દિલ્હી હાઇકોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં સ્પષ્ટ કર્યું છે કે લગ્ન કરવાનો ખોટો વચન આપી શારીરિક સંબંધ બાંધવો દુષ્કર્મ ગણાશે. ન્યાયમૂર્તિ સ્વર્ણકાંત શર્માની અધ્યક્ષતાવાળી બેન્ચે જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ શરૂઆતથી જ જાણતો હોય કે લગ્ન શક્ય નથી અને માત્ર શારીરિક લાભ માટે ખોટું વચન આપે છે, તો તે કાયદા હેઠળ બળાત્કારના જૂથમાં આવે છે.
આ મામલો ત્યારે ઊભો થયો જ્યારે એક યુવતીએ આરોપ લગાવ્યો હતો કે આરોપીએ વર્ષો સુધી લગ્નની આશા આપી વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા અને છેલ્લે તેની જાતિનો બહાનો આપી લગ્ન કરવાનું ઇનકાર્યું. નીચલી અદાલતે કેસ દાખલ કરવામાં થયેલા વિલંબ અને પુરાવાની અછતને કારણે આરોપીને નિર્દોષ ઠેરવ્યો હતો. પરંતુ હાઈકોર્ટે આ ચુકાદો રદ કરતાં જણાવ્યું કે આરોપી પહેલાથી પીડિતાની જાતિથી વાકેફ હતો અને જ્ઞાનપૂર્વક ખોટો વચન આપ્યો હતો.
અદાલતે જણાવ્યું કે આવા કિસ્સાઓમાં ફરિયાદમાં વિલંબ થવો સામાન્ય છે કારણ કે પીડિતાઓ અનેકવાર સમાજની કલંક, ડર અથવા ધમકીના કારણે તરત ફરિયાદ કરી શકતી નથી. તેથી ફરિયાદની ગંભીરતાને ઘટાડવી યોગ્ય નથી.

Leave a Reply