શ્રીનગરથી દિલ્હી જતી સ્પાઈસ જેટ ફ્લાઇટ SG-386 ના બોર્ડિંગ ગેટ પર 26 જુલાઈ 2025ના રોજ થયેલી હિંસક ઘટનામાં એક મુસાફરે ચાર સ્ટાફ મેમ્બર્સ પર નિર્દયતાપૂર્વક હુમલો કર્યો હતો. એરલાઇનના જણાવ્યા અનુસાર, હુમલાખોર એક વરિષ્ઠ સૈન્ય અધિકારી હતો, જે 16 કિલો વજનના બે કેબિન બેગ સાથે આવ્યો હતો, જે 7 કિલોની મર્યાદા કરતાં વધુ હતું. જ્યારે સ્ટાફે વધારાના સામાન માટે ફી ચૂકવવાની વિનંતી કરી, ત્યારે મુસાફરે ઇનકાર કર્યો અને બોર્ડિંગ પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના એરોબ્રિજમાં ઘૂસી ગયો, જે ઉડ્ડયન સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન હતું.
CISF અધિકારીઓએ તેને ગેટ પર પાછો લાવ્યો, પરંતુ ત્યાં મુસાફરે સ્ટાફ પર હુમલો શરૂ કર્યો. લાતો અને મુક્કાના હુમલાથી એક કર્મચારીને કરોડરજ્જુમાં ફ્રેક્ચર અને અન્યને જડબામાં ગંભીર ઇજાઓ થઈ. એક કર્મચારી બેભાન પડી ગયો છતાં હુમલાખોર મારકૂટ ચાલુ રાખી.
સ્પાઈસ જેટે આ ઘટનાને ગંભીર ગણાવી નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પત્ર લખ્યો છે અને આરોપીને નો-ફ્લાઈ લિસ્ટમાં સામેલ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. પોલીસે આ મામલે FIR નોંધાવી તપાસ હાથ ધરી છે. એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું કે, “કર્મચારીઓ પર કોઈપણ પ્રકારની હિંસા સ્વીકાર્ય નથી અને કાનૂની કાર્યવાહી સુધી અમે આ મુદ્દાને આગળ ધપાવીશું.”

Leave a Reply