Indian Politics Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/indian-politics/ Latest News: Today’s News, Top News Headlines, Breaking News India, World News, Entertainment News, Sports News | Latest News Today | Gujarat Inside Fri, 19 Sep 2025 12:12:02 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.9.4 https://www.gujaratinside.com/wp-content/uploads/2025/06/cropped-GUJARAT-32x32.png Indian Politics Archives - Gujarat Inside - Latest News Today https://www.gujaratinside.com/tag/indian-politics/ 32 32 ચૂંટણી પંચની મોટી કાર્યવાહી : છેલ્લા 6 વર્ષથી ચૂંટણી ન લડનારા 474 રાજકીય પક્ષોની નોંધણી રદ, કુલ સંખ્યા 808 સુધી પહોંચી https://www.gujaratinside.com/2025/09/19/election-commission-deregisters-474-political-parties/ https://www.gujaratinside.com/2025/09/19/election-commission-deregisters-474-political-parties/#respond Fri, 19 Sep 2025 13:05:53 +0000 https://www.gujaratinside.com/?p=19627 ચૂંટણી પંચે નોંધપાત્ર પગલું ભરતાં છેલ્લા છ વર્ષથી ચૂંટણી ન લડનારા 474 નોંધાયેલ રાજકીય પક્ષોની નોંધણી રદ કરી છે. આ કાર્યવાહી લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 મુજબ કરવામાં આવી છે, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈપણ રાજકીય પક્ષે પોતાની માન્યતા જાળવવા માટે નિયમિતપણે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવું આવશ્યક છે. આગસ્ટ 2025થી અત્યાર સુધી કુલ 808...

The post ચૂંટણી પંચની મોટી કાર્યવાહી : છેલ્લા 6 વર્ષથી ચૂંટણી ન લડનારા 474 રાજકીય પક્ષોની નોંધણી રદ, કુલ સંખ્યા 808 સુધી પહોંચી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ચૂંટણી પંચે નોંધપાત્ર પગલું ભરતાં છેલ્લા છ વર્ષથી ચૂંટણી ન લડનારા 474 નોંધાયેલ રાજકીય પક્ષોની નોંધણી રદ કરી છે. આ કાર્યવાહી લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 મુજબ કરવામાં આવી છે, જેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈપણ રાજકીય પક્ષે પોતાની માન્યતા જાળવવા માટે નિયમિતપણે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવું આવશ્યક છે.

આગસ્ટ 2025થી અત્યાર સુધી કુલ 808 પક્ષોની નોંધણી રદ કરવામાં આવી છે. પહેલો તબક્કો 9 ઓગસ્ટે પૂર્ણ થયો હતો, જ્યારે બીજો તબક્કો 18 સપ્ટેમ્બરે કરવામાં આવ્યો હતો.

ચૂંટણી પંચે જણાવ્યું કે ઘણા પક્ષો છેલ્લા છ વર્ષથી કોઈપણ ચૂંટણીમાં ભાગ લીધા વગર કર મુક્તિ અને અન્ય સરકારી છૂટછાટોનો લાભ લઈ રહ્યા હતા. આવા પક્ષો સામે આ પગલું લેવાયું છે.

રાજકીય પક્ષોની નોંધણી માટેની માર્ગદર્શિકાઓ મુજબ, જો કોઈ પક્ષ સતત છ વર્ષ સુધી કોઈપણ પ્રકારની ચૂંટણીમાં ભાગ લેતો નથી, તો ચૂંટણી પંચને તેની નોંધણી રદ કરવાનો અધિકાર છે.

આ કાર્યવાહીનો હેતુ રાજકીય વ્યવસ્થામાં પારદર્શિતા જાળવવાનો અને ખોટી રીતે છૂટછાટો મેળવતા પક્ષોને દૂર કરવાનો છે.

 

The post ચૂંટણી પંચની મોટી કાર્યવાહી : છેલ્લા 6 વર્ષથી ચૂંટણી ન લડનારા 474 રાજકીય પક્ષોની નોંધણી રદ, કુલ સંખ્યા 808 સુધી પહોંચી appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/19/election-commission-deregisters-474-political-parties/feed/ 0
રાહુલ ગાંધીનો મોટો આક્ષેપ: ચૂંટણી પંચ મતદાર યાદીમાંથી નામ ડિલીટ કરી રહ્યું છે, અંદરની માહિતી મળી રહી છે https://www.gujaratinside.com/2025/09/18/rahul-gandhi-claims-election-commission-deleting-voter-names/ https://www.gujaratinside.com/2025/09/18/rahul-gandhi-claims-election-commission-deleting-voter-names/#respond Thu, 18 Sep 2025 11:00:35 +0000 https://www.gujaratinside.com/?p=19531 કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મતદાર યાદીમાંથી નામ ડિલીટ થવાના મુદ્દે ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે દાવો કર્યો કે ચૂંટણી પંચ જાણી જોઈને લોકોને નિશાન બનાવી તેમના નામ યાદીમાંથી કાઢી રહ્યું છે અને તે માટે અન્ય મોબાઇલ નંબરનો ઉપયોગ થઈ રહ્યો છે. રાહુલના જણાવ્યા મુજબ હવે ચૂંટણી પંચની અંદરથી લોકો તેમના સંપર્કમાં...

The post રાહુલ ગાંધીનો મોટો આક્ષેપ: ચૂંટણી પંચ મતદાર યાદીમાંથી નામ ડિલીટ કરી રહ્યું છે, અંદરની માહિતી મળી રહી છે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મતદાર યાદીમાંથી નામ ડિલીટ થવાના મુદ્દે ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે દાવો કર્યો કે ચૂંટણી પંચ જાણી જોઈને લોકોને નિશાન બનાવી તેમના નામ યાદીમાંથી કાઢી રહ્યું છે અને તે માટે અન્ય મોબાઇલ નંબરનો ઉપયોગ થઈ રહ્યો છે. રાહુલના જણાવ્યા મુજબ હવે ચૂંટણી પંચની અંદરથી લોકો તેમના સંપર્કમાં આવી માહિતી આપી રહ્યા છે.

પ્રેસ કોન્ફરન્સમાં રાહુલે કહ્યું, “હવે અંદરની માહિતી બહાર આવી રહી છે, જે અગાઉ ક્યારેય મળતી ન હતી. ભારતના યુવાનો મત ચોરી સહન નહીં કરે. એકવાર યુવાનોને ખબર પડશે કે મત ચોરી થઈ રહી છે, તો તેઓ તેને રોકવા આગળ આવશે.”

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે તેઓ ટૂંક સમયમાં પુરાવા સાથે આ મુદ્દે મોટું ખુલાસું કરશે. “હું પાયો નાખી રહ્યો છું, ટૂંક સમયમાં ‘હાઇડ્રોજન બોમ્બ’ ફોડવામાં આવશે જેમાં બધું બ્લેક એન્ડ વ્હાઇટમાં હશે,” એમ તેમણે જણાવ્યું.

રાહુલે ચૂંટણી પંચને એક અઠવાડિયાનું અલ્ટીમેટમ આપ્યું છે અને જણાવ્યું કે કર્ણાટક સીઆઈડી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ સાત દિવસમાં આપવા પડશે, નહીં તો જનતાનો વિશ્વાસ ચૂંટણી પંચ પરથી ઊંડી અસર પામશે.

તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણી કમિશનર મત ચોરીની સંપૂર્ણ જાણ રાખે છે છતાં કાર્યવાહી કરવા બદલે જવાબદાર લોકોને બચાવી રહ્યા છે.

 

The post રાહુલ ગાંધીનો મોટો આક્ષેપ: ચૂંટણી પંચ મતદાર યાદીમાંથી નામ ડિલીટ કરી રહ્યું છે, અંદરની માહિતી મળી રહી છે appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/18/rahul-gandhi-claims-election-commission-deleting-voter-names/feed/ 0
પટણા હાઈકોર્ટનો કોંગ્રેસને ઝાટકો: પીએમ મોદીની માતાનો AI વીડિયો સોશિયલ મીડિયા પરથી દૂર કરવાનો આદેશ https://www.gujaratinside.com/2025/09/17/patna-high-court-orders-removal-of-pm-modi-mother-ai-video/ https://www.gujaratinside.com/2025/09/17/patna-high-court-orders-removal-of-pm-modi-mother-ai-video/#respond Wed, 17 Sep 2025 12:40:13 +0000 https://www.gujaratinside.com/?p=19495 બિહાર ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો આપતાં પટણા હાઈકોર્ટે પીએમ મોદીની માતાનો AI વીડિયો સોશિયલ મીડિયા પરથી દૂર કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે આ મામલે સુનાવણી કરીને સ્પષ્ટ કર્યું કે કોંગ્રેસે બનાવેલો વીડિયો તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવવો પડશે. આ વીડિયો કોંગ્રેસ દ્વારા તાજેતરમાં જ બહાર પાડવામાં આવ્યો હતો જેમાં પીએમ મોદીની માતા...

The post પટણા હાઈકોર્ટનો કોંગ્રેસને ઝાટકો: પીએમ મોદીની માતાનો AI વીડિયો સોશિયલ મીડિયા પરથી દૂર કરવાનો આદેશ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
બિહાર ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો આપતાં પટણા હાઈકોર્ટે પીએમ મોદીની માતાનો AI વીડિયો સોશિયલ મીડિયા પરથી દૂર કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે આ મામલે સુનાવણી કરીને સ્પષ્ટ કર્યું કે કોંગ્રેસે બનાવેલો વીડિયો તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવવો પડશે.

આ વીડિયો કોંગ્રેસ દ્વારા તાજેતરમાં જ બહાર પાડવામાં આવ્યો હતો જેમાં પીએમ મોદીની માતા તેમના સપનામાં આવીને વાતચીત કરતી બતાવવામાં આવી હતી. ભાજપે આ વીડિયો સામે તીખી પ્રતિક્રિયા આપી હતી.

ભાજપ નેતા શહજાદ પૂનાવાલાએ કોંગ્રેસ પર આકરી ટીકા કરતા કહ્યું કે કોંગ્રેસ ફરી એકવાર પીએમ મોદીની માતાનો અપમાન કરી રહી છે. તેમણે જણાવ્યું, “આ હવે ગાંધીની કોંગ્રેસ નથી, પરંતુ અપમાન કરતી કોંગ્રેસ બની ગઈ છે.”

ભાજપના નેતા શાહનવાઝ હુસૈને પણ કોંગ્રેસને આ વીડિયો બદલ માફી માંગવાની માંગ કરી અને કહ્યું કે કોંગ્રેસે પીએમ મોદીની માતાનો અપમાન કર્યો છે, જે હવે આ દુનિયામાં નથી.

પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ પણ પીએમ મોદીને પત્ર લખીને આ વીડિયોને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ટેકનોલોજીના દુરુપયોગનો ઉલ્લેખ કર્યો અને આવા AI વીડિયોના ઉપયોગ પર નિયંત્રણ માટે નિયમો ઘડવાની માંગ કરી.

તેમણે જણાવ્યું કે વીડિયોમાં બતાવેલો સંવાદ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ નથી અને તે દુઃખદ છે.

ગયા મહિને પણ પીએમ મોદી અને તેમની માતાને લઈને વિવાદ ઉભો થયો હતો જ્યારે દરભંગામાં એક કાર્યક્રમ દરમિયાન અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને પણ ભાજપે કોંગ્રેસ અને આરજેડી પર આક્રમક વલણ અપનાવ્યું હતું.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે, “મારી માતા હવે આ દુનિયામાં નથી, છતાં કોંગ્રેસ અને આરજેડી પ્લેટફોર્મ પરથી તેમના પર દુર્વ્યવહાર કરવામાં આવ્યો, જે અત્યંત દુઃખદ છે.”

 

The post પટણા હાઈકોર્ટનો કોંગ્રેસને ઝાટકો: પીએમ મોદીની માતાનો AI વીડિયો સોશિયલ મીડિયા પરથી દૂર કરવાનો આદેશ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/17/patna-high-court-orders-removal-of-pm-modi-mother-ai-video/feed/ 0
PM મોદી મણિપુર માટે જઈ રહ્યા છે, પરંતુ રાહુલ ગાંધી કહે છે ‘વોટ ચોરી’ સૌથી મોટો મુદ્દો https://www.gujaratinside.com/2025/09/12/rahul-gandhi-attack-pm-modi-manipur-visit/ https://www.gujaratinside.com/2025/09/12/rahul-gandhi-attack-pm-modi-manipur-visit/#respond Fri, 12 Sep 2025 13:02:27 +0000 https://www.gujaratinside.com/?p=19258 વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 13 સપ્ટેમ્બરે મિઝોરમ અને મણિપુરની મુલાકાત પર જઈ રહ્યા છે, જેમાં તેઓ મણિપુરમાં રૂ. 8500 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને હિંસાથી પ્રભાવિત વિસ્તારોના લોકો સાથે મુલાકાત કરશે. આ પ્રસંગે કોંગ્રેસના નેતા અને લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર તીવ્ર પ્રહાર કર્યો છે. તેમણે જણાવ્યું કે, “મણિપુરની મુલાકાત સારું પગલું...

The post PM મોદી મણિપુર માટે જઈ રહ્યા છે, પરંતુ રાહુલ ગાંધી કહે છે ‘વોટ ચોરી’ સૌથી મોટો મુદ્દો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 13 સપ્ટેમ્બરે મિઝોરમ અને મણિપુરની મુલાકાત પર જઈ રહ્યા છે, જેમાં તેઓ મણિપુરમાં રૂ. 8500 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને હિંસાથી પ્રભાવિત વિસ્તારોના લોકો સાથે મુલાકાત કરશે.

આ પ્રસંગે કોંગ્રેસના નેતા અને લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર તીવ્ર પ્રહાર કર્યો છે.

તેમણે જણાવ્યું કે, “મણિપુરની મુલાકાત સારું પગલું છે, પરંતુ દેશનો મુખ્ય મુદ્દો આજે ‘વોટ ચોરી’ છે. હરિયાણા અને મહારાષ્ટ્રમાં જનાદેશની ચોરી કરવામાં આવી છે અને દેશભરના લોકો વડાપ્રધાનને વોટ ચોર કહી રહ્યા છે.” રાહુલ ગાંધી પહેલાથી જ અનેક વખત મણિપુરની મુલાકાત લઈને ત્યાંના પીડિતો સાથે મુલાકાત કરી તેમની ચિંતાઓ સંસદમાં ઉઠાવી ચૂક્યા છે.

મણિપુરમાં મે 2023માં કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચે થયેલા હિંસાત્મક સંઘર્ષમાં અત્યાર સુધીમાં 260થી વધુ લોકોના મોત થયા છે અને હજારો પરિવારો સ્થળાંતર માટે મજબૂર બન્યા છે.

રાજ્યમાં તણાવપૂર્ણ પરિસ્થિતિને કારણે ફેબ્રુઆરીમાં મુખ્યમંત્રી એન. બિરેનસિંહે રાજીનામું આપ્યા બાદ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું હતું. વડાપ્રધાન મોદી આ પહેલીવાર મણિપુર જઈ રહ્યા છે અને તેમના કાર્યક્રમમાં ચુરાચાંદપુર તથા ઈમ્ફાલના પ્રતિકાત્મક વિસ્તારોની મુલાકાત તેમજ પીડિતો માટે રાહત પેકેજ જાહેર કરવાની સંભાવના છે.

નિષ્ણાતો માને છે કે, આ મુલાકાતથી બંને સમુદાયો વચ્ચે વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા તેમજ માનવીય-રાજકીય સંકટમાં સ્થિરતા લાવવા પ્રયત્ન થશે. વડાપ્રધાન ઈમ્ફાલના કાંગલા કિલ્લામાં જાહેર સભાને સંબોધિત કરશે, ત્યારબાદ તેઓ 15 સપ્ટેમ્બરે મિઝોરમ જશે.

 

The post PM મોદી મણિપુર માટે જઈ રહ્યા છે, પરંતુ રાહુલ ગાંધી કહે છે ‘વોટ ચોરી’ સૌથી મોટો મુદ્દો appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/12/rahul-gandhi-attack-pm-modi-manipur-visit/feed/ 0
સીપી રાધાકૃષ્ણને અપાયું દેશના 15મા ઉપરાષ્ટ્રપતિનું પદ, ભવ્ય શપથ સમારોહ https://www.gujaratinside.com/2025/09/12/cp-radhakrishnan-15th-vice-president-india/ https://www.gujaratinside.com/2025/09/12/cp-radhakrishnan-15th-vice-president-india/#respond Fri, 12 Sep 2025 05:41:49 +0000 https://www.gujaratinside.com/?p=19217 નવી દિલ્હી: સીપી રાધાકૃષ્ણન આજે દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. રાજ્યપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ ગ્રહણ કરાવ્યું, જયાં પીએમ નરેન્દ્ર મોદી, રક્ષણમંત્રી રાજનાથ સિંહ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા. મહત્વપૂર્ણ છે કે જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યા બાદ આ કાર્યક્રમમાં પહેલીવાર ભાગ લીધો. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં સીપી રાધાકૃષ્ણને એનડીએ ઉમેદવાર...

The post સીપી રાધાકૃષ્ણને અપાયું દેશના 15મા ઉપરાષ્ટ્રપતિનું પદ, ભવ્ય શપથ સમારોહ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
નવી દિલ્હી: સીપી રાધાકૃષ્ણન આજે દેશના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. રાજ્યપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શપથ ગ્રહણ કરાવ્યું, જયાં પીએમ નરેન્દ્ર મોદી, રક્ષણમંત્રી રાજનાથ સિંહ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા. મહત્વપૂર્ણ છે કે જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યા બાદ આ કાર્યક્રમમાં પહેલીવાર ભાગ લીધો.

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં સીપી રાધાકૃષ્ણને એનડીએ ઉમેદવાર તરીકે ભાગ લીધો હતો અને તેમને 452 મત મળ્યા, જયાં વિરોધ પક્ષના બી. સુદર્શન રેડ્ડીને 152 મતથી હરનો સામનો કરવો પડ્યો. આ ચૂંટણીમાં લગભગ 15 વિપક્ષી સાંસદોએ ક્રોસ-વોટિંગ કર્યું હોવાનું નોંધાયું.

સીપી રાધાકૃષ્ણને 1978માં થુથુકુડીમાં કે.વી.ઓ. ચિદમ્બરમ કોલેજ (મદુરાઈ યુનિવર્સિટી સાથે જોડાયેલ)માંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (બિબીએ)માં ડિગ્રી મળી હતી. તેઓ ટેબલ ટેનિસ ચેમ્પિયન અને ક્રિકેટ, વોલીબોલમાં રસ ધરાવતા ખેલાડી રહ્યા છે.

તેમણે 1998 અને 1999માં કોઈમ્બતુરથી બે વાર લોકસભામાં ચૂંટાયા હતા અને કાપડ મંત્રાલય પર સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ રહ્યા છે.

પક્ષ સંગઠનમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. 1996માં તેમણે ભાજપના તમિલનાડુ એકમના સચિવ તરીકે કાર્ય શરૂ કર્યું અને 2007માં પ્રદેશ પ્રમુખ તરીકે 93 દિવસમાં 19,000 કિલોમીટર લાંબી રથયાત્રા યોજી, જેમાં નાગરિક સમાનતા, અસ્પૃશ્યતા, આતંકવાદ અને ડ્રગ્સ જેવા મુદ્દાઓ પર જનજાગૃતિ કરવામાં આવી.

ફેબ્રુઆરી 2023માં તેમને ઝારખંડના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેલંગાણા અને પુડુચેરીનો વધારાનો કાર્યભાર પણ સંભાળ્યો. જુલાઈ 2024માં તેમને મહારાષ્ટ્રના રાજ્યપાલ બનાવવામાં આવ્યા. તેમની મિલકત 2019ના સોગંદનામા મુજબ લગભગ ₹67 કરોડ છે, જેમાં જંગમ સંપત્તિ ₹7.31 કરોડ છે.

ઉપરાષ્ટ્રપતિ પદની આ ચૂંટણી અગાઉ, 21 જુલાઈ 2025ના રોજ જગદીપ ધનખડે સ્વાસ્થ્યને કારણે પદેથી અચાનક રાજીનામું આપ્યું હતું. આ ઘટનાઓ પછી ઉપપ્રમુખ ચૂંટણી યોજાઈ અને સીપી રાધાકૃષ્ણને જીત મળી.

 

The post સીપી રાધાકૃષ્ણને અપાયું દેશના 15મા ઉપરાષ્ટ્રપતિનું પદ, ભવ્ય શપથ સમારોહ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/12/cp-radhakrishnan-15th-vice-president-india/feed/ 0
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં મોટો ખેલ: NDA ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન વિજેતા, વિપક્ષમાં ક્રોસ વોટિંગથી હલચલ https://www.gujaratinside.com/2025/09/09/vice-president-election-2025-cross-voting-cp-radhakrishnan-win/ https://www.gujaratinside.com/2025/09/09/vice-president-election-2025-cross-voting-cp-radhakrishnan-win/#respond Tue, 09 Sep 2025 16:25:05 +0000 https://www.gujaratinside.com/?p=18944 ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીનું પરિણામ જાહેર થતા જ એ સ્પષ્ટ થયું કે NDA ઉમેદવાર અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન દેશના નવા ઉપરાષ્ટ્રપતિ બનશે. કુલ 767 મતોમાંથી રાધાકૃષ્ણનને 452 પ્રથમ પસંદગીના મત મળ્યા, જ્યારે વિપક્ષના ઉમેદવાર જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા. 15 મત અમાન્ય જાહેર થયા હતા. આ પરિણામ સાથે જ રાધાકૃષ્ણન ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ...

The post ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં મોટો ખેલ: NDA ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન વિજેતા, વિપક્ષમાં ક્રોસ વોટિંગથી હલચલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીનું પરિણામ જાહેર થતા જ એ સ્પષ્ટ થયું કે NDA ઉમેદવાર અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન દેશના નવા ઉપરાષ્ટ્રપતિ બનશે. કુલ 767 મતોમાંથી રાધાકૃષ્ણનને 452 પ્રથમ પસંદગીના મત મળ્યા, જ્યારે વિપક્ષના ઉમેદવાર જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા. 15 મત અમાન્ય જાહેર થયા હતા. આ પરિણામ સાથે જ રાધાકૃષ્ણન ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ તરીકે 12 સપ્ટેમ્બરે શપથ લેશે.

ચૂંટણીનો સૌથી ચર્ચાસ્પદ મુદ્દો ક્રોસ વોટિંગ રહ્યો હતો. કોંગ્રેસના મહાસચિવે દાવો કર્યો હતો કે ઇન્ડિયા બ્લોક પાસે 315 મત છે, પરંતુ પરિણામમાં 14-15 વિપક્ષી સાંસદોએ NDAની તરફેણમાં મત આપ્યો હોવાનું સામે આવ્યું.

NDAને કાગળ પર 427 સાંસદોનો ટેકો હતો, ઉપરાંત YSRCPના 11 સાંસદોએ પણ મત આપ્યો હતો. છતાં NDA ઉમેદવારને અપેક્ષા કરતાં 14 વધુ મત મળ્યા, જેનાથી ક્રોસ વોટિંગની અટકળો મજબૂત બની.

બીજી બાજુ, BJD, BRS, SAD સહિત 13 સાંસદોએ મતદાનમાં ભાગ લીધો ન હતો.

આ પરિણામે વિપક્ષની વ્યૂહરચના પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. ખાસ કરીને બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ઇન્ડિયા બ્લોક માટે આ એક મહત્વની કસોટી ગણાઈ રહી હતી, જેમાં અપેક્ષિત સમર્થન મળ્યું નહીં.

વિપક્ષી ઉમેદવાર જસ્ટિસ સુદર્શન રેડ્ડીએ હાર સ્વીકારીને જણાવ્યું કે સાંસદોએ લોકશાહી પ્રક્રિયા દ્વારા પોતાનો નિર્ણય આપ્યો છે અને તે પોતે આ પરિણામને સ્વીકાર કરે છે.

તેમણે કહ્યું કે આ યાત્રા તેમના માટે ગૌરવની ક્ષણ હતી અને બંધારણીય નૈતિકતા, ન્યાય અને ગૌરવ માટે ઊભા રહેવાનો મોકો હતો. તેમણે વધુ જોશ સાથે વૈચારિક સંઘર્ષ ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો અને તેમને સમર્થન આપનાર તમામ નેતાઓનો આભાર માન્યો.

 

The post ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં મોટો ખેલ: NDA ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન વિજેતા, વિપક્ષમાં ક્રોસ વોટિંગથી હલચલ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/09/vice-president-election-2025-cross-voting-cp-radhakrishnan-win/feed/ 0
ભારતને નવા ઉપરાષ્ટ્રપતિ મળ્યા: NDA ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન 452 મત સાથે વિજેતા https://www.gujaratinside.com/2025/09/09/vice-president-election-2025-cp-radhakrishnan-wins/ https://www.gujaratinside.com/2025/09/09/vice-president-election-2025-cp-radhakrishnan-wins/#respond Tue, 09 Sep 2025 15:25:31 +0000 https://www.gujaratinside.com/?p=18934 ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે 9 સપ્ટેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણને વિજય નોંધાવ્યો છે. આ ચૂંટણીમાં કુલ 767 સાંસદોએ મતદાન કર્યું હતું, જેમાંથી 752 મત માન્ય અને 16 મત અમાન્ય ગણાયા. પરિણામ મુજબ રાધાકૃષ્ણને 452 મત મળ્યા જ્યારે વિપક્ષના ઇન્ડિયા બ્લોકના ઉમેદવાર જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડીને માત્ર 300...

The post ભારતને નવા ઉપરાષ્ટ્રપતિ મળ્યા: NDA ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન 452 મત સાથે વિજેતા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે 9 સપ્ટેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણને વિજય નોંધાવ્યો છે. આ ચૂંટણીમાં કુલ 767 સાંસદોએ મતદાન કર્યું હતું, જેમાંથી 752 મત માન્ય અને 16 મત અમાન્ય ગણાયા.

પરિણામ મુજબ રાધાકૃષ્ણને 452 મત મળ્યા જ્યારે વિપક્ષના ઇન્ડિયા બ્લોકના ઉમેદવાર જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડીને માત્ર 300 મત જ મળ્યા. આ જીત સાથે સી.પી. રાધાકૃષ્ણન દેશના નવા ઉપરાષ્ટ્રપતિ બનશે.

ચૂંટણી દરમિયાન ભાજપને પહેલેથી જ સંખ્યાબળનો ફાયદો હતો. NDA પાસે લોકસભા અને રાજ્યસભામાં મળીને કુલ 425 સાંસદોનું સમર્થન હતું, જ્યારે જીત માટે જરૂરી આંકડો 392 હતો.

ઉપરાંત YSRCPના સાંસદોએ પણ NDA ઉમેદવારને સમર્થન આપ્યું. આથી જ શરૂઆતથી જ રાધાકૃષ્ણનની જીત નિશ્ચિત માનવામાં આવી રહી હતી. બીજી તરફ, BJD, BRS અને શિરોમણી અકાલી દળે ચૂંટણીમાં ભાગ ન લેવાની જાહેરાત કરી હતી, જ્યારે પંજાબના બે અપક્ષ સાંસદોએ પણ મતદાનનો બહિષ્કાર કર્યો હતો.

ચૂંટણી પ્રક્રિયા સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલી હતી, જેમાં લોકસભા અને રાજ્યસભાના સાંસદોએ મતદાન કર્યું. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાથી લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતના અનેક મોટા નેતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. આ દરમિયાન મલ્લિકાર્જુન ખડગે અને નીતિન ગડકરીને મતદાન સમયે પરસ્પર હાથ મિલાવતા જોવા મળ્યા હતા.

પરિણામ જાહેર થયા બાદ સ્પષ્ટ થયું કે વિપક્ષનો અંદાજ ખોટો સાબિત થયો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અગાઉ દાવો કર્યો હતો કે તેમના ઉમેદવાર સુદર્શન રેડ્ડી પાસે જીતવાની તક છે, પરંતુ પરિણામે NDAની જીત એકતરફી સાબિત થઈ.

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ભાજપ પર કટાક્ષ કરતાં કહ્યું કે, “આ મત અંતરાત્માથી આપવામાં આવે છે, પરંતુ ભાજપ પોતાના સ્વાર્થ માટે લોકોનો ઉપયોગ કરે છે.”

જીત પછી સી.પી. રાધાકૃષ્ણને જણાવ્યું કે આ જીત માત્ર NDAની નથી, પરંતુ ભારતીય રાષ્ટ્રવાદની જીત છે. તેમણે શપથ લીધા પછી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં કાર્ય કરવાનું સંકલ્પ વ્યક્ત કર્યો.

The post ભારતને નવા ઉપરાષ્ટ્રપતિ મળ્યા: NDA ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન 452 મત સાથે વિજેતા appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/09/vice-president-election-2025-cp-radhakrishnan-wins/feed/ 0
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: પીએમ મોદીએ કર્યું મતદાન, સી.પી. રાધાકૃષ્ણન અને બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર https://www.gujaratinside.com/2025/09/09/vice-president-election-2025-modi-radhakrishnan-voting/ https://www.gujaratinside.com/2025/09/09/vice-president-election-2025-modi-radhakrishnan-voting/#respond Tue, 09 Sep 2025 05:58:54 +0000 https://www.gujaratinside.com/?p=18840 ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં એનડીએ (NDA) તરફથી સી.પી. રાધાકૃષ્ણન અને વિપક્ષ તરફથી બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર જોવા મળી રહી છે. ચૂંટણીમાં મતદાન સવારના 10 વાગ્યે શરૂ થઈ સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. મતદાન શરૂ થતા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ મતદાન કર્યું હતું. મતદાનના એક દિવસ પહેલા...

The post ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: પીએમ મોદીએ કર્યું મતદાન, સી.પી. રાધાકૃષ્ણન અને બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં એનડીએ (NDA) તરફથી સી.પી. રાધાકૃષ્ણન અને વિપક્ષ તરફથી બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર જોવા મળી રહી છે. ચૂંટણીમાં મતદાન સવારના 10 વાગ્યે શરૂ થઈ સાંજે 5 વાગ્યા સુધી ચાલશે.

મતદાન શરૂ થતા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ મતદાન કર્યું હતું. મતદાનના એક દિવસ પહેલા સંસદ ભવનમાં NDA સાંસદોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં વડાપ્રધાન મોદીએ હાજરી આપી હતી. બેઠકમાં સાંસદોને મતદાન પ્રક્રિયા અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ચૂંટણી પહેલા NDA ઉમેદવાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન દિલ્હીના લોધી રોડ સ્થિત શ્રી રામ મંદિરે પૂજા-અર્ચના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “આ ચૂંટણી ભારતીય રાષ્ટ્રવાદ માટે મોટી જીત સાબિત થશે. અમે બધા એક છીએ અને એક રહીશું. અમારી ઇચ્છા ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા છે.”

આ ચૂંટણીમાં બિજૂ જનતા દળ (BJD), ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) અને શિરોમણી અકાલી દળે મતદાનમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત, પંજાબના સ્વતંત્ર સાંસદો સરબજીત સિંહ ખાલસા (ફરીદકોટ) અને અમૃતપાલ સિંહ (ખડૂર સાહિબ) એ પણ મતદાનનો બહિષ્કાર જાહેર કર્યો છે.

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ચૂંટણી અંગે જણાવ્યું કે, “આ મત અંતરાત્મા પર આધારિત છે. ભાજપ લોકોનો ઉપયોગ કરીને પછી તેમને બરબાદ કરે છે. અમારા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ સાથે પણ એવું જ બન્યું હતું. જીતનો આંકડો ચોક્કસપણે અમારા પક્ષમાં રહેશે.”

લોકસભા અને રાજ્યસભાના કુલ 781 સાંસદોને મતદાનનો અધિકાર છે, જેમાં જીત માટે 392 મત જરૂરી છે. હાલની સંખ્યાબળની સ્થિતિ જોતા NDA પાસે 425 સાંસદોનું સમર્થન છે (લોકસભામાં 293 અને રાજ્યસભામાં 132). એટલે કે, નંબરગેમમાં NDAની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે.

 

The post ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી: પીએમ મોદીએ કર્યું મતદાન, સી.પી. રાધાકૃષ્ણન અને બી. સુદર્શન રેડ્ડી વચ્ચે કડક ટક્કર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/09/vice-president-election-2025-modi-radhakrishnan-voting/feed/ 0
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સમીકરણો બદલાયા: NDAને YSRCPનો ટેકો, BRS-BJD મતદાનથી દૂર https://www.gujaratinside.com/2025/09/08/vice-president-election-brs-bjd-ysrcp-support-nda/ https://www.gujaratinside.com/2025/09/08/vice-president-election-brs-bjd-ysrcp-support-nda/#respond Mon, 08 Sep 2025 16:20:27 +0000 https://www.gujaratinside.com/?p=18813 આવતીકાલે યોજાનારી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. તે પહેલાં જ બે મહત્વના પક્ષો – કે. ચંદ્રશેખર રાવની ભારતીય રાષ્ટ્ર સમિતિ (BRS) અને નવીન પટનાયકની બીજુ જનતા દળ (BJD)એ મતદાનથી દૂર રહેવાનો નિર્ણય જાહેર કર્યો છે. બીઆરએસના અધ્યક્ષ ટી.રામા રાવે કહ્યું કે, ‘રાજ્યમાં યુરિયાની અછતના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, જેના કારણે અમે...

The post ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સમીકરણો બદલાયા: NDAને YSRCPનો ટેકો, BRS-BJD મતદાનથી દૂર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
આવતીકાલે યોજાનારી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. તે પહેલાં જ બે મહત્વના પક્ષો – કે. ચંદ્રશેખર રાવની ભારતીય રાષ્ટ્ર સમિતિ (BRS) અને નવીન પટનાયકની બીજુ જનતા દળ (BJD)એ મતદાનથી દૂર રહેવાનો નિર્ણય જાહેર કર્યો છે.

બીઆરએસના અધ્યક્ષ ટી.રામા રાવે કહ્યું કે, ‘રાજ્યમાં યુરિયાની અછતના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, જેના કારણે અમે ચૂંટણીમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને યુરિયાની અછત દૂર કરવામાં નિષ્ફળ ગયા છે. આ અછતના કારણે લાઈનમાં ઉભા રહેલા ખેડૂતો વચ્ચે મારામારી થઈ રહી છે.’

બીજી તરફ, BJDના સાંસદ સસ્મિત પાત્રાએ જણાવ્યું કે, “બીજુ જનતા દળ NDA અને INDIA ગઠબંધન બંનેથી સમાન અંતર જાળવીને માત્ર ઓડિશાના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, તેથી જ અમે આ ચૂંટણીથી દૂર રહીશું.”

આ વચ્ચે, આંધ્ર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની YSRCPએ આશ્ચર્યજનક પગલું ભરતાં NDAના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનને સમર્થન આપવાની જાહેરાત કરી છે. YSRCP કોઈ ગઠબંધનમાં સામેલ નથી, છતાં તેણે પોતાના રાજ્યના જ વિપક્ષી ગઠબંધનના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડીને સમર્થન આપવાનું નક્કી કર્યું નથી. બીજી તરફ, હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સુદર્શન રેડ્ડીને સમર્થન આપવાનો નિર્ણય જાહેર કર્યો છે.

ચૂંટણી પ્રક્રિયા આવતીકાલે સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી યોજાશે. મતદાર મંડળમાં કુલ 788 સભ્યો છે, જેમાં હાલ 781 સક્રિય સભ્યો મતદાન માટે હાજર રહેશે. NDA તરફથી સી.પી. રાધાકૃષ્ણન અને INDIA ગઠબંધન તરફથી બી. સુદર્શન રેડ્ડી ઉમેદવાર છે.

 

The post ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સમીકરણો બદલાયા: NDAને YSRCPનો ટેકો, BRS-BJD મતદાનથી દૂર appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/08/vice-president-election-brs-bjd-ysrcp-support-nda/feed/ 0
રાહુલ ગાંધીની બ્રિટિશ નાગરિકતાનો દાવો કરનારા ભાજપ નેતા મુશ્કેલીમાં, ઈડીએ પાઠવ્યું સમન્સ https://www.gujaratinside.com/2025/09/07/rahul-gandhi-uk-citizenship-claim-ed-summons/ https://www.gujaratinside.com/2025/09/07/rahul-gandhi-uk-citizenship-claim-ed-summons/#respond Sun, 07 Sep 2025 04:22:56 +0000 https://www.gujaratinside.com/?p=18639 ભાજપના નેતા વિગ્નેશ શિશિરે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો હતો કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી બ્રિટનના નાગરિક છે અને તેમની ભારતીય નાગરિકતા રદ થવી જોઈએ. આ દાવાને આધારે ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કાર્યવાહી શરૂ કરી છે અને વિગ્નેશ શિશિરને સમન્સ પાઠવ્યા છે. માહિતી મુજબ, ઈડી રાહુલ ગાંધીની વિદેશી કંપનીઓ, વિદેશી બેન્ક ખાતાઓ તેમજ શક્ય...

The post રાહુલ ગાંધીની બ્રિટિશ નાગરિકતાનો દાવો કરનારા ભાજપ નેતા મુશ્કેલીમાં, ઈડીએ પાઠવ્યું સમન્સ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
ભાજપના નેતા વિગ્નેશ શિશિરે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો હતો કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી બ્રિટનના નાગરિક છે અને તેમની ભારતીય નાગરિકતા રદ થવી જોઈએ. આ દાવાને આધારે ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કાર્યવાહી શરૂ કરી છે અને વિગ્નેશ શિશિરને સમન્સ પાઠવ્યા છે.

માહિતી મુજબ, ઈડી રાહુલ ગાંધીની વિદેશી કંપનીઓ, વિદેશી બેન્ક ખાતાઓ તેમજ શક્ય વ્યવહારો વિશે વિગતો મેળવવા માંગે છે. સાથે જ, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ના ઉલ્લંઘનની સંભાવના અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વિગ્નેશ શિશિરે જણાવ્યું છે કે તેમને EDનું સમન્સ મળ્યું છે અને તેઓ 9 સપ્ટેમ્બરે હાજરી આપીને જરૂરી માહિતી પ્રદાન કરશે.

અગાઉ, હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન વિગ્નેશ શિશિરે દાવો કર્યો હતો કે યુકે સરકારે રાહુલ ગાંધીની નાગરિકતા અંગે માહિતી ભારત સરકાર સાથે શેર કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે લંડન, વિયેતનામ અને ઉઝબેકિસ્તાનથી મળેલા દસ્તાવેજો આધારિત પુરાવા પણ તેમની પાસે છે.

અરજીમાં દલીલ કરવામાં આવી છે કે બ્રિટિશ સરકારના ઈમેલ્સ અને દસ્તાવેજો રાહુલ ગાંધીની વિદેશી નાગરિકતા દર્શાવે છે. ભારતના કાયદા મુજબ બેવડી નાગરિકતા મંજૂર નથી, તેથી રાહુલ ગાંધીને ભારતમાં મતદાન કરવાનો અથવા ચૂંટણી લડવાનો અધિકાર ન હોવો જોઈએ.

હવે ઈડીની તપાસને કારણે આ મામલામાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે અને રાહુલ ગાંધીની નાગરિકતા અંગેની ચર્ચા ફરીથી કેન્દ્રસ્થાને આવી છે.

 

The post રાહુલ ગાંધીની બ્રિટિશ નાગરિકતાનો દાવો કરનારા ભાજપ નેતા મુશ્કેલીમાં, ઈડીએ પાઠવ્યું સમન્સ appeared first on Gujarat Inside - Latest News Today.

]]>
https://www.gujaratinside.com/2025/09/07/rahul-gandhi-uk-citizenship-claim-ed-summons/feed/ 0