આવતીકાલથી અમેરિકાએ ભારત પર કુલ 50 ટકા ટેરિફ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પે રશિયા-ભારત સંબંધોમાં તણાવ લાવવા માટે ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લાદ્યો, પરંતુ ભારત આ નીતિ સામે ઝૂકશે નહી અને અન્ય દેશો સાથે વેપાર કરવાનો કરાર કરી રહ્યો છે. આ પ્રક્રિયામાં ભારત રશિયા, ચીન અને હવે જાપાન સાથે વેપાર વધારવામા આગળ...
Day: August 26, 2025
સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટમાં ચુકાદા વિલંબ પર ચિંતા વ્યક્ત કરી, રજિસ્ટ્રાર જનરલને કડક આદેશ આપ્યો
સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટ દ્વારા ચુકાદા આપવામાં વિલંબ થવાની પરિસ્થિતિને ગંભીરતા સાથે લાક્ષણિક માન્યું છે. જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે હાઇકોર્ટને આ હદ્દબંધી આપી કે, જો સુનાવણી પૂર્ણ થયા બાદ ત્રણ મહિનામાં ચુકાદો આપવામાં ન આવે, તો રજિસ્ટ્રાર જનરલ ચીફ જસ્ટિસ સમક્ષ કેસ રજૂ કરશે. ચીફ જસ્ટિસ આ મામલો સંબંધિત બેન્ચને બે...
“શાંતિ માટે શક્તિ જરૂરી: CDS અનિલ ચૌહાણે આપ્યો ચીન-પાકિસ્તાનને કડક સંદેશ”
ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો દેશને શાંતિ જાળવવી હોય તો યુદ્ધ માટે હંમેશા તૈયાર રહેવું પડશે. ચીન અને પાકિસ્તાનને નિશાન બનાવતા CDSએ જણાવ્યું કે ભારત હંમેશા શાંતિના પક્ષમાં રહ્યું છે, પરંતુ શક્તિ વિના શાંતિ માત્ર કલ્પના છે. તેમણે કહ્યું, “શાંતિ જાળવવા માટે વ્યૂહાત્મક શક્તિ જરૂરી...
યુટ્યુબર્સ અને ઈન્ફ્લુએન્સર્સ માટે નવા નિયમો બનાવવામા આવશે, સુપ્રીમ કોર્ટનો આદેશ
દેશના યુટ્યુબર્સ અને ઈન્ફ્લુએન્સર્સ માટે હવે મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે સોશિયલ મીડિયા પર પોસ્ટ થતા તમામ કન્ટેન્ટને નિયંત્રિત કરવા માટે તૈયાર કરવામાં આવતા દિશાનિર્દેશો કોર્ટમાં રજૂ કરવાના રહેશે. સાથે જ, આ દિશાનિર્દેશો ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી (NBSA) સાથે ચર્ચા કરીને તૈયાર કરવા સુપ્રીમ કોર્ટએ સ્પષ્ટ...
ગુરુવાયુર મંદિરમાં બિન-હિન્દુ વ્લોગરે પગ ધોયા, 6 દિવસ ચાલશે શુદ્ધિકરણ વિધિ
કેરળના ત્રિશૂર જિલ્લાના પ્રસિદ્ધ ગુરુવાયુર શ્રી કૃષ્ણ મંદિરમાં એક વિવાદાસ્પદ ઘટના સામે આવી છે. બિગ બોસની ભૂતપૂર્વ સ્પર્ધક અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર જાસ્મીન જાફરે મંદિરના પવિત્ર તળાવમાં પગ ધોતાં વીડિયો બનાવ્યો, જેના કારણે વિવાદ થયો છે. મંદિરની પરંપરા મુજબ બિન-હિન્દુઓને તળાવમાં પ્રવેશવાની મનાઈ છે, તેમજ વિડિયોગ્રાફી પર હાઈકોર્ટ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઘટનાની...
જમ્મુના ડોડામાં વાદળ ફાટ્યું: 3ના મોત, વૈષ્ણો દેવી યાત્રા અટકાવવામાં આવી
જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં મંગળવાર (26 ઓગસ્ટ) એ વાદળ ફાટવાની ઘટના બની, જેના કારણે ભારે તબાહી મચી છે. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે અને અંદાજે 15 ઘરોને નુકસાન થયું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ અભિયાન તેજીથી ચલાવવામાં આવી રહ્યું છે. ડોડાના ડેપ્યુટી કમિશનર હરવિંદર સિંહે ઘટનાની પુષ્ટિ કરી છે. સતત ત્રણ...
એશિયા કપ પહેલા આ જાણીતા ક્રિકેટર પર લાગી શકે છે 5 વર્ષનો પ્રતિબંધ, મેચ ફિક્સિંગમાં સામેલ હોવાની આશંકા
Bangladesh Cricket Player Minhazul Abedin Sabbir May Be Banned: બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના એન્ટી કરપ્શન યૂનિટ (ACU) એ ઢાકા પ્રીમિયર લીગની છેલ્લી સીરિઝ દરમિયાન મેચ ફિક્સિંગમાં ભૂમિકા બદલ બેટ્સમેન મિન્હાઝુલ આબેદીન સબ્બીર પર ઓછામાં ઓછા 5 વર્ષનો પ્રતિબંધ લગાવવાની ભલામણ કરી છે. તમને જણાવી દઈએ કે, સ્ટમ્પિંગ કરવાની તેની રીત ખૂબ જ આશ્ચર્યજનક હતી, જે તમને...
ચેન્નાઇથી નેપાળ સુધી ફેલાયેલી નકલી દવાઓની સિન્ડિકેટ: ૪૫૦ કરોડ રૂપિયાનું વેપાર
આગ્રા: ચેન્નાઇથી નેપાળ સુધી ફેલાયેલ નકલી દવાઓના મોટા સિન્ડિકેટનો ખુલાસો થયો છે. સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) અને દવા વિભાગે મળેલી માહિતી પ્રમાણે હિમાંશુ અગ્રવાલની સંચાલિત કંપની હે મા મેડિકો દ્વારા નકલી દવાઓ તૈયાર કરવામાં આવી ને ૧૨ દેશોમાં સપ્લાય કરવામાં આવતી હતી, જેમાં નેપાળ અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. આગ્રામા હોલસેલ દવા બજારમાં મલ્ટીનેશનલ કંપનીઓ...
અમદાવાદીઓ માટે એલર્ટ: સાબરમતી નદીમાં ફરી પાણી છોડાયું, સુભાષબ્રિજ પર વ્હાઈટ સિગ્નલ
ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદને પગલે નદીઓ, તળાવો અને જળાશયો છલકાઈ ગયા છે, જેના કારણે સાબરમતી નદી પરના ધરોઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. હાલ ધરોઈ ડેમનું જળ સ્તર 188.18 મીટર છે અને ડેમમાં પાણીનો જથ્થો 82.62% છે. છેલ્લા 24 કલાકમાં ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે અને સુભાષબ્રિજ પર નદીના જળસ્તરને ધ્યાનમાં રાખીને...
ભારત-ચીનની મિત્રતા વચ્ચે ટ્રમ્પની ચેતવણી: “હું ઈચ્છું તો ચીન બરબાદ થઈ જશે”, અમેરિકા-ભારત વેપાર યુદ્ધમાં તણાવ વધ્યો
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત પોતાના નિવેદનોથી આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં ચર્ચાનો વિષય બન્યા છે. તાજેતરમાં તેમણે ચીનને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું કે અમેરિકા પાસે એવા “પત્તા” છે, જે જો તેઓ રમે તો ચીન બરબાદ થઈ જશે. ટ્રમ્પના આ નિવેદન એવા સમયે આવ્યા છે જ્યારે અમેરિકા અને ભારત વચ્ચે ટેરિફ યુદ્ધ ચાલુ છે અને ભારત-ચીનની...









