રાજકોટમાં જન્માષ્ટમી શોભાયાત્રા દરમિયાન મારામારી, પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લીધી

રાજકોટમાં જન્માષ્ટમી શોભાયાત્રા દરમિયાન મારામારી, પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લીધી

જન્માષ્ટમીના પાવન પર્વે રાજકોટમાં આયોજિત કૃષ્ણ મહોત્સવની 40મી શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે મારામારી થતાં વાતાવરણ તંગ બન્યું હતું. ઘટનાની જાણ થતા જ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી.

આ બનાવ રાજકોટના ગોંડલ રોડ પર બન્યો હતો, જ્યાં શોભાયાત્રા પસાર થઈ રહી હતી. કોઈ અજાણ્યા કારણોસર બે જૂથો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જે બાદમાં મારામારીમાં ફેરવાઈ ગઈ. અચાનક થયેલી આ ઘટનાને કારણે થોડો સમય અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ, આ ઘટનામાં ચાર શખ્સો નશાની હાલતમાં હોવાનો આરોપ છે. વિશ્વ હિન્દુ પરિષદ છેલ્લા 39 વર્ષથી આ શોભાયાત્રાનું આયોજન કરે છે, જ્યારે આ વર્ષે 40મી શોભાયાત્રા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા યોજાઈ હતી. 22 કિમી લાંબી આ શોભાયાત્રામાં 80થી વધુ ફ્લોટ્સ સામેલ હતા, જેમાં મુખ્ય રથ પર ‘ઓપરેશન સિંદૂર’ના બેનરો લગાવવામાં આવ્યા હતા.

પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોવા છતાં આ ઘટના બની. જોકે, પોલીસે ઝડપી કાર્યવાહી કરી મામલો શાંત પાડ્યો હતો અને ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે.

 

Leave a Reply

Your email address will not be published.