ભારતના ઓપરેશન સિંદૂરને લઈને એક મોટો ખુલાસો સામે આવ્યો છે. સેટેલાઈટ તસવીરોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે મે મહિનામાં જ્યારે ભારતીય સેનાએ આ ઓપરેશન શરૂ કર્યું ત્યારે પાકિસ્તાની નૌકાદળ પોતાના જંગી જહાજો કરાચીમાંથી ખસેડી કોમર્શિયલ ટર્મિનલમાં છુપાવી દીધા હતા. ત્યારબાદ કેટલાક જહાજોને ગ્વાદર અને ઈરાન બોર્ડર તરફ ખસેડવામાં આવ્યા હતા.
રિપોર્ટ અનુસાર, ઓપરેશન સિંદૂરના સમયમાં પાકિસ્તાની સેનાને ડર હતો કે ભારત કરાચી પોર્ટ પર હુમલો કરી શકે છે. કદાચ તેને 1971ના યુદ્ધની યાદ આવી ગઈ હશે, જ્યારે ભારતીય નૌકાદળે કરાચી પર હુમલો કરી અનેક દિવસો સુધી આગ ફેલાવી હતી. આ કારણે પાકિસ્તાનના જંગી જહાજોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા.
આ સેટેલાઈટ તસવીરો 8 મેના હોવાનું કહેવાઈ રહ્યું છે. તસવીરોમાં જોવા મળે છે કે પાકિસ્તાની નૌકાદળના ત્રણ જહાજ કરાચીના કોમર્શિયલ કાર્ગો પોર્ટ પર હતા, જ્યારે બીજું એક જહાજ બીજા ટર્મિનલ પર જોવા મળ્યું હતું. ભારતે આ કાર્યવાહી પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ 6-7 મેની રાત્રે પાકિસ્તાન અને PoKમાં આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરી કરી હતી. તસવીરો સાબિત કરે છે કે ભારતીય હુમલાના કારણે પાકિસ્તાન કેટલું ભયભીત થયું હતું.

Leave a Reply