PM-CM હટાવવાના બિલ પર વિપક્ષી પાર્ટીઓમાં મતભેદ

PM-CM હટાવવાના બિલ પર વિપક્ષી પાર્ટીઓમાં મતભેદ

વડાપ્રધાન, મુખ્યમંત્રીઓ અને મંત્રીઓની ધરપકડ અને 30 દિવસ સુધી જેલમાં રહેવા પર પદ પરથી હટાવવાના 130મો બંધારણ સુધારો બિલ 2025 પર વિપક્ષને ફરી ઝટકો લાગ્યા છે. આ બિલને સંયુક્ત સંસદીય સમિતિ (JPC) માં મોકલવાના પ્રસ્તાવ પર વિપક્ષી પાર્ટીઓમાં મતભેદ ઊભા થયા છે. પહેલા તૃણમૂલ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી (સપા)એ સમિતિમાં સહભાગી ન થવાનો નિર્ણય કર્યો, અને હવે શિવસેનાના ઉદ્ધવ જૂથ પણ JPCમાં ભાગ નહીં લે તે જાહેરાત કરી છે.

સંજય રાઉતએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, “મોદી સરકાર લોકશાહી અને લોકો દ્વારા ચૂંટાયેલી સરકારને કચડી નાખવા માટે આ બિલ લઈને આવી છે. સંયુક્ત સંસદીય સમિતિ માત્ર નાટક છે. શિવસેના કોઈ પણ JPCમાં ભાગ લેશે નહીં.”

અખિલેશ યાદવએ કહ્યું કે, “આ બિલનો વિચાર જ ખોટો છે. જેમણે આ બિલ રજૂ કર્યું છે (અમિત શાહ), તેમણે સ્વીકાર્યું કે ખોટા આરોપ લગાવાયા હતા. જો ખોટો કેસ કરી શકાય તો આ બિલનો અર્થ શું?”

ડેરેક ઓબ્રાયન સહિતના વરિષ્ઠ નેતાઓએ JPCની ઉપયોગીતા પર પ્રશ્ન ઉઠાવ્યો. તેઓએ કહ્યું કે, “2014 પહેલાં JPC જાહેર હિત અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે મજબૂત ગણાતી હતી, પરંતુ હવે તેનો ઉપયોગ રાજકીય હેતુઓ માટે થાય છે.”

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે લોકસભામાં બિલ રજૂ કર્યું હતું. બિલ અનુસાર, જો વડાપ્રધાન, મુખ્યમંત્રી અથવા મંત્રીઓ ગંભીર ગુનાહિત આરોપોમાં સતત 30 દિવસ માટે જેલમાં રહે છે, તો તેઓ પદ પરથી હટાવી શકાય છે. બિલ રજૂ થતાં વિપક્ષી સાંસદોએ હંગામો મચાવ્યો અને એક સાંસદે બિલની નકલ ફાડી ગૃહમંત્રી પર ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. આ બિલને કેન્દ્રશાસિત પ્રદેશો સુધારા બિલ 2025 અને જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન સુધારા બિલ 2025 સાથે સંસદીય સમિતિમાં મોકલવામાં આવ્યું છે.

 

Leave a Reply

Your email address will not be published.