શ્રેયસ અય્યર, જે એક સમયે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો અવિભાજ્ય ભાગ હતો, છેલ્લા કેટલાક સમયથી પોતાની જગ્યા પક્કી કરવામાં નિષ્ફળ રહ્યો છે. 2023માં ઈજા બાદ રિકવરી કરીને તેણે ઘણીવાર વાપસી કરી, પરંતુ તે સતત ટીમમાં રહી શક્યો નથી. વિરાટ કોહલી ઈજાગ્રસ્ત થતાં તેને 2024માં વન-ડે ટીમમાં તક મળી હતી, પરંતુ ટેસ્ટ અને T20માં હજુ પણ તેની એન્ટ્રી બાકી છે. ચીફ સિલેક્ટર અજીત અગરકરે સ્પષ્ટ કહ્યું છે કે હાલ અય્યરને ટેસ્ટ ટીમમાં જગ્યા નથી, પરંતુ T20 માટે તેના નામ પર ચર્ચા તેજ છે.
અય્યરે IPL, મુંબઈ T20 લીગ અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સતત શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તે માત્ર શાનદાર બેટ્સમેન જ નથી, પણ સફળ કેપ્ટન તરીકે પણ પોતાની છાપ છોડી છે. ભારત માટે 51 T20I રમી ચૂક્યા બાદ પણ 2023થી તે બહાર છે, પરંતુ એશિયા કપમાં તક મળી તો તે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
IPL 2025માં શ્રેયસ અય્યરે 50.33ની એવરેજ સાથે 604 રન બનાવ્યા હતા, જેમાં તેનો સ્ટ્રાઈક રેટ 175 હતો. તેણે આ સીઝનમાં 6 અડધી સદી ફટકારી હતી, સાથે 43 ચોગ્ગા અને 39 છગ્ગા ફટકાર્યા હતા. તેની લીડરશીપ સ્કિલ્સ પણ ચર્ચામાં રહી, જેમાં તેણે મુંબઈને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતાડીને કેપ્ટન તરીકે સફળતા મેળવી.
ટીમ ઈન્ડિયામાં અય્યર કયા નંબર પર રમશે એ પ્રશ્ન મહત્વનો છે. હાલમાં સૂર્યકુમાર યાદવ ત્રીજા નંબર પર સ્થિર છે, ચોથા પર તિલક વર્મા છે, ત્યારબાદ રિંકૂ સિંહ, હાર્દિક પંડ્યા અને શિવમ દુબે આવે છે. અય્યર માટે નંબર 5 પર તક મળવાની શક્યતા છે. તે ધીમી પિચ પર શાનદાર રમે છે અને સ્પિનર્સ સામે અસરકારક છે, સાથે જ હવે તે ફાસ્ટ બોલરો સામે પણ આત્મવિશ્વાસ ધરાવે છે.
જો શ્રેયસ અય્યરને એશિયા કપમાં તક મળે અને તે પોતાની IPL ફોર્મ ફરી બતાવે, તો તે માત્ર એશિયા કપ માટે નહીં પરંતુ 2026ના દક્ષિણ આફ્રિકા T20 વર્લ્ડ કપ માટે પણ ટીમ ઈન્ડિયાનો મોટો હથિયાર બની શકે છે.

Leave a Reply