ભારત અને પાકિસ્તાન વચ્ચે ગયા કેટલાક સમયથી તણાવ ચાલી રહ્યો છે, ત્યારે પણ ભારતે માનવતાની ભુમિકા ભૂલવી નથી. ભારતે 24 ઓગસ્ટની સવારે પાકિસ્તાનને તવી નદીમાં ભીષણ પૂર અંગે સમયસર ચેતવણી આપી, જેથી તેઓ લોકોને સલામત સ્થળે ખસેડી શકે. ભારતના હાઈ કમિશને ઈસ્લામાબાદને પૂર અંગે એલર્ટ આપતા, પાકિસ્તાની અધિકારીઓએ તરત જ એલર્ટ જાહેર કરી અને રક્ષણાત્મક પગલાં લીધાં.
પરંતુ પાકિસ્તાનની વ્યૂહનીતિ એ દર્શાવે છે કે તેમણે આ માનવતાભર્યા પગલાને રાજકીય રીતે વાપરવાનો પ્રયાસ કર્યો. પાકિસ્તાનનો દાવો છે કે, ભારતે આ એલર્ટ સિંધુ જળ સંધિ હેઠળ આપ્યું છે, જ્યારે એ સંધિ અત્યાર સુધી રદ કરવામાં આવી ચુકી છે. પાકિસ્તાનનુ કહેવું છે કે ભારતે તેની પૂર્વીય નદીઓ પર નિયંત્રણ મજબૂત કર્યું છે, જેમાં સતલુજ, બ્યાસ અને રાવી નદીઓનો સમાવેશ થાય છે.
ભારતે સતલુજ નદીમાં પાણી છોડવાથી પાકિસ્તાનના પંજાબમાં પૂરનો ખતરો સર્જાયો છે. બહાવલનગર શહેર અને આસપાસના ગામડાઓમાં પૂરથી જનજીવન પર અસર પડી છે અને હજારો એકર જમીન પર ઉભો પાક નષ્ટ થયો છે. મોટી સંખ્યામાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જેમાં 1122 લોકો અને 928 પશુઓનું સ્થળાંતર કરવામાં આવ્યા હતા.
પાકિસ્તાનના સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, આ ચોમાસામાં પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા, POK અને પંજાબમાં પૂર અને ભારે વરસાદના કારણે અત્યાર સુધી 788 લોકોના જીવ ગયા છે. ચિનાબ અને સિંધુ નદીઓમાં પૂરનો ખતરો વધી રહ્યો છે, જ્યારે સતલુજ નદીમાંથી છોડાયેલા પાણીના કારણે ગંદાસિંહવાલામાં પૂર સર્જાયો છે.

Leave a Reply