ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં ભયંકર અકસ્માત, 8 મોત, 43 ઈજાગ્રસ્ત

ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં ભયંકર અકસ્માત, 8 મોત, 43 ઈજાગ્રસ્ત

ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં એક ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો, જેમાં 8 લોકોના મોત થયા અને 43 લોકો ઈજાગ્રસ્ત થયા. ઘટના નેશનલ હાઈવે નંબર 34 પર ઘટાલ ગામ નજીક બન્યો હતો, જ્યારે કાસગંજથી રાજસ્થાનના ગોગામેડી તરફ જતા ગોગાજીના ભક્તોના ટ્રેક્ટર-ટ્રોલી પર પાછળથી એક કન્ટેનર ટ્રકે જોરદાર ટક્કર મારી.

બુલંદશહેરના એસએસપી દિનેશ કુમાર સિંહના જણાવ્યા અનુસાર, ટ્રેક્ટરમાં 50થી 60 શ્રદ્ધાળુ મુસાફરી કરી રહ્યા હતા, જે કાસગંજથી જાહરવીર (ગોગાજી)ના દર્શન માટે જઈ રહ્યા હતા. બુલંદશહેરના ગ્રામ્ય એસ.પી. ડૉ. તેજવીર સિંહે જણાવ્યું કે કન્ટેનરની ટક્કર એટલી ભયાનક હતી કે ટ્રેક્ટર ટ્રોલી સંપૂર્ણ રીતે તૂટી ગઈ, જેના કારણે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો.

ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે લઈ જવાયું છે અને પોલીસ ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરી છે.

 

Leave a Reply

Your email address will not be published.