: “પાકિસ્તાન સાથે મેચ નહીં, પહેલા અમારા ઘા ભરો”

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો એશિયા કપમાં રમાનાર ભારત-પાકિસ્તાન મેચનો સખત વિરોધ કરી રહ્યા છે. પીડિત પરિવારોનું કહેવું છે કે જ્યારે પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ 26 નિર્દોષ પ્રવાસીઓને નિશાન બનાવી ગોળી મારી દીધી હતી, ત્યારે પાકિસ્તાન સાથે કોઈપણ પ્રકારનો સંબંધ રાખવો યોગ્ય નથી. પહલગામ હુમલામાં પિતા અને ભાઈને ગુમાવનારા સાવન...

નારોલ વીજકરંટ દુર્ઘટના: મોટા અધિકારીઓ બચાવાયા, નાના કર્મચારીઓ સામે કાર્યવાહીથી ચર્ચા તીવ્ર
Post

નારોલ વીજકરંટ દુર્ઘટના: મોટા અધિકારીઓ બચાવાયા, નાના કર્મચારીઓ સામે કાર્યવાહીથી ચર્ચા તીવ્ર

અમદાવાદના નારોલ વિસ્તારમાં થયેલી કાળજું કંપાવી દે તેવી દુર્ઘટનામાં પાણી ભરાયેલા ખાબોચિયામાં વીજ કરંટ લાગતાં પતિ-પત્નીના મોત થયા હતા. આ ઘટનાએ શહેરમાં હલચલ મચાવી દીધી છે. હવે આ કેસમાં ચર્ચા ચાલી રહી છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન અને વીજ કંપનીએ મોટા અધિકારીઓને બચાવવા માટે નાના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરને બલીનો બકરો બનાવી દીધા છે. પોલીસે કોર્પોરેશનના એન્જિનિયર,...

ક્રેશ લેન્ડિંગમાં જાનહાની અટકાવવા વિમાન માટે એઆઇ આધારિત એરબેગ કવચ તૈયાર
Post

ક્રેશ લેન્ડિંગમાં જાનહાની અટકાવવા વિમાન માટે એઆઇ આધારિત એરબેગ કવચ તૈયાર

અમદાવાદના વિમાન અકસ્માત પછી વિમાન સુરક્ષાને લઈ મહત્વપૂર્ણ સંશોધન આગળ વધ્યું છે. દુબઈ સ્થિત બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ સાયન્સના બે એન્જિનિયર્સ – એશેલ વસીમ અને ધર્શન શ્રીનિવાસન –એ વિમાન માટે ખાસ સુરક્ષા કવચ ડિઝાઇન કર્યું છે જે ક્રેશ લેન્ડિંગ પહેલાં જ ખૂલી જશે. આ કવચ એરબેગ જેવું કામ કરશે અને વિમાનને સંપૂર્ણ રીતે ઢાંકી...

અમદાવાદમાં બિલ્ડર હિંમત રૂદાણીની ક્રૂર હત્યા: વિરાટનગર બ્રિજ નીચે કારમાંથી લાશ મળી
Post

અમદાવાદમાં બિલ્ડર હિંમત રૂદાણીની ક્રૂર હત્યા: વિરાટનગર બ્રિજ નીચે કારમાંથી લાશ મળી

અમદાવાદમાં હત્યાની એક વધુ ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિરાટનગર બ્રિજ નીચે એક કારમાંથી બિલ્ડર હિંમત રૂદાણીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ પર તીક્ષ્ણ હથિયારથી અનેક ઘા ઝીંકવામાં આવ્યા હતા. ઘટના અંગે જાણ થતા જ ઓઢવ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક માહિતી મુજબ, વિરાટનગર બ્રિજ નીચે...