અમેરિકાની વચ્ચે તણાવ છતાં ચીનનો ભારતને મોટો પ્રસ્તાવ, ખાતર-ખનિજ અને ટનલ મશીનો પૂરી પાડવાની ખાતરી

અમેરિકાની વચ્ચે તણાવ છતાં ચીનનો ભારતને મોટો પ્રસ્તાવ, ખાતર-ખનિજ અને ટનલ મશીનો પૂરી પાડવાની ખાતરી

અમેરિકાથી તણાવ વચ્ચે ચીનએ ભારતને મોટો પ્રસ્તાવ આપ્યો છે. ચાઈનીઝ વિદેશ મંત્રી વાંગ યીએ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી અને ભારતની ત્રણ મોટી ચિંતાઓ દૂર કરવાની ખાતરી આપી. સૂત્રો અનુસાર, ચીને ભારતને ખાતર (ફર્ટિલાઇઝર), મહત્વના ખનિજ અને ટનલ ખોદવાની મશીનોની જરૂરીયાત પૂરી કરવાની ખાતરી આપી છે. આ ખાતરી એવા સમયે આવી છે જ્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ભારે ટેરિફ લગાવ્યો છે. ભારત લાંબા સમયથી ચીન સાથે ખનિજ સપ્લાય માટે ચર્ચા કરી રહ્યું છે, જે ઇલેક્ટ્રિક વાહનો, પવનચક્કી અને રક્ષણ ક્ષેત્ર માટે ખૂબ મહત્વના છે.

બન્ને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે થયેલી બેઠકમાં એલએસી (LAC) પર તણાવ ઘટાડવા પર પણ ચર્ચા થઈ. જયશંકરે જણાવ્યું કે ભારત અને ચીને પરસ્પર સન્માન, સંવેદનશીલતા અને પરસ્પર હિતો પર આધારિત એક સ્પષ્ટ અને સકારાત્મક અભિગમ અપનાવવો જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું કે મતભેદો વિવાદમાં ન બદલાવા જોઈએ અને સ્પર્ધા ટકરાવમાં ન ફેરવવી જોઈએ.

આ બેઠક શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના શિખર સંમેલન પહેલાં થઈ રહી છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે. 2020માં ગલવાન ખીણમાં થયેલા સંઘર્ષ પછીથી ભારત-ચીનના સંબંધોમાં તણાવ રહ્યો છે, જેને કારણે આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ બની છે.

જયશંકરે આતંકવાદ સામેની લડાઈને પ્રાથમિકતા ગણાવી અને કહ્યું કે બંને દેશોને હવે આગળ વધવા માટે સ્પષ્ટ અને સકારાત્મક દૃષ્ટિકોણ અપનાવવો પડશે. આ પ્રયાસ માટે ત્રણ મુખ્ય સિદ્ધાંતો પર ભાર મૂકાયો – પરસ્પર સન્માન, પરસ્પર સંવેદનશીલતા અને પરસ્પર હિત. વાંગ યી NSA અજીત ડોભાલ સાથે સરહદી મુદ્દાઓ પર વાતચીત કરવા માટે દિલ્હી આવ્યા છે, જ્યાં તેઓ વિશેષ પ્રતિનિધિ તરીકે સરહદી વાટાઘાટો કરશે.

 

Leave a Reply

Your email address will not be published.