પંજાબમાં પૂરનો કહેર: નવોદય વિદ્યાલયમાં 400 વિદ્યાર્થીઓ ફસાયા

પંજાબમાં પૂરનો કહેર: નવોદય વિદ્યાલયમાં 400 વિદ્યાર્થીઓ ફસાયા

પંજાબમાં સતત ભારે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આવી સ્થિતિમાં દીનાનગર તાલુકાના દબૂરી ગામમાં આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં મોટી બેદરકારી સામે આવી છે. મુખ્યમંત્રી દ્વારા 26 ઑગસ્ટે રાજ્યની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હોવા છતાં, શાળાના પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને બોલાવ્યા હતા. પરિણામે લગભગ 400 વિદ્યાર્થીઓ 4-5 ફૂટ પાણીમાં શાળાની અંદર ફસાઈ ગયા છે.

સ્થિતિ ગંભીર બનતાં સ્થાનિક પ્રશાસન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને જાણ કરવામાં આવી. પ્રિન્સિપાલે દાવો કર્યો કે બધા વિદ્યાર્થીઓ સુરક્ષિત છે. તેમ છતાં, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ફસાયેલા હોવાથી બચાવકાર્ય માટે NDRF અને આર્મીની ટીમોને રવાના કરવામાં આવી છે. ડીસીએ જણાવ્યું કે બાળકોને સુરક્ષિત બહાર કાઢવા માટે પ્રશાસનની ટીમો કાર્યરત છે.

સતત વરસાદને કારણે શાળાની આસપાસ તેમજ રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે, જેના કારણે રાહત કામગીરીમાં મુશ્કેલીઓ આવી રહી છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે આસપાસની ગલીઓ અને રસ્તાઓ પાણીથી ભરાઈ જતા વાલીઓ પોતાના બાળકો સુધી પહોંચી શક્તા નથી.

 

Leave a Reply

Your email address will not be published.