કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ચોબારી ગામમાં જન્માષ્ટમીની ઉજવણી દરમ્યાન બનેલી એક દુર્ઘટનાએ આનંદના માહોલને શોકમાં ફેરવી દીધો. મટકી ફોડ કાર્યક્રમ દરમ્યાન થાંભલો પડતાં એક સગીરનું કરુણ મોત થયું અને બે લોકો ઘાયલ થયા.
માહિતી મુજબ, ગામમાં જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. મટકી ફોડતી વખતે દોરડું બાંધવામાં આવેલા થાંભલો અચાનક ભીડ પર આવી પડ્યો. આ ઘટનામાં ઈશ્વર જેઠાણી નામના સગીરને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ સારવાર દરમ્યાન તેનું મોત થયું.
દુર્ઘટનામાં અન્ય બે લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ઘટનાના પગલે સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ દુર્ઘટનાએ ઉત્સવના આનંદમય વાતાવરણને માતમમાં ફેરવી નાખ્યો છે.

Leave a Reply