ભાવનગર-અમદાવાદ હાઈવે પર ભયંકર અકસ્માત: એકનું મોત, 15 લોકો ઈજાગ્રસ્ત

ભાવનગર-અમદાવાદ હાઈવે પર ભયંકર અકસ્માત: એકનું મોત, 15 લોકો ઈજાગ્રસ્ત

ભાવનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર મઢીયા ગામ નજીક શુક્રવારે વહેલી સવારે ભયંકર અકસ્માત થયો હતો. એક આઈસર ટ્રક બંધ પડેલા ટેન્કર સાથે જોરદાર અથડાતાં ઘટના સ્થળે જ એક વ્યક્તિનું મોત થયું અને લગભગ 15 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા. મૃતકની ઓળખ સુમિત તરીકે થઈ છે. અકસ્માત બાદ ટેન્કર ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

આ અકસ્માત પછી તાત્કાલિક સ્થાનિક લોકોએ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યારે ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત મામલે પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને ઘટનાસ્થળે હાજર લોકોની પૂછપરછ શરૂ કરી છે. હાલ ટેન્કર ચાલકની શોધ માટે તપાસ હાથ ધરાઈ રહી છે.

 

Leave a Reply

Your email address will not be published.