ગાઝામાં ઈઝરાયલના ક્રૂર હુમલામાં નિર્દોષ નાગરિકો અને પત્રકારોને જીવ ગુમાવવો પડ્યો છે. તાજેતરના હુમલામાં નાસ્સેર હોસ્પિટલ પર કરાયેલા હુમલામાં આંતરરાષ્ટ્રીય મીડિયા સાથે જોડાયેલા પાંચ પત્રકારોની મૃત્યુ થઈ છે. ભારતે આ ઘટનાની તીવ્ર આલોચના કરી છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, “આવા હુમલામાં પત્રકારોની હત્યા ખરેખર ચોંકાવનારી અને અત્યંત આઘાતજનક છે. ભારત હંમેશા નાગરિકોના જીવના નુકસાનને ગંભીરતાથી જોઈને તેની આલોચના કરે છે.” મૃત પત્રકારો રોટેર, એસોસિયેટેડ પ્રેસ, અલ જઝીરા અને મીડલ ઈસ્ટ આઈ માટે કાર્યરત હતા. જયસ્વાલે ઉલ્લેખ કર્યો કે ગાઝામાં અન્ય એક પત્રકારની પણ મૃત્યુની ઘટના બની છે.
ભારતે ઈઝરાયલના આ હુમલાને અત્યંત નંદનજનક ગણાવ્યા અને દુનિયાને આ પ્રકારના હિંસક કાયદાવિહિન હુમલાઓના રોકવાના પ્રયત્નો કરવા માટે અપીલ કરી છે.

Leave a Reply