15 ઓગસ્ટ, 2025ના રોજ ભારત તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યો છે. એ પૂર્વે, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ ગુરુવાર સાંજે દેશવાસીઓને સંબોધન કર્યું હતું. સંબોધન દરમિયાન રાષ્ટ્રપતિએ ભારતની લોકશાહી પ્રણાલીની મજબૂતી અને બંધારણ પ્રત્યેના સન્માન અંગે વાત કરી.
તેમણે જણાવ્યું કે, “અમે સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા બાદ લોકશાહીનો માર્ગ સ્વીકાર્યો અને દરેક પુખ્ત વયના નાગરિકોને મતાધિકાર આપ્યો. ભારતના નાગરિકોએ પડકારો વચ્ચે પણ લોકશાહી સફળતા પૂર્વક અપનાવી છે. ભારતને સાચે અર્થમાં લોકશાહીની જનની કહેવું યોગ્ય છે.”
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે ભારત માટે લોકશાહી અને બંધારણ સર્વોપરી છે. તે દેશની વિકાસયાત્રાનું મૂળ આધારસ્તંભ છે અને દરેક નાગરિકે આ મૂલ્યોને જાળવવા અગ્રતાપૂર્વક પ્રયાસ કરવો જોઈએ.

Leave a Reply