દિલ્હી હાઈકોર્ટે સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સ્નાતકની ડિગ્રી સંબંધિત માહિતી જાહેર કરવા બાબતે કેન્દ્રીય માહિતી આયોગ (CIC)નો આદેશ રદ કર્યો છે. જસ્ટિસ સચિન દત્તાએ સીઆઈસીના આદેશને પડકારતી દિલ્હી યુનિવર્સિટીની અરજી પર 27 ફેબ્રુઆરીના રોજ આપેલા ચુકાદાને અનામત રાખ્યો છે. વિગતવાર ચુકાદો હજી જાહેર નથી.
CICએ 2016માં RTI કાર્યકર નીરજ કુમાર, મોહમ્મદ ઈર્શાદ અને અન્ય અરજદારોને યુનિવર્સિટીના એ વર્ષે બી.એ. પાસ કરેલા વિદ્યાર્થીઓની માહિતીનો નિરીક્ષણ કરવાની મંજૂરી આપી હતી. વડાપ્રધાન મોદીએ પણ આ બેન્ચમાં બીએનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. યુનિવર્સિટીએ આ CICના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યું અને જાન્યુઆરી 2017માં હાઈકોર્ટે CICના આદેશ પર સ્ટે મુક્યો હતો.
સોલિસીટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી કે યુનિવર્સિટીઓ પોતાના વિદ્યાર્થીઓની ડિગ્રી, માર્ક અને અન્ય શૈક્ષણિક વિગતો કાયદા અને નીતિમત્તા મુજબ રેકોર્ડમાં રાખે છે, જેને ત્રીજા પક્ષની જિજ્ઞાસાના આધારે જાહેર ન કરી શકાય. કલમ 8 (1)(ઈ) અને (જે) હેઠળ જો શૈક્ષણિક વિગતોમાં જાહેર હિત ન હોય તો તેને જાહેર કરવામાથી મુક્તિ મળે છે.
આરટીઆઈના અરજદારો તરફથી કેસ લડી રહેલા વરિષ્ઠ વકીલ સંજય હેગડે અને શાદાન ફરાસતે દલીલ કરી હતી કે વ્યક્તિના પરિણામ સંબંધિત માહિતી જાહેર કરવાથી જાહેર હિત થાય છે. તેમણે જણાવ્યું હતું કે યુનિવર્સિટીઓ વિદ્યાર્થીની ડિગ્રી સંબંધિત માહિતી ‘વિશ્વાસુ ક્ષમતા’માં રાખતી નથી. હેગડેએ વધુમાં કહ્યું હતું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિશે મતદારોને સચોટ નિર્ણય લેવા સક્ષમ બનાવવા માટે નેતા-ઉમેદવારોની સંપત્તિ જેવી ઘણી માહિતી જાહેર કરવામાં આવે છે, અને શૈક્ષણિક લાયકાત પણ તે જ શ્રેણીમાં આવે છે. તેથી CICનો આદેશ આરટીઆઈ કાયદા હેઠળ સંપૂર્ણ રીતે માન્ય હતો અને તે ભૂલભરેલો નહોતો.

Leave a Reply