ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ સમાપ્ત થયા બાદ ત્રણ મહિના વીતી ગયા હોવા છતાં, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હજી પણ આ વિવાદ તેમના હસ્તક્ષેપથી અટક્યો હોવાનો દાવો કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે બંને દેશો વચ્ચેની લડાઈ પરમાણુ યુદ્ધમાં ફેરવાઈ શકે તેમ હતી. તેમણે વ્હાઇટ હાઉસમાં જણાવ્યું કે ભારત અને પાકિસ્તાનના ફાઇટર જેટ્સ એકબીજાને તોડી પાડી રહ્યા હતા અને છ-સાત જેટ્સને તોડી પાડવામાં આવ્યા હતા. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે બંને દેશો પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવા તૈયાર હતા.
ભારતનું કહેવું છે કે યુદ્ધવિરામનો નિર્ણય બંન્ને દેશોના DGMO વચ્ચે સીધા સંવાદ દ્વારા લેવામાં આવ્યો હતો, પરંતુ ટ્રમ્પ દાવો કરે છે કે તેમના પ્રયાસોથી ceasefire શક્ય બન્યું. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો કે છેલ્લા છ મહિનામાં તેમણે છ યુદ્ધોનો અંત લાવ્યો છે અને તેને ગર્વ છે. 10 મેના રોજ તેમણે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે.
ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે જો બંન્ને દેશો લડાઈ બંધ કરશે, તો અમેરિકા તેમની સાથે મોટા પ્રમાણમાં વેપાર કરશે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટ્રમ્પ આજે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને અલાસ્કામાં મળવા જઈ રહ્યા છે. આ બેઠકનો હેતુ રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવાનો છે. ટ્રમ્પે કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવો સૌથી મુશ્કેલ સાબિત થયું. જો હું રાષ્ટ્રપતિ ન હોત, તો પુતિન યુક્રેન પર કબજો કરી લેત.

Leave a Reply