અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે અલાસ્કામાં યોજાનારી મહત્વપૂર્ણ બેઠક પર આખા વિશ્વની નજર છે. જોકે, આ બેઠકને લઈને અમેરિકા દ્વારા ભારતને ટેરિફ અંગે નવી ધમકી આપવામાં આવી છે. અમેરિકન નાણા મંત્રી સ્કૉટ બેસન્ટે ચેતવણી આપી છે કે, જો ટ્રમ્પ-પુતિન વચ્ચેની ચર્ચા નિષ્ફળ રહેશે તો અમેરિકા ભારત પર વધારાના ટેરિફ લગાવશે....
Day: August 14, 2025
‘પ્રાણીઓ પણ પ્રેમના હકદાર…’ રખડતા કૂતરાઓ માટે કપિલ દેવની ભાવુક અપીલ
સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં દિલ્હીની અને NCRની સડકો પરથી રખડતા કૂતરાઓને પકડીને શેલ્ટર હોમમાં રાખવા તથા નસબંધી કરવાનો આદેશ આપ્યો હતો. સાથે જ કોર્ટએ સ્પષ્ટ સૂચના આપી હતી કે રખડતા કૂતરાઓને ફરીથી જાહેર સ્થળોએ ન છોડવામાં આવે. આ નિર્ણય બાદ પ્રાણીપ્રેમીઓ અને પ્રાણી અધિકાર કાર્યકરોમાં ચિંતા જોવા મળી રહી છે. હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન...
બાદશાહનો અમેરિકન કોન્સર્ટ વિવાદમાં! પાકિસ્તાની કંપનીએ સ્પોન્સર કર્યાનો આરોપ, FWICEએ માંગ્યો જવાબ
ભારતીય રેપર બાદશાહનો 19 સપ્ટેમ્બર, 2025ના રોજ અમેરિકાના ડલાસમાં આવેલા કર્ટિસ કલવેલ સેન્ટરમાં કોન્સર્ટ યોજાવાનો છે, પરંતુ આ ઇવેન્ટને લઈને વિવાદ ઊભો થયો છે. આ કોન્સર્ટ પાકિસ્તાની નાગરિકની માલિકીની કંપની દ્વારા સ્પોન્સર કરવામાં આવી રહ્યો હોવાનો આરોપ છે. આ મામલે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE) એ બાદશાહને પત્ર મોકલીને તાત્કાલિક સ્પષ્ટતા આપવા વિનંતી...
“લોકશાહી એ ભારતની ઓળખ છે”: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂનું સ્વતંત્રતા દિવસ પૂર્વ સંધ્યાનું સંબોધન
15 ઓગસ્ટ, 2025ના રોજ ભારત તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યો છે. એ પૂર્વે, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ગુરુવાર સાંજે દેશવાસીઓને સંબોધન કર્યું હતું. સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિએ ભારતની લોકશાહી પ્રણાલીની મજબૂતી અને બંધારણ પ્રત્યેના સન્માન અંગે વાત કરી. તેમણે જણાવ્યું કે, “અમે સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા બાદ લોકશાહીનો માર્ગ સ્વીકાર્યો અને દરેક પુખ્ત વયના નાગરિકોને મતાધિકાર...
કપિલ શર્માના કેફે પર હુમલા કેસમાં ઇન્ટરપોલની એન્ટ્રી, FBIએ રણદીપ મલિકની અમેરિકામાં ધરપકડ કરી
કોમેડિયન કપિલ શર્માના કેનેડામાં સ્થિત કેફે પર થયેલા હુમલાના કેસમાં હવે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી કાર્યવાહી થઈ છે. આ મામલે ઇન્ટરપોલ જોડાયું છે અને અમેરિકામાં તપાસ દરમિયાન એફબીઆઈએ રણદીપ મલિક નામના શખ્સને ધરપકડ કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, રણદીપ લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સક્રિય સભ્ય છે. માહિતી મુજબ, રણદીપ મલિક એક કુખ્યાત ગુનેગાર છે અને દિલ્હીમાં થયેલા...
જેનિફર મિસ્ત્રીનો દાવો: દિલીપ જોશીએ અસિત મોદીને કોલર પકડી લીધો, થયો હતો મોટો ઝઘડો
પ્રસિદ્ધ ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 17 વર્ષથી દર્શકોને મનોરંજન આપી રહ્યો છે. આ શોના પ્રોડ્યુસર અસિત મોદી છે, જ્યારે દિલીપ જોશી જેઠાલાલની ભૂમિકા ભજવી રહ્યા છે. શોમાં મિસિસ રોશનના રોલમાં દેખાયેલી જેનિફર મિસ્ત્રીએ હવે ચોંકાવનારો દાવો કર્યો છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં જેનિફરે જણાવ્યું કે, હોંગકોંગ ટૂર દરમિયાન દિલીપ જોશી અને અસિત...
જન્માષ્ટમી નિમિત્તે વડોદરા-ડાકોર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવશે પશ્ચિમ રેલવે
જન્માષ્ટમી તહેવાર અને સતત રજાઓને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વડોદરા-ડાકોર વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરાયો છે. વડોદરા થી આ ટ્રેન 16 ઓગસ્ટે રાત્રે 9:30 વાગ્યે પ્રસ્થાન કરશે અને રાત્રે 11:15 કલાકે ડાકોર પહોંચશે. પાછી ડાકોર-વડોદરા સ્પેશિયલ ટ્રેન 17 ઓગસ્ટે રાત્રે 2 વાગ્યે ડાકોરથી...
અંડર-15 ટેબલ ટેનિસ ફાઇનલમાં પશ્ચિમ બંગાળના ખેલાડીઓની ધમાકેદાર જીત
સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે આયોજિત નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં અંડર-15 કેટેગરીની ફાઇનલમાં પશ્ચિમ બંગાળના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું. અદિત્ય દાસે અંડર-15 બોયઝની રોમાંચક ફાઇનલમાં મહારાષ્ટ્રના અનસીડીડ નિલય પાટેકરને 3-2થી હરાવી ખિતાબ જીતી લીધો. બીજી તરફ, પશ્ચિમ બંગાળની સેકન્ડ સીડ અંકોલિકા ચક્રવર્તીએ અંડર-15 ગર્લ્સની ફાઇનલમાં મહારાષ્ટ્રની ટોચની સીડ નૈશા રેવાસ્કરને 3-0થી હરાવી સરળ જીત મેળવી....
ભારત-ચીન સહયોગ પર ચીનનું નિવેદન: ‘ભાગીદારી જ બંને દેશો માટે સાચો રસ્તો’
ભારત અને ચીન વચ્ચે ગલવાન ઘટનાને પાંચ વર્ષથી વધુ સમય વીતી ગયો છે. હવે બંને દેશો લોકલ લેવલ પર બનતી વસ્તુઓના સરહદી વ્યાપારને ફરી શરૂ કરવા અંગે ચર્ચા કરી રહ્યા છે. લાંબા સમયથી ચાલતા તણાવને ઓછો કરવા માટે બંને દેશો પ્રયત્નશીલ છે. આ વચ્ચે, ચીનના વિદેશ મંત્રાલયનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. ચીનના જણાવ્યા મુજબ,...
ઇટાલીમાં મોટી દરિયાઈ દુર્ઘટના: લૈમ્પેદુસા ટાપુ પાસે જહાજ પલટતા 27નાં મોત, અનેક ગુમ
ઇટાલીના લૈમ્પેદુસા ટાપુ નજીક દરિયાઈ માર્ગે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. લગભગ 100 જેટલા પ્રવાસીઓને લઈ જતું એક જહાજ પલટી ગયું, જેમાં 27 લોકોના મોત થયા છે અને અનેક લોકો ગુમ છે. આ ઘટનાની પુષ્ટિ યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ (UNHCR)ના ફિલિપો ગ્રાન્ડીએ કરી છે. તેમના જણાવ્યા અનુસાર, ‘લૈમ્પેદુસાના કિનારે થયેલી આ દુઃખદ ઘટના દરમિયાન...









