અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે એડવિસ્ટ સ્કૂલમાં મંગળવારે ગંભીર ઘટના બની હતી જ્યાં ધોરણ-8ના વિદ્યાર્થીએ ધોરણ-10ના વિદ્યાર્થી પર ચપ્પા વડે હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ, આરોપી વિદ્યાર્થીએ 7-8 અન્ય વિદ્યાર્થીઓ સાથે મળીને શાળાના છૂટેલા સમયે ઈતિહાસ ધરાવતા વિઘાર્થી પર હુમલો કર્યો હતો. હુમલાની પાછળનું કારણ થોડા દિવસ અગાઉ થયેલી ધક્કામુક્કીની ઝઘડાની અદાવત હોવાનું બહાર આવ્યું છે. હુમલામાં 15 વર્ષીય વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતા ખોખરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. પોલીસે CCTV ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે. બીજી તરફ, શહેરના DEO રોહિત ચૌધરીએ જણાવ્યું કે, સ્કૂલ દ્વારા ઘટના અંગે કોઈ જાણ કરાઈ નહતી, જેથી સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી છે અને તેમના અધિકારીઓને રૂબરૂ હાજરી આપવા આદેશ આપવામાં આવ્યો છે.
આ ઘટનાએ શિક્ષણ જગતમાં સવાલ ઊભા કર્યા છે કે વિદ્યાર્થીઓમાં વધતી હિંસા સામે કઈ રીતે પગલાં લેવાં જોઈએ અને શાળાઓમાં સુરક્ષા વ્યવસ્થા કેટલી અસરકારક છે.

Leave a Reply