Day: August 14, 2025

ઈજાથી પીડિત રિષભ પંતનો ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાયરલ, કહ્યું- ‘મને આથી ઘણી નફરત છે’
Post

ઈજાથી પીડિત રિષભ પંતનો ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાયરલ, કહ્યું- ‘મને આથી ઘણી નફરત છે’

ભારતીય ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન ઋષભ પંત હાલ ગંભીર ઈજાને કારણે ક્રિકેટ મેદાનથી દૂર છે. ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ચોથી ટેસ્ટ મેચમાં ક્રિસ વોક્સના બોલ પર રિવર્સ સ્વીપ રમતાં તે ફ્રેક્ચરનો ભોગ બન્યો હતો. ઈજાની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે પંત મેદાન પર ઊભો રહી શકતો નહોતો અને તેને મીની એમ્બ્યુલન્સની મદદથી બહાર લઈ જવામાં આવ્યો...

અમદાવાદમાં 885 ભાવિકોની ઐતિહાસિક માસક્ષમણ તપશ્ચર્યા પૂર્ણ, રિવરફ્રન્ટ પર થશે ભવ્ય પારણાંનો કાર્યક્રમ
Post

અમદાવાદમાં 885 ભાવિકોની ઐતિહાસિક માસક્ષમણ તપશ્ચર્યા પૂર્ણ, રિવરફ્રન્ટ પર થશે ભવ્ય પારણાંનો કાર્યક્રમ

જૈન સમાજના ચાતુર્માસ દરમિયાન અમદાવાદમાં ઐતિહાસિક માસક્ષમણ તપશ્ચર્યા યોજાઈ રહી છે, જેમાં 885 ભાવિકોએ સામૂહિક માસક્ષમણ કરીને અનોખી પ્રેરણા આપી છે. આ પ્રસંગે તપસ્વીઓનો ભવ્ય વરઘોડો યોજાયો હતો અને હવે 15 ઓગસ્ટ, શુક્રવારે અમદાવાદના રિવરફ્રન્ટ પર પારણાંનું ભવ્ય આયોજન કરાયું છે. સવારે 8:30 વાગ્યે શરૂ થનારા આ કાર્યક્રમમાં શહેર સહિત સમગ્ર જૈન સમાજને આમંત્રણ આપવામાં...

એશિયા કપમાં શ્રેયસ અય્યરને તક મળે તો બની શકે ટીમ ઈન્ડિયાનો ગેમ ચેન્જર, IPLમાં બતાવ્યું કૌશલ્ય
Post

એશિયા કપમાં શ્રેયસ અય્યરને તક મળે તો બની શકે ટીમ ઈન્ડિયાનો ગેમ ચેન્જર, IPLમાં બતાવ્યું કૌશલ્ય

શ્રેયસ અય્યર, જે એક સમયે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો અવિભાજ્ય ભાગ હતો, છેલ્લા કેટલાક સમયથી પોતાની જગ્યા પક્કી કરવામાં નિષ્ફળ રહ્યો છે. 2023માં ઈજા બાદ રિકવરી કરીને તેણે ઘણીવાર વાપસી કરી, પરંતુ તે સતત ટીમમાં રહી શક્યો નથી. વિરાટ કોહલી ઈજાગ્રસ્ત થતાં તેને 2024માં વન-ડે ટીમમાં તક મળી હતી, પરંતુ ટેસ્ટ અને T20માં હજુ પણ...

ભારતમાલા પ્રોજેક્ટમાં ઓછા વળતર મુદ્દે મહેસાણા અને બનાસકાંઠાના ખેડૂતોમાં રોષ, ઉગ્ર આંદોલનની ચીમકી
Post

ભારતમાલા પ્રોજેક્ટમાં ઓછા વળતર મુદ્દે મહેસાણા અને બનાસકાંઠાના ખેડૂતોમાં રોષ, ઉગ્ર આંદોલનની ચીમકી

મહેસાણા જિલ્લામાં ભારતમાલા એક્સપ્રેસ હાઈવે પ્રોજેક્ટને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ અંતર્ગત 156 ગામની જમીન સંપાદન પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ ખેડૂતોનો આક્ષેપ છે કે તેમને પૂરતું વળતર આપવામાં આવતું નથી. સુધારેલ જંત્રી દર પ્રમાણે વળતર ચુકવવા ખેડૂતોની મુખ્ય માંગ છે. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો યોગ્ય...

જશોદાનગરમાં એએમસીની ડિમોલિશન કાર્યવાહી દરમિયાન હંગામો, મહિલાનો આત્મવિલોપન પ્રયાસ અને પથ્થરમારો
Post

જશોદાનગરમાં એએમસીની ડિમોલિશન કાર્યવાહી દરમિયાન હંગામો, મહિલાનો આત્મવિલોપન પ્રયાસ અને પથ્થરમારો

અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં એએમસીની ડિમોલિશન કાર્યવાહી દરમિયાન ભારે હંગામો સર્જાયો. એસ્ટેટ વિભાગની ટીમ જયશ્રી સોસાયટી નજીક રોડ પર આવેલી દુકાનો તોડવા પહોંચી ત્યારે સ્થાનિક લોકોએ જોરદાર વિરોધ કર્યો. આ દરમિયાન એક મહિલાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો, જેને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને સુરક્ષા કાફલો તૈનાત કર્યો....

“રખડતાં કૂતરાં સામે પગલાં જરૂરી છે, વિવાદ નહીં ઉકેલ જોઈએ છે”: સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો
Post

“રખડતાં કૂતરાં સામે પગલાં જરૂરી છે, વિવાદ નહીં ઉકેલ જોઈએ છે”: સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો

દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર દેશમાં રખડતાં કૂતરાંએ જનજીવન માટે મુશ્કેલી ઊભી કરી છે અને હવે આ મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. રખડતાં કૂતરાં અંગે ચાલી રહેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરતાં જણાવ્યું કે, “અમે વિવાદ નથી ઇચ્છતા, ઉકેલ ઈચ્છીએ છીએ.” ત્રણ ન્યાયમૂર્તિઓની ખંડપીઠે દિલ્હી સરકારને આદેશ આપ્યો છે કે આગામી 8 અઠવાડિયામાં...

અમેરિકાના પૂર્વ સુરક્ષા સલાહકાર જોન બોલ્ટનનો કટાક્ષ: “મોદીએ ટ્રમ્પને બે વાર નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરી દેવા જોઈએ”
Post

અમેરિકાના પૂર્વ સુરક્ષા સલાહકાર જોન બોલ્ટનનો કટાક્ષ: “મોદીએ ટ્રમ્પને બે વાર નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરી દેવા જોઈએ”

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર કટાક્ષ કરતાં કહ્યું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પને બે વાર નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરવા જોઈએ.” તેમણે આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે ટ્રમ્પે ભારત પરથી રશિયા પાસેથી ક્રૂડ તેલ ખરીદવાના મુદ્દે ઊંચા ટેરિફ લાદ્યા. અગાઉ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ જાહેર કર્યો...

60 કરોડની છેતરપિંડી: શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા વિરુદ્ધ EOW દ્વારા ગુનો નોંધાયો
Post

60 કરોડની છેતરપિંડી: શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા વિરુદ્ધ EOW દ્વારા ગુનો નોંધાયો

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેમના પતિ રાજ કુન્દ્રા ફરી એકવાર કાનૂની મુશ્કેલીમાં ફસાયા છે. મુંબઈના ઉદ્યોગપતિ દીપક કોઠારી દ્વારા નોંધાવાયેલી ફરિયાદના આધારે શિલ્પા, રાજ અને એક અજાણ્યા વ્યક્તિ સામે 60.4 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ નોંધાયો છે. આ કેસ હવે મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (EOW) દ્વારા તપાસવામાં આવી રહ્યો છે, કારણ કે છેતરપિંડીની રકમ...

ખોટા ખેડૂત બની જમીન ખરીદનાર ધારાસભ્ય રમણ વોરા પર કાયદાની તલવાર, તપાસ શરૂ
Post

ખોટા ખેડૂત બની જમીન ખરીદનાર ધારાસભ્ય રમણ વોરા પર કાયદાની તલવાર, તપાસ શરૂ

ગુજરાતના ઇડર મત વિસ્તારના ધારાસભ્ય રમણ વોરાની મુશ્કેલીમાં હવે વધારો થતો દેખાઈ રહ્યો છે. વોરા પર ખોટા ખેડૂત બની જમીન ખરીદવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગાંધીનગરથી મળેલા આદેશના આધારે હવે ઈડરના નવા મામલતદાર પૂજાબેન જોશીએ વોરા વિરુદ્ધ કાયદેસર પગલાં લેવા તજવીજ શરૂ કરી છે. શું છે સમગ્ર મામલો? અહેવાલો મુજબ, રમણ વોરાએ પોતાને ખોટા ખેડૂત...

હિમાચલમાં આભ ફાટ્યું: કુલ્લુ અને શિમલામાં તબાહી, 325 માર્ગો બંધ, 2000 કરોડથી વધુનું નુકસાન
Post

હિમાચલમાં આભ ફાટ્યું: કુલ્લુ અને શિમલામાં તબાહી, 325 માર્ગો બંધ, 2000 કરોડથી વધુનું નુકસાન

હિમાચલ પ્રદેશમાં ચોમાસાની ઋતુએ આ વખતે ફરી વિનાશક સ્વરૂપ ધારણ કર્યું છે. બુધવારે સાંજે કુલ્લુ અને શિમલા જિલ્લામાં વાદળ ફાટવાની ઘટનાઓએ ભારે તબાહી સર્જી છે. સતત વરસાદ અને વાદળ ફાટવાને કારણે રાજ્યમાં પૂરના દ્રશ્યો સર્જાયા છે અને ઓછામાં ઓછા 325 રસ્તાઓ બંધ કરવાનો ફરમાન આપવા પડ્યો છે. ₹2031 કરોડથી વધુનું નુકસાન, 126 મોત અધિકારીઓ મુજબ...