ભારત પરત ફર્યા એસ્ટ્રોનોટ શુભાંશુ શુક્લા, PM મોદીને મળશે અને લખનઉમાં કરશે ભવ્ય રોડ શો

ભારત પરત ફર્યા એસ્ટ્રોનોટ શુભાંશુ શુક્લા, PM મોદીને મળશે અને લખનઉમાં કરશે ભવ્ય રોડ શો

ભારતીય અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લા પોતાની ઐતિહાસિક આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન (ISS) યાત્રા બાદ હવે ભારત પરત ફર્યા છે. અમેરિકાથી તેઓ રવિવાર, 17 ઑગસ્ટ 2025ના રોજ ભારત પાછા આવશે. ઇસરો (ISRO) તેની પહેલી માનવ અંતરિક્ષ ઉડાન 2027માં શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે, જેમાં શુભાંશુનો અનુભવ મહત્વપૂર્ણ સાબિત થશે. ભારત પરત આવ્યા બાદ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે અને પોતાના હોમટાઉન લખનઉ જશે, જ્યાં તેમના સન્માનમાં ભવ્ય રોડ શો યોજાશે.

શુભાંશુ શુક્લા ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન છે અને છેલ્લા એક વર્ષથી અમેરિકા સ્થિત હતા. તેમણે Axiom-4 મિશન માટે તાલીમ લીધી હતી અને 25 જૂન 2025ના રોજ ફ્લોરિડાથી સ્પેસએક્સ ડ્રેગન કેપ્સૂલ દ્વારા લોન્ચ થયા હતા. તેઓ 26 જૂનના રોજ ISS પર પહોંચ્યા અને 15 જુલાઈએ પૃથ્વી પર પાછા ફર્યા. 18 દિવસના આ મિશનમાં શુભાંશુએ 60થી વધુ પ્રયોગો કર્યા અને 20 જાગૃતિ સત્રોમાં ભાગ લીધો. મિશન દરમિયાન તેમના સાથીઓમાં નાસાના પેગી વ્હિટસન (અમેરિકા), સ્લાવોસ ઉઝનાંસ્કી-વિસ્નિવ્સ્કી (પોલેન્ડ) અને ટિબોર કાપુ (હંગેરી) સામેલ હતા.

25 ઑગસ્ટે શુભાંશુ લખનઉ પહોંચશે, જ્યાં એરપોર્ટથી તેમના નિવાસસ્થાન સુધી રોડ શો યોજાશે. શુભાંશુએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી, જેમાં તેમણે પોતાની લાગણીઓ વ્યક્ત કરી. તેમણે કહ્યું કે મિશન પૂર્ણ થયા પછી સાથીદારોથી વિદાય લેવી મુશ્કેલ હતી, પણ ઘરે પરત ફરવાનો આનંદ અનોખો છે. શુભાંશુએ ફિલ્મ સ્વદેશની પંક્તિઓનો ઉલ્લેખ કરતાં લખ્યું કે, “જીવન ગાડી છે સમય ચક્ર,” અને કહ્યું કે અવકાશમાં શીખેલું એક મહત્ત્વનું પાઠ એ છે કે જીવનમાં બદલાવ કાયમી છે.

ભારત પરત આવ્યા પછી શુભાંશુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે અને 22-23 ઑગસ્ટે નવી દિલ્હીમાં યોજાનારા રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ સમારોહમાં ભાગ લેશે. લખનઉમાં તેમના પરિવાર અને જનતા તેમની ભવ્ય આવક માટે આતુર છે.

 

Leave a Reply

Your email address will not be published.