સાળંગપુરના પ્રસિદ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર માટે બનાવાયેલી નકલી વેબસાઈટનો ભાંડાફોડ થયો છે. ભક્તોએ ઓનલાઈન આરતી દર્શન અને બુકિંગ માટે નકલી વેબસાઈટનો ઉપયોગ થતાં ફરીયાદ કર્યા બાદ મંદિર ટ્રસ્ટે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમ્યાન ઉત્તર પ્રદેશના અમરજીત કુમાર નામના આરોપીને ઝડપવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપીએ માત્ર સાળંગપુર મંદિર જ નહીં, પણ કુલ 46 નકલી વેબસાઈટ બનાવી હતી.
આરોપી ભક્તો પાસેથી ઉતારા બુકિંગ અને ધર્મશાળામાં રોકાવાની વ્યવસ્થાના નામે રૂપિયા પડાવતો હતો. તપાસમાં બહાર આવ્યું કે તેણે Hostinger ડોમેઈન સર્વર પર 16 અને Godaddy સર્વર પર 26 ફેક વેબસાઈટ બનાવી હતી. હાલ સાયબર ક્રાઈમ પોલીસે આરોપીને કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માંગણી કરી છે.
મંદિર ટ્રસ્ટે ભક્તોને અપીલ કરી છે કે સાળંગપુર હનુમાનજી મંદિર તરફથી કોઈપણ એજન્ટ અથવા ઓનલાઈન ઉતારા બુકિંગની વ્યવસ્થા નથી. દર્શન માટે સીધા મંદિર પર આવવાનું અને નકલી વેબસાઈટથી સાવધાન રહેવાનું સૂચન આપવામાં આવ્યું છે.

Leave a Reply