ગુરુવાયુર મંદિરમાં બિન-હિન્દુ વ્લોગરે પગ ધોયા, 6 દિવસ ચાલશે શુદ્ધિકરણ વિધિ

ગુરુવાયુર મંદિરમાં બિન-હિન્દુ વ્લોગરે પગ ધોયા, 6 દિવસ ચાલશે શુદ્ધિકરણ વિધિ

કેરળના ત્રિશૂર જિલ્લાના પ્રસિદ્ધ ગુરુવાયુર શ્રી કૃષ્ણ મંદિરમાં એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે. બિગ બોસની ભૂતપૂર્વ સ્પર્ધક અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર જાસ્મીન જાફરે મંદિરના પવિત્ર તળાવમાં પગ ધોતાં વીડિયો બનાવ્યો, જેના કારણે વિવાદ થયો છે. મંદિરની પરંપરા મુજબ બિન-હિન્દુઓને તળાવમાં પ્રવેશવાની મનાઈ છે, તેમજ વિડિયોગ્રાફી પર હાઈકોર્ટ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતા ગુરુવાયુર દેવસ્વોમ સમિતિએ તળાવને અપવિત્ર ગણાવી શુદ્ધિકરણ વિધિ શરૂ કરી.

શુદ્ધિકરણ વિધિમાં છ દિવસ સુધી 18 પૂજાઓ અને 18 શીવેલી (મંદિર પરિક્રમા) થશે. આ દરમિયાન સવારે 5 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી ભક્તો માટે દર્શન બંધ રહેશે. સમિતિએ જણાવ્યું કે મંદિરની પવિત્રતા જાળવવા ભક્તોએ પ્રતિબંધોનું પાલન કરવું જરૂરી છે.

જાસ્મીન જાફરે બાદમાં વીડિયો સોશિયલ મીડિયા પરથી હટાવી લીધો અને માફી માંગતા જણાવ્યું કે તેમને મંદિરના પ્રતિબંધોની જાણ નહોતી. દેવસ્વોમ પ્રશાસકે મંદિર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને કોર્ટના નિર્દેશ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામા આવશે.

 

Leave a Reply

Your email address will not be published.