અમદાવાદમાં 25 ઓગસ્ટે યોજાનારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા માટે શિક્ષકોની ફરજિયાત હાજરી અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ કડક આક્ષેપ કર્યા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલના જણાવ્યા મુજબ, દરેક સ્કૂલમાંથી ઓછામાં ઓછા દસ શિક્ષકોની હાજરી ફરજિયાત રાખવામાં આવી છે અને આ માટે શિક્ષણ વિભાગના અધિકારીઓ મિટિંગો યોજી રહ્યા છે.
વોટ્સએપ સંદેશાઓ અને શાળાના આચાર્યોને આપવામાં આવેલી સૂચનાઓ મુજબ, શિક્ષકોને નક્કી કરાયેલા સ્થળે હાજર રહેવું પડશે અને AMTS બસ દ્વારા સભા સ્થળે લઈ જવાશે.
કांग्रेस દાવો કરે છે કે, પ્રત્યેક બીટમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર્સ મીટિંગ લઈ રહ્યા છે જેથી આ કાર્યક્રમ સફળ થાય. આચાર્યોને જણાવવામાં આવ્યું છે કે જો 10 કરતા વધારે શિક્ષકો હાજર રહેવા માંગે તો શાળામાં સંપૂર્ણ રજા રાખવી પડે છતાં રજા આપવામાં આવી છે.
એક વોટ્સએપ મેસેજમાં કહેવામાં આવ્યું છે કે, ‘તમારા શાળાના શિક્ષકોને બપોરે 2:30 કલાકે I.P. Mission સ્કૂલ ખાતે બસ ઉપલબ્ધ છે. તમામ શિક્ષકો ફરજિયાત બસમાં જ જવા અને સમયસર હાજરી આપવા જરૂરી છે.’
કांग्रेस પ્રવક્તાએ આ પ્રકારના પગલાં પર કડક પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે, ‘એક તરફ વિદ્યાર્થીઓને પૂરતું શિક્ષણ નથી મળતું અને બીજી તરફ PMની સભા માટે ખાલી ખુરશીઓ ભરી પ્રજાના સમર્થન દર્શાવવાનું પ્રયાસ થઈ રહ્યું છે. આચાર્યોએ શિક્ષકોને સીધું સભામાં જવાનું નહીં પરંતુ પહેલાં નક્કી કરેલા સ્થળે પહોંચવાનું કહ્યું છે અને ત્યાંથી AMTS બસ દ્વારા સભામાં હાજરી આપવી છે.’
તેમણે આ કાર્યવાહી વિશે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરતા કહ્યું કે, ‘ગુજરાતની અંદર શિક્ષકોને અગાઉ તીડ ભેગા કરવા, કોરોના દરમિયાન લાશો ગણવા, સ્વ ખર્ચે પ્રવેશોત્સવ કરાવવા મોકલવામાં આવ્યા હતા, પરંતુ હવે માત્ર PMની સભામાં ખાલી ખુરશીઓ ભરવા માટે શિક્ષકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે વિદ્યાર્થીઓના ભણતર પર દુર્લક્ષ્ય દર્શાવે છે.’

Leave a Reply