7 ઑગસ્ટ, 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા વચ્ચે ટેલિફોન પર મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. પીએમ મોદીએ ગત મહિને થયેલી બ્રાઝિલ યાત્રાને યાદ કરી હતી અને બંને નેતાઓએ વેપાર, ટેકનોલોજી, ઉર્જા, સંરક્ષણ, કૃષિ, આરોગ્ય અને લોકો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા માટે સહયોગ વધારવાની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી. આ સંવાદ દરમિયાન બંને દેશોના નેતાઓએ વિદેશ નીતિ સંબંધિત વિસ્તૃત મુદ્દાઓ અને વૈશ્વિક તથા પ્રાદેશિક હિતના મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. તેમણે ભારત-બ્રાઝિલ વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈ આપવાનો સંકલ્પ કર્યો અને આગામી દિવસોમાં સતત સંપર્કમાં રહેવાનો નિણર્મય કર્યો.

આ અગાઉ થોડા દિવસ પહેલા લૂલાએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વાતચીતના પ્રસ્તાવને અસ્વીકાર કર્યો હતો. ટ્રમ્પે જણાવ્યું હતું કે, “લૂલા જ્યારે ઈચ્છે, મારી સાથે વાત કરી શકે છે”, જેના જવાબમાં લૂલાએ કહ્યું કે તેઓ ટ્રમ્પને ફોન નહીં કરે, પરંતુ મોદીની જેમ નેતાઓ સાથે સંવાદ કરશે. ઉલ્લેખનીય છે કે અમેરિકા દ્વારા ભારતમાં અને બ્રાઝિલ પર 50 ટકા ટેરિફ લગાવાયા છે. બ્રાઝિલ WTOમાં વિવાદના ઉકેલ માટે જવા પર વિચાર કરી રહ્યું છે. જોકે લૂલા એ પણ કહ્યું કે તેઓ COP-30 સમિટ માટે ટ્રમ્પને આમંત્રણ આપશે.

Leave a Reply