કેવી રીતે માત્ર ત્રણ મિનિટમાં પાસ થયું આવકવેરા સુધારા બિલ? વિલંબિત રિટર્ન પર હવે નહીં લાગે પેનલ્ટી

કેવી રીતે માત્ર ત્રણ મિનિટમાં પાસ થયું આવકવેરા સુધારા બિલ? વિલંબિત રિટર્ન પર હવે નહીં લાગે પેનલ્ટી

નવાં ઇન્કમ ટેક્સ એમેન્ડમેન્ટ બિલ, 2025 ને લોકસભામાં માત્ર ત્રણ મિનિટમાં, કોઈ પણ ચર્ચા વિના મંજૂરી આપવામાં આવી. નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભાની પેન્ડિંગ ભલામણો સાથે બિલ રજૂ કર્યું હતું, જેમાં કુલ 285 સુધારાઓને સ્વીકારવામાં આવ્યા છે. આ સુધારાઓનો ઉદ્દેશ આવકવેરાના નિયમોને સરળ અને કરદાતાઓ માટે વધુ સુલભ બનાવવાનો છે.

આ બિલના માધ્યમથી સૌથી મોટો ફેરફાર એ થયો છે કે જો કોઇ વ્યક્તિ વિલંબથી રિટર્ન ફાઈલ કરે છે, તો તેને હવે રિફંડ મળશે અને તેના પર પેનલ્ટી નહીં લેવામાં આવે. અગાઉના ડ્રાફ્ટ બિલમાં વિલંબિત રિટર્ન ફાઈલ કરનારાને રિફંડથી વંચિત કરવાની જોગવાઈ હતી, જે હવે પાછી ખેંચાઈ ગઈ છે.

નવા સુધારામાં ટીડીએસ, એક્ઝમ્પ્શન અને અન્ય અનુપાલન સંબંધિત જોગવાઈઓને સરળ બનાવવામાં આવી છે. તેમજ વ્યક્તિગત કરદાતાઓ માટે રિફંડ પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે. જૂની ખોટ કેરી ફોરવર્ડ કરવાની તક આપવામાં આવશે અને ટૅક્સ કલમોમાં 50% સુધીનો ઘટાડો કર્યો છે.

કંપનીઓ વચ્ચે ડિવિડંડ વહેંચણી અંગે કલમ 80(M) પણ સુધારવામાં આવી છે, જેથી હવે કંપનીઓને ઘટાડેલા કોર્પોરેટ ટેક્સ રેટનો લાભ મળવાનો માર્ગ ખૂલી ગયો છે. શૂન્ય વેરા કપાત માટે પ્રમાણપત્ર આપવાની જોગવાઈ પણ નવો ઉમેરાયો છે. વધુમાં, ભૂલથી થયેલા ટેક્સ ભંગ માટે અધિકારીઓ પાસે માફી આપવાની સત્તા રહેશે.

વિપક્ષના હોબાળા વચ્ચે કુલ 9 બિલ પસાર થયા જેમાંથી 4 લોકસભામાં અને 5 રાજ્યસભામાં હતા. તેમાં ઈન્કમટેક્સ બિલ ઉપરાંત નેશનલ સ્પોર્ટ્સ બિલ, નેશનલ એન્ટી ડોપિંગ બિલ, ટેક્સેશન લો એમેન્ડમેન્ટ બિલ અને મણિપુરના સંબંધિત ઘણા બિલોનો સમાવેશ થાય છે.

 

Leave a Reply

Your email address will not be published.