“શાંતિ માટે શક્તિ જરૂરી: CDS અનિલ ચૌહાણે આપ્યો ચીન-પાકિસ્તાનને કડક સંદેશ”

“શાંતિ માટે શક્તિ જરૂરી: CDS અનિલ ચૌહાણે આપ્યો ચીન-પાકિસ્તાનને કડક સંદેશ”

ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો દેશને શાંતિ જાળવવી હોય તો યુદ્ધ માટે હંમેશા તૈયાર રહેવું પડશે. ચીન અને પાકિસ્તાનને નિશાન બનાવતા CDSએ જણાવ્યું કે ભારત હંમેશા શાંતિના પક્ષમાં રહ્યું છે, પરંતુ શક્તિ વિના શાંતિ માત્ર કલ્પના છે. તેમણે કહ્યું, “શાંતિ જાળવવા માટે વ્યૂહાત્મક શક્તિ જરૂરી છે. એક લેટિન કહેવત પણ છે કે જો તમારે શાંતિ જાળવવી હોય, તો યુદ્ધ માટે તૈયાર રહો.”

જનરલ ચૌહાણે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે તે એક આધુનિક સંઘર્ષ હતો જેમાંથી ઘણા મહત્વપૂર્ણ પાઠ શીખવા મળ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ ઓપરેશન હજી ચાલુ છે, પરંતુ હાલનો ફોકસ તેની આગળની વ્યૂહરચના પર છે.

સાથે સાથે તેમણે ભારતની નવી સંરક્ષણ પ્રણાલી ‘સુદર્શન ચક્ર’ વિષે પણ વાત કરી. વડાપ્રધાન દ્વારા 15 ઓગસ્ટના રોજ ઉલ્લેખિત આ સિસ્ટમ 2035 સુધીમાં કાર્યરત થશે અને ભારતના મહત્વપૂર્ણ લશ્કરી, નાગરિક અને રાષ્ટ્રીય સ્થળોને સુરક્ષા આપશે. CDSએ ભાર મૂક્યો કે સુદર્શન ચક્ર દેશની રક્ષા પ્રણાલીમાં ક્રાંતિકારી ફેરફાર લાવશે.

 

Leave a Reply

Your email address will not be published.