ભારત પર અમેરિકાના 50% ટેરિફનો આંચકો: ટ્રેડ ડીલ નિષ્ફળ

ભારત પર અમેરિકાના 50% ટેરિફનો આંચકો: ટ્રેડ ડીલ નિષ્ફળ

ભારત અને અમેરિકાના વેપાર સંબંધોમાં મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાએ સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી ભારતમાંથી આયાત થતી વસ્તુઓ પર વધારાના 25 ટકા ટેરિફ લગાવવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે કુલ ટેરિફ હવે 50 ટકા થઈ જશે. નવા ટેરિફ 27 ઓગસ્ટ, 2025ના રોજ બપોરે 12.01 વાગ્યાથી લાગુ થશે.

ટ્રેડ ડીલ માટે ચાલી રહેલી વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ભારત રશિયાથી ઓઈલ ખરીદી રહ્યું છે, જે યુક્રેન યુદ્ધ અટકાવવામાં અવરોધ બની રહ્યું છે. જેના કારણે અમેરિકાએ ભારત પર વધારાનો ટેરિફ ઝીંકવાનો નિર્ણય લીધો છે.

ભારત હાલમાં અમેરિકામાં આશરે 87 બિલિયન ડોલરની નિકાસ કરે છે, જે દેશના GDPનો લગભગ 2.5 ટકા હિસ્સો છે. નવા ટેરિફને કારણે ટેક્સટાઈલ (કપડાં), રત્ન-આભૂષણ, ચામડું, સમુદ્રી ઉત્પાદન, રસાયણ અને ઓટો પાર્ટ્સ જેવા ક્ષેત્રો પર ભારે અસર થવાની શક્યતા છે. જોકે, ફાર્માસ્યુટિકલ્સ, સેમિકંડક્ટર્સ અને ઉર્જા સંસાધનો પર આ વધારાનો ટેરિફ લાગુ નહીં થાય.

આજે જ PMOમાં અમેરિકાના આ નિર્ણયની સમીક્ષા અને જરૂરી પગલાં લેવા માટે મહત્વની બેઠક યોજાવાની શક્યતા છે.

 

Leave a Reply

Your email address will not be published.