ભારતના સફળ ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન અને તેના આતંકવાદી સંગઠનો પર ભારે બોજ સર્જાયો છે. પાકિસ્તાન હવે બહાવલપુરમાં નાશ પામેલા જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલયને ફરીથી બનાવવા માટે ષડયંત્ર રચી રહ્યું છે. જૈશ-એ-મોહમ્મદનો વડા મસૂદ અઝહર ફરીથી મુખ્યાલય ઉભું કરવા માટે ભંડોળ એકત્ર કરવાનું અભિયાન ચલાવી રહ્યો છે.
જમાત દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દાવો કરવામાં આવ્યો છે કે તમામ લોકોને સાથે મળીને કાર્ય કરવું જોઈએ અને પૈસા ભેગા કરવા જોઈએ, જેમાં કોઈને ખબર ન પડે કે કોણે કેટલું યોગદાન આપ્યું છે.
મસૂદ અઝહરે પણ એક પોસ્ટમાં લખ્યું કે આ અભિયાનથી “જમીનના ઘણા ભાગો સ્વર્ગ બની જશે, શહીદ થયેલી મસ્જિદો ફરી હસશે અને તેમનો વૈભવ પાછો આવશે.” સાથે જ તેણે જેહાદ માટે ઝંખતા લોકોને નવા રસ્તા ખૂલશે તેવી વાત પણ કરી. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાએ બહાવલપુરમાં આવેલા જૈશના મુખ્યાલય ‘સુભાન અલ્લાહ મસ્જિદ’ને તોડી નાખી હતી, જેમાં મસૂદ અઝહરના પરિવાર સહિત મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા હતા.
Leave a Reply