ઇઝરાયલ: ઇઝરાયલી સેનાએ બુધવારે જણાવ્યું હતું કે, શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા બાદ કરવામાં આવેલા પ્રચંડ હુમલામાં માત્ર એક જ દિવસે 200 ત્રાસવાદી મથકોનો નાશ કરાયો છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 10,000 જેટલા મથકોનો ખાતમો કરવામાં આવ્યો છે. ઇઝરાયલે દાવો કર્યો છે કે ગાઝાપટ્ટીના 75% વિસ્તારમાં હવે તેમનો કબજો છે અને માત્ર 25% વિસ્તાર જ હમાસના કબજામાં છે.
આ હુમલામાં લગભગ 20,000 સૈનિકો સક્રિય રહ્યાં હતાં અને વધારાના 60,000 સૈનિકોને બોલાવવામાં આવ્યા છે. સેનાએ જણાવ્યું હતું કે આ ઓપરેશનમાં હમાસના ટોચના નેતાઓ સહિત 2,000 ત્રાસવાદીઓ માર્યા ગયા છે. માર્યા ગયેલા નેતાઓ ઇઝરાયલ ઉપર હુમલાનું આયોજન કરતા હતા. નાશ પામેલા મથકોમાં હમાસના મુખ્ય કેમ્પો, શસ્ત્ર ભંડાર અને ભૂગર્ભ ટનલ નેટવર્કનો સમાવેશ થાય છે.
ઇઝરાયલની સેનાએ મોરાગ અને માગન ઓઝ નામના બે નવા કોરિડોર બનાવ્યા છે. હમાસ ઉપર હવાઈ અને જમીન માર્ગે હુમલા ચાલુ છે. કેબિનેટે આ વ્યાપક આક્રમણને મંજૂરી આપી હતી અને તેને “ઓપરેશન ગીડીઓન” નામ આપવામાં આવ્યું છે. હાલ ગાઝાપટ્ટીમાં વિનાશનું ભયંકર દ્રશ્ય જોવા મળી રહ્યું છે.

Leave a Reply