ઉષા નાડકર્ણીની ભાવુક વાત: ‘છેલ્લા શ્વાસ સુધી સેટ પર કામ કરવું છે’

ઉષા નાડકર્ણીની ભાવુક વાત: ‘છેલ્લા શ્વાસ સુધી સેટ પર કામ કરવું છે’

લોકપ્રિય સીરિયલ  ‘પવિત્ર રિશ્તા’ થી જાણીતી અનુભવી અભિનેત્રી ઉષા નાડકર્ણી, જેમને લોકો ‘ઉષા તાઈ’ તરીકે ઓળખે છે, તેમના જીવન વિશે એક ખુલાસો કર્યો છે. આજે તેઓ પાસે ઘર, ધન બધું હોવા છતાં પણ એકલી રહે છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે તેઓ પરિવારથી દૂર કેમ રહે છે.

ઉષા નાડકર્ણી મૂળ કર્ણાટકના વતની છે. બાળપણથી જ તેમને અભિનયનો શોખ હતો. લગ્ન થયા બાદ તેમનો એક દીકરો પણ છે, પરંતુ પોતાના સપનાને સાકાર કરવા માટે તેઓ કર્ણાટક છોડી મુંબઈ આવ્યા. પોતાના દીકરાની જવાબદારી માતા-પિતાને સોંપી દીધી હતી. વર્ષો બાદ દીકરો તેમનાથી દૂર થઈ ગયો અને તેઓ મુંબઈમાં એકલી રહેવા લાગી.

અભિનેત્રીએ કહ્યું કે, “મારો દીકરો પરિણીત છે અને તેનો એક દીકરો પણ છે. તે મારા ભાઈના ઘરે રહે છે. મારો નાનો ભાઈ હવે નથી રહ્યો, ગયા વર્ષે 30 જૂનના રોજ તેનું નિધન થયું હતું. પહેલા જો મને કોઈ મુશ્કેલી આવતી તો તે તરત દોડી આવતો. હવે હું છેલ્લા 40 વર્ષથી એકલી રહી રહી છું અને હવે આ આદત થઈ ગઈ છે.”

ઉષા તાઈએ પોતાના ભાવ વ્યક્ત કરતા કહ્યું, “મને એકલા રહેવાનો ડર નથી. કોઈ ઊંઘમાં મરે છે, કોઈ હોસ્પિટલમાં પ્રાણ ત્યાગે છે. હું ઈચ્છું છું કે મારું મોત કામ કરતાં-કરતાં સેટ પર થાય. કલાકારને આવું જ લાગે છે. મને ઘર પર ઊંઘમાં મોત કરતાં કામ કરતી વખતે મોત સારું લાગશે.”

 

Leave a Reply

Your email address will not be published.